ઈઝરાયલ અને ઈરાન વચ્ચે શરૂ થયેલું યુદ્ધ ક્યારે બંધ થશે તેનો કોઈ આઈડિયા નથી પણ જે રીતે બંને દેશો એકબીજા પર મિસાઈલથી એટેક કરી રહ્યા છે. જેના પરથી લાગે છે કે,આ યુદ્ધ હવે વધારે સમય સુધી ચાલશે. શુક્રવારે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 8મો દિવસ થાય છે. બંને દેશો વચ્ચે વારંવાર હુમલાઓ થઈ રહ્યા છે. આ હુમલાઓમાં જાનમાલનું મોટું નુકસાન થયું છે. તે જ સમયે, વિશ્વના અન્ય દેશોમાં પણ સંઘર્ષ જોવા મળી રહ્યો છે. યુદ્ધના 8મા દિવસે ઇઝરાયલે 60 ફાઇટર જેટ સાથે ઇરાનની મિસાઇલ સિસ્ટમ પર મોટો હુમલો કર્યો. ઇરાનનું પરમાણુ કેન્દ્ર પણ ઇઝરાયલના નિશાના પર છે. ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં અત્યાર
સુધીમાં 650થી વધુ લોકો મૃત્યુ પામ્યા હોવાની માહિતી મળી રહી છે.
ઇઝરાયલે કહ્યું કે તેમણે શુક્રવારે સવારે ઇરાનમાં હવાઈ હુમલા કર્યા, જેમાં 60 થી વધુ એટેક કરવામાં આવ્યા હતા. જોકે, IDF દ્વારા ચોક્કસ સ્થાન આપવામાં આવ્યું નથી. IDF એ એમ પણ કહ્યું કે તેમણે ઇરાનના ડિફેન્સિવ ઇનોવેશન એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના મુખ્યાલયને નિશાન બનાવ્યું હતું. જેને ફારસી ભાષામાં SPND તરીકે ઓળખવામાં આવે છે.
મિસાઇલ સ્ટોકને પણ નિશાન બનાવવામાં આવ્યો
યુએસે એજન્સીએ પરમાણુ વિસ્ફોટક ઉપકરણોના સંભવિત વિકાસ સંબંધિત કથિત ઇરાની સંશોધન અને પરીક્ષણ સાથે જોડી છે. તેમણે પશ્ચિમ ઈરાનમાં કર્માનશાહ અને તબરીઝની આસપાસના વિસ્તારોને નિશાન બનાવીને હવાઈ હુમલા પણ કર્યા હતો. જ્યાં સૈન્યએ જણાવ્યું હતું કે શુક્રવારે સવારે 25 ફાઇટર જેટ્સે મિસાઇલ સ્ટોક અને પરીક્ષણ માળખાકીય ઘટકો પર હુમલો કર્યો હતો. આ વિસ્તારોમાં વિમાન વિરોધી ગોળીબારના અહેવાલો હતા.
657 લોકો માર્યા ગયા, લગભગ 2,000 ઈજાગ્રસ્ત થયા
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ 13 જૂનના રોજ શરૂ થયું, જેમાં ઈઝરાયલી હવાઈ હુમલાઓએ પરમાણુ અને લશ્કરી સ્થળો, ટોચના સેનાપતિઓ અને પરમાણુ વૈજ્ઞાનિકોને નિશાન બનાવ્યા. વોશિંગ્ટન સ્થિત ઈરાની માનવ અધિકાર જૂથના જણાવ્યા અનુસાર, ઈરાનમાં ઓછામાં ઓછા 657 લોકો માર્યા ગયા છે, જેમાં 263 નાગરિકોનો સમાવેશ થાય છે અને 2,000 થી વધુ ઘાયલ થયા છે. ઈજાગ્રસ્ત થયેલા લોકોન તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તો બીજી ઈઝરાયલ સેના દ્વારા ઈરાનના હુમલાનો પણ પ્રતિકાર કરવામાં આવી રહ્યો છે.