Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

આમ આદમી પાર્ટી દ્વારા તાપી જિલ્લામાં ૨૪ વર્ષીય દીકરી હેત્વી મનીષભાઈ ગામીતને ડોલવણ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. હેત્વી ગામીતે B.E. Automobile એન્જીનીયરનો અભ્યાસ કર્યો છે. વિશ્વભરમાં ચાલી રહેલા યુવા Gen-Z ક્રાંતિને લઈ આમ આદમી પાર્ટી પણ Gen-Z યુવક યુવતીઓને સૌથી વધારે તક આપી રહી છે. મફત શિક્ષણ, સ્ત્રીઓને ૧૦૦૦ પ્રતિ માસ વેતન, ગરીબોને મફત આરોગ્ય, ફ્રી વીજળી, ભ્રષ્ટાચાર મુક્ત સરકાર અને રોજગારીની સમાન તક જેવા આમ લોકોને સ્પર્શતા મુદ્દાઓ સાથે આમ આદમી પાર્ટી ફરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉતરી છે. ત્યારે આ મુદ્દાઓને લઈ આવનારા સમયમાં ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અંતે ઘણા નવા પરિવર્તનો જોવા મળી શકે છે.

Read More

તાપીના પીઠાદરા ગામના દાદરી ફળિયામાં રહેતા એક ફરિયાદીના ઘરે આરોપી નરેન્દ્રભાઈ મદનમોહન સિંહ ટીવી ન્યુઝ 24 PRESS તથા સપનાસિંધ ઉપેન્દ્રસિંઘ રાજપૂત એક્ષપ્રેસ PRESS તથા આરોપી હિરેન વસંતલાલ મહેતા ન્યુઝ સ્ટારના રિપોર્ટર તરીકે ઓળખ આપી એકબીજાના મેળાપીણામાં ફરિયાદીના દાદા પાસે સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકોને વજન કરતા ઓછુ અનાજ આપો છો તેમ કહી ફરિયાદીના દાદા પાસેથી રૂપિયા 21,000ની બળજબરીથી પૈસાની માંગણી કરી હતી. અને જો પૈસા નહી આપો તો વીડિયો બનાવી ઈલેક્ટ્રીક મીડિયમાં વાયરલ કરવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરી હતી. પોલીસ પકડમાં આવેલા નકલી પત્રકારો:- નરેન્દ્રભાઈ મદનમોહન સિંહ,રહેઠાણ, સુરત સપનાસિંઘ ઉપેન્દ્રસિંઘ રાજપૂત, રહેઠાણ, સુરત હિરેનભાઈ વસંતલાલ મહેતા, રહેઠાણ, સુરત આ ઉપર…

Read More

છત્તીસગઢ ખાતે 25 માર્ચથી 3 એપ્રિલ 2026 દરમિયાન યોજાયેલા ખેલો ઈન્ડિયા ટ્રાઈબલ ગેમ્સ 2026માં દેશભરના હજારો આદિવાસી ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં ખેલાડીઓએ પોતાની પ્રતિભા દર્શાવી મેડલ્સ જીત્યા હતા. સ્પર્ધામાં માંડવી તાલુકાના વરજાખણ ગામની મયુરી ગામીતે લાંબી કુદ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. મયુરીની આ સિદ્ધિથી સમગ્ર માંડવી પંથકમાં ગર્વની લાગણી પ્રસરી ગઈ છે.મયુરી ગામીતે પોતાની મહેનત અને લગનના આધારે આ સફળતા મેળવી છે, જેનાથી સ્થાનિક યુવાનો માટે પ્રેરણારૂપ ઉદાહરણ ઉભું થયું છે. ગામજનો અને પરિવારજનો દ્વારા મયુરીને અભિનંદન પાઠવી તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે

Read More

બારડોલી કોર્ટના ફોજદારી કેસ નં.૧૧૨૯/૨૦૨૫ના કામનો આરોપી સંદીપ ચૌધરીને ઘી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧ બારડોલી કોર્ટ દ્વારા બે વર્ષની કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. જે હુકમ સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે બજવણી અર્થે આવતાં સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર વી.કે.પટેલ નાઓએ આપેલી સુચના અને માર્ગદર્શન હેઠળ, હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ઘીરૂભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મિતેષભાઈ દિનેશભાઈ, કમલેશભાઇ જેમુભાઇ નાઓ સાથે રહી તેમના બીટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ પ્રકાશ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલી કે,સદર બારડોલી કોર્ટના સજા થયેલો આરોપી સંદીપભાઈ સિસોર ગામે દુધ ડેરી પાસે ઉભેલો છે. જે બાતમીના આધારે આરોપીને પકડી પાડી લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે…

Read More

ઈરાન યુદ્ધમાં અમેરિકન રાષ્ટ્રપતિ પોતાની જ બનાવેલી જાળામાં ફસાયેલા દેખાય છે. તેઓ ઈરાન દ્વારા ગોઠવવામાં આવેલી રમતમાં ફસાયેલા છે. આમાં હોર્મુઝની સામુદ્રધુની બંધ કરવી, ગલ્ફ દેશોમાં અમેરિકાની કાર્યવાહીથી ફેલાયેલો ગભરાટ અને, ખાસ કરીને, આ યુદ્ધમાં ઈરાન દ્વારા અમેરિકાને સીધું નિશાન બનાવવું, અન્ય દેશોમાં તેના હવાઈ મથકોને નિશાન બનાવવાનો સમાવેશ થાય છે. એક તરફ, અમેરિકા યુદ્ધના આર્થિક બોજનો સામનો કરી રહ્યું છે, અને બીજી તરફ, ઈરાન પીછેહઠ કરવા તૈયાર નથી. ફ્રાન્સ, બ્રિટન, ઇટાલી અને સ્પેન જેવા નાટો સભ્યો સહિત સાથી દેશોએ પણ તેમને ટેકો આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. વધુમાં, અમેરિકાનો મિસાઈલ ભંડાર સતત ઘટી રહ્યો છે. અમેરિકા આ ​​યુદ્ધ…

Read More

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ ની જાહેરાત થતાની સાથે જ સમગ્ર તાપી જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. એપ્રિલ-૨૦૨૬માં યોજાનાર તાપી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને વ્યારા નગરપાલિકાની ચૂંટણીઓને મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. તાપી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. વિપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટરશ્રી નિશાંત કુગાશિયાના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ નોડલ અધિકારીઓ સાથે એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં એપ્રિલ ૨૦૨૬ દરમિયાન યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે…

Read More

ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય ચૂંટણી અયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ માટેની અંતિમ મતદાર યાદી તમામ જિલ્લા કલેકટર ઓફીસમાં સોંપી દેવામાં આવી છે. આજે મોડી સાંજ સુધી જિલ્લા સ્તરેથી અંતિમ મતદાન યાદી થઈ જશે પ્રસિદ્ધ તેવી શક્યતાઓ.. આજે પાંચ વાગ્યે ચૂંટણી આયોગ કરી શકે છે ચૂંટણીની તારીખની જાહેરાત ગુજરાતમાં 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયત માટે ઇલેક્શન થશે તેના માટે ચૂંટણી કમિશને કવાયત હાથ ધરી છે.

Read More

નેત્રંગ શહેરમાં આવેલા બેસ્ટ ટ્યુશન ક્લાસિસ દ્વારા ભવ્ય ઇનામ વિતરણ અને વિદાઈ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. નેત્રંગ શહેરના જૂના અને જાણીતા બેસ્ટ ટ્યુશન ક્લાસિસ દ્વારા ગત તારીખ 29 માર્ચના રોજ ભવ્ય વિદાય સમારોહ અને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓને તેમના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ મેડલ અને ટ્રોફી અર્પણ કરવામાં આવ્યા હતા. જેને કારણે બાળકોમાં આનંદ અને ઉત્સાહની લહેર જોવા મળી હતી. વાલીગણનું પણ ગુલદસ્તા આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની વિશેષતા તરીકે “સર્વધર્મ સમભાવ” ની થીમ હેઠળ નેત્રંગના વિવિધ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોના બાળકો દ્વારા બનાવવામાં આવેલા સુંદર પેઇન્ટિંગનું…

Read More

નિઝર પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો.ગુનાની ગંભીર સમજી પોલીસ તપાસ કરતા ગુનો ઉકેલી નાખી આરોપીઓને જેલમાં ધકેલી દીધા છે. સમગ્ર ઘટના પર નજર કરીએ તો, પોલીસ ઈન્સ્પેક્ટર એમ.ડી.વિટ્ઠલપરાને ખાનગી રીતે બાતમી મળી હતી કે, ખનોરા ગામે ચોરાયેલ સોના ચાંદીના ઘરેણા રૂમકીતળાવ ગામે બે ઈસમો વેચવાની ફિરાકમાં છે. જેથી પોલીસ ઈન્સ્પેક્ટર એમ.ડી. વિટ્ઠલપરા,એમ.આઈ.વસાવા, પોલીસ કોન્સ્ટેબલ મુકેશ સેધાજી તથા અન્ય પોલીસ કર્મચારીઓ ખાનગી વોચ ગોઠવી હતી. આ દરમ્યાન રૂમકીતળાવ બાજુ બે ઈસમ ચાલતા-ચાલતા આવતા હોય જેમની પૂછપરછ કરતા પોતાની પાસે રહેલા સોના-ચાંદીના ઘરેણા ખનોરા ગામે બંધ મકાનમાંથી ચોરી કરી હોવાનું કબૂલ કર્યું હતું. જેથી આરોપી રાજુભાઈ છોટીયાભાઈ…

Read More

સુપ્રીમ કોર્ટે મંગળવારે એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. કે હિન્દુ ધર્મ, શીખ ધર્મ અથવા બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનાર વ્યક્તિને અનુસૂચિત જાતિનો સભ્ય ગણી શકાય નહીં. ન્યાયાધીશ પી.કે. મિશ્રા અને એન.વી. અંજારિયાની બેન્ચે ચુકાદો આપ્યો છે કે બીજા ધર્મમાં ધર્માંતરણ કરવાથી અનુસૂચિત જાતિનો દરજ્જો ગુમાવવો પડે છે. સુપ્રીમ કોર્ટે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના અગાઉના નિર્ણયને સમર્થન આપ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે ખ્રિસ્તી ધર્મ અપનાવનારા અને સક્રિય રીતે તેનું પાલન કરનારાઓ તેમનો અનુસૂચિત જાતિ (SC) દરજ્જો જાળવી રાખી શકતા નથી. લાઈવ લો અનુસાર, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ કલમ 3 માં ઉલ્લેખિત ધર્મ સિવાય અન્ય…

Read More