Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
તાપી જિલ્લાના નવનિર્મિત ઉકાઈ તાલુકાના સીંગપુર ગામના પંકજભાઈ દિનેશભાઈ ગામીતે જીપીએસસી દ્વારા દિવ્યાંગો માટે આયોજિત ખાસ ગુજરાત એજ્યુકેશન સર્વિસ વર્ગ-૨ સમાજશાસ્ત્ર આસિસ્ટન્ટ પ્રોફેસરની પરીક્ષા પાસ કરી છે. ગામીતે સરકારી વિનયન વાણિજ્ય કોલેજમાંથી ૨૦૨૩માં સ્નાતક અને ગુજરાત વિદ્યાપીઠમાંથી ૨૦૨૫માં અનુસ્નાતકની પદવી મેળવી છે. હાલ તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં પાર્ટ-ટાઈમ પીએચ.ડી. સ્કોલર તરીકે “દિવ્યાંગ આદિવાસી યુવાનોનો સમાજશાસ્ત્રીય અભ્યાસ (દક્ષિણ ગુજરાતના સંદર્ભમાં)” વિષય પર સંશોધન કરી રહ્યા છે. વર્તમાનમાં તેઓ રાજકોટની માતૃશ્રી વીરબાઈમાં મહિલા આર્ટ્સ કોલેજમાં સમાજશાસ્ત્ર વિભાગમાં અધ્યાપક સહાયક તરીકે ફરજ બજાવી રહ્યા છે.
D.G.GAMIT નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શંકુતલા વસાવા સહિતના આરોપીઓ સામે નર્મદા પોલીસે ફોરેસ્ટ વિભાગના ઓફિસરને ઘરે બોલાવીને માર મારવા અને ધમકાવવા અને હવામાં ગોળીબાર સંદર્ભે IPCની કલમ 143, 14, 1149, 186, 294, 353, 386, અને આર્મ્સ એક્ટની કલમ 25 વગરે મુજબ ગુનો નોંધ્યો હતો. નર્મદાની કોર્ટે આ કેસમાં ચુકાદો આપતા ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલા વસાવા સહિત કુલ 9 આરોપીઓને 7 વર્ષની કેદની સજા ફટકારી હતી. ઓક્ટોબર 2023માં ડેડિયાપાડા વિસ્તારમાં સ્થાનિક લોકોની ખેતીની જમીન પરના પાક હટાવવા મામલે આપના સ્થાનિક ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓને પોતાના ઘરે બોલાવી ધમકાવ્યા હતા. આ મામલો વધારે…
શિક્ષણમાં નવીનતા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આગવી પહેલ કરનાર તાપી જિલ્લાની મોડેલ સ્કૂલ ડોસવાડાનાં તત્કાલીન આચાર્યા અને હાલ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (પી.એમ. પોષણ) તરીકે ફરજ બજાવતા શ્રીમતી આશાબેન ચૌધરીને રાજ્યકક્ષાનો સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ ૨૦૨૬ એનાયત કરાયો છે. પોરબંદર ખાતે સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવ ૨૦૨૬ અંતર્ગત યોજાયેલા રાજ્યકક્ષાના શૈક્ષણિક પરિસંવાદમાં ગુજરાતના દરેક જિલ્લામાંથી એક શિક્ષક અથવા આચાર્યની પસંદગી કરવામાં આવી હતી. મોડેલ સ્કૂલ ડોસવાડામાં તેમણે વૃક્ષ સંવેદના, પોષણ વન, સહયોગથી સિદ્ધિ, મિશન ૩૩+ થી ૧૦૦, મારી શાળામાં મારી કૃતિ સહિતની અનેક નવીન પ્રવૃત્તિઓ અમલમાં મૂકી વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ કેળવવાનો પ્રયાસ કર્યો હતો. તેમના યોગદાનથી શાળાને…
ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ જોતા અને ઉમેદવારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અગાઉ 2 ઓગસ્ટના રોજ યોજાનારી TAT (ઉચ્ચતર માધ્યમિક)-2026ની મુખ્ય પરીક્ષા હવે 8 ઓગસ્ટ 2026ના રોજ લેવામાં આવશે. જેના માટે જૂની હોલટિકિટ જ માન્ય ગણવામાં આવશે. આ સાથે જ GPSC દ્વારા 1 ઓગસ્ટે લેવાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખીને હવે 9 ઓગસ્ટે પરીક્ષા યોજવાનો નિર્ણય જે તે વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ વિવિધ વિસ્તારોમાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ધોધમાર વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં પુલ પરથી પાણી પસાર થઈ રહ્યા છે. તેમજ આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી હોવાથી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. બંધ કરવામાં આવેલા રસ્તાઓની વિગતો:-
ફિલિપ વસાવા નર્મદા નર્મદા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ દેડિયાપાડા તાલુકાના નિવાલ્દા ગામ નજીક સફળ કાર્યવાહી હાથ ધરી વિદેશી દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ કર્યો. બાતમીના આધારે પોલીસે મહારાષ્ટ્ર તરફથી ગુજરાતમાં પ્રવેશી રહેલા એક ટાટા આયશર કન્ટેનરને રોકી તપાસ કરતાં અંદાજે ₹79,46,984નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી જિલ્લામાં દારૂની હેરાફેરી સામેની મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, LCBને ચોક્કસ બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર તરફથી ઘનશેરા ચેક પોસ્ટ થઈ દેડિયાપાડાના નિવાલ્દા ખાતે આવેલા નાયરા પેટ્રોલ પંપ નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો પસાર થવાનો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન ટાટા કંપનીનું આયશર કન્ટેનર (નંબર: MH-04-JK-9319)…
વાસ્મો સચિવ સ્તુતિ ચારણે રવિવારે તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના વરસાદ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અસરગ્રસ્ત પરિવારો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધીને રસ્તા, આરોગ્ય, સ્વચ્છતા અને પીવાના પાણીના ક્લોરીનેશનની કામગીરીનું જાતનિરીક્ષણ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો. આ તકે સચિવશ્રીએ ઉપસ્થિત તમામ સંબંધિત અધિકારીઓને સૂચના આપતાં જણાવ્યું કે, રાહત અને પુનઃસ્થાપનની પરિણામલક્ષી કામગીરી સહિત અસરગ્રસ્ત પરિવારોને જરૂરી તમામ સુવિધાઓ સમયસર ઉપલબ્ધ કરાવવા અને સ્વચ્છતા અને જાહેર આરોગ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા સબંધિતોને માર્ગદર્શન આપી રચનાત્મક સૂચનો કર્યા હતા.સચિવ ચારણે ઉકાઈ તાલુકાના ધજાંબા અને ઉખલદા ગામે ભારે વરસાદથી અસરગ્રસ્ત ગ્રામજનોની સ્થિતિ, થયેલા નુકસાન અને આરોગ્ય સંબંધિત જરૂરિયાતો અંગે…
તાપી જિલ્લા પોલીસ વડા દ્વારા સોશ્યિલ મીડિયા બુલીંગ હેઠળ દાખલ થયેલા સાયબરના ગુનાઓ શોધી આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી. જે માર્ગદર્શન મુજબ સોનગઢ પોલીસ સ્ટેશનમાં 2026 ભારતીય ન્યાય સંહીતા 2023ની કલમ 336(4), 356(2) તથા આઈટીએક્ટ 2000ની કલમ-66(સી), 66(ડી) મુજબનો ગુનો દાખલ થયો હતો. જેમાં એક અજાણ્યો શખ્સ એક છોકરીને ફેસબુક આઈડી પર મેસેજ કરી પરેશાન કરતો હતો. જેની ફરિયાદ સોનગઢ પોલીસ સ્ટેશનમાં થતાં પોલીસની વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા અને અંગત બાતમીના આધારે તપાસ કરતા અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સુડાવડ ગામેથી છોકરીને સોશ્યિલ મીડિયા પર હેરાન કરનાર આરોપી…
પેપર લીક સામે કોકરોચ જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલા આંદોલનની અસર અનુભવાઈ છે. દેશની સરકારે જનરલ-ઝેડ સમક્ષ ઝૂકી છે, અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ટ્વિટર પર પોતાનું રાજીનામું ટ્વીટ કર્યું. તેમણે કહ્યું, “મેં મારું રાજીનામું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મોકલી દીધું છે. મેં પહેલા દિવસથી જ આની જવાબદારી લીધી છે અને આ પરિસ્થિતિથી ક્યારેય ભાગ્યો નથી. છેલ્લા 10 દિવસની ઘટનાઓથી હું દુઃખી છું. આ મારા માટે વ્યક્તિગત પ્રતિષ્ઠાનો વિષય નથી.” પ્રધાને કહ્યું કે જંતર-મંતર અને દેશભરની પરિસ્થિતિનો રાષ્ટ્રવિરોધી શક્તિઓ દ્વારા શોષણ ન કરવો જોઈએ, અને રાષ્ટ્રીય એકતા જાળવી રાખવી જોઈએ. તેમણે એક નોંધ…
દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ વધુ તીવ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. વિભાગના જણાવ્યા મુજબ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સક્રિય હવામાન પ્રણાલીના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. હવામાન વિભાગે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા દર્શાવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે, જ્યારે નદીઓ અને જળાશયોમાં પાણીની આવક વધવાની પણ સંભાવના છે. સ્થાનિક તંત્રને સતર્ક રહેવા અને જરૂરી પૂર્વ તૈયારીઓ રાખવા સૂચના આપવામાં આવી છે. માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન…
