Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
રિપોર્ટર- નયનેશ દેસાઈ સુબિર: ગાંવદહાડ ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગાંવદહાડ ગામના રહેવાસી ગના કાળુભાઈ હિલીમ પોતાના ઢોર ચરાવવા માટે ગામની સીમ વિસ્તારમાં ગયા હતા. આ દરમિયાન પાણી ભરાયેલા સ્થળ નજીક તેમનો અચાનક પગ લપસી ગયો હતો. પગ લપસતાં તેઓ ઊંડા પાણીમાં પડી ગયા અને ડૂબી જવાથી તેમનું કરૂણ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને શોધખોળ હાથ ધરી હતી. ત્યારબાદ ગનાભાઈને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો…
આમ આદમી પાર્ટી, તાપી જિલ્લાના ઉપપ્રમુખ એડ. જિમ્મી પટેલ દ્વારા ડોલવણ ચાર રસ્તા (NH-56) ખાતે ચોમાસા દરમિયાન ડિમોલિશનની કાર્યવાહી સ્થગિત રાખી ચોમાસા બાદ કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ અનુસૂચિત (પાંચમી અનુસૂચિ) વિસ્તારના સ્થાનિક લોકોના હિતોનું રક્ષણ કરવા અંગે જનહિતમાં રજૂઆત કરવામાં આવી હતી.આ રજૂઆતને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર, તાપીએ અરજી NHAIના પ્રોજેક્ટ ડિરેક્ટરને જરૂરી કાર્યવાહી અને વિચારણા માટે મોકલી છે. એડ. જિમ્મી પટેલે જણાવ્યું કે ચોમાસા દરમિયાન ડિમોલિશનથી સ્થાનિક વેપારીઓ અને આદિવાસી પરિવારોની આજીવિકા પર ગંભીર અસર થઈ શકે છે. તેથી માનવતાના ધોરણે ચોમાસું પૂર્ણ થયા બાદ જ કાયદેસરની પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જનહિતના મુદ્દે…
ખડી ગામના રહેવાસી નવલ બાબલા ભાઈ ગામીતનું કરંટ લાગવાથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક નવલભાઈ બાબલાભાઈ મોટર ચાલુ કરી ખેતરમાં કામ કરી રહ્યા હતા.આ દરમ્યાન મોટરના વાયરથી ખભે અને શરીર પર કરંટ લાગ્યો હતો.કરંટ લાગ્યાની જાણ પરિવાર અને સ્થાનિક લોકોને થતાં તાત્કાલિક હિંદલા ખાતે આવેલા સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડાયા હતા. પરંતુ ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા. આ ઘટનાથી મૃતકના પરિવાર અને સ્થાનિક લોકોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, ચોમાસામાં વાતાવરણમાં ભેજ અને સતત વરસાદના કારણે શોર્ટ સર્કિટ અને કરંટ લાગવાનું જોખમ વધી જાય છે.…
BREKING NEWS તાપી: થાંભલા પરથી એલ્યુમિનીયનો વાયર ચોરનારા ઝડપાયા તાપી LCB અને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ચોરોને ઝડપી લીધા 400 કિલોગ્રામ એલ્યુમિનીયમનો વાયર ચોરી ફરાર હતા શખ્સો ગાંગપુર ગામેથી એલ્યુમિનીયમના વાયરની કરી હતી ચોરી વાયર ચોરનાર તમામ આરોપીઓ રાજસ્થાનના રહેવાસી તાપી LCB અને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ફરી એકવાર અનડીટેક્ટ ગુનો ઉકેલી નાખી આરોપીઓને સકંજામાં લીધા છે. થોડા સમય પહેલા ફરિયાદી મોહમદ અબરાર સોહાબ જેઓ જુનિયર એન્જીનિયર પેટા વિભાગીય કચેરી ડોલવણ નાઓની ફરિયાદ આધારે ડોલવણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) મુજબનો ચોરીનો અનડીટેક્ટ ગુનો રજીસ્ટર થયો હતો. જે ગુનામાં ગાંગપુર ગામની સિમમાં આવેલી વીજપોલ પરથી કોઈ અજાણ્યા…
મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લાના ભૂમ તાલુકામાં કરોડો રૂપિયાનું દૂધ ભેળસેળ કૌભાંડ સામે આવતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ અને સંબંધિત વિભાગોની તપાસ દરમિયાન થયેલા ખુલાસાઓએ દૂધના વ્યવસાયમાં ચાલતી ગંભીર ગેરરીતિઓને ઉજાગર કરી છે. પ્રાથમિક તપાસ મુજબ છેલ્લા છ મહિનામાં અંદાજે 2.3 કરોડ લિટર ભેળસેળયુક્ત દૂધ બજારમાં વેચાયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તપાસમાં સામે આવ્યું છે કે દૂધમાં ફેટનું પ્રમાણ કૃત્રિમ રીતે વધારવા માટે ડિટર્જન્ટ પાવડર, પામ ઓઈલ અને હલકી ગુણવત્તાના દૂધ પાવડરનો ઉપયોગ કરવામાં આવતો હતો. આરોપીઓ દ્વારા દર 100 લિટર શુદ્ધ દૂધમાં લગભગ 10 લિટર કેમિકલયુક્ત કૃત્રિમ દૂધ ભેળવીને બજારમાં સપ્લાય કરવામાં આવતું હતું. આ…
તાપી જિલ્લાના જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ શુક્રવારના રોજ વાલોડ ઘટકના ટોકરવા તથા દેલવાડા-૨ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઈ વિવિધ સેવાઓ અને યોજનાઓની કામગીરીનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન કલેક્ટરએ દૂધ સંજીવની યોજના તથા પોષણ સુધા યોજના હેઠળ લાભાર્થીઓને નિયમિતપણે આપવામાં આવતા લાભોની ચકાસણી કરી હતી. યોજનાના લાભાર્થીઓના રેકોર્ડ અને ફોટોગ્રાફનું વેરિફિકેશન કરી નોંધોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રોમાં મેનુ મુજબ બાળકોને આપવામાં આવતા નાસ્તાની ગુણવત્તાની તપાસ કરવામાં આવી હતી. કેન્દ્રમાં ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓનું પણ નિરીક્ષણ કરી જરૂરી સુધારા માટે સંબંધિતોને સૂચનો આપવામાં આવ્યા હતા. કલેક્ટરએ વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો (સ્પેશિયલ ચાઈલ્ડ કેર)ની યોગ્ય સંભાળ, પોષણ…
વિયેતનામમાં ફરવા ગયેલા ભારતીયોને લઈ જતી બોટ ઊંધી વળતાં અનેક ભારતીયનાં મોત થયાં હતાં. આ ભયંકર અકસ્માતથી ભારતીય સહેલાણીઓ હતપ્રભ થઈ ગયા હતા. અંહી એક હોડી ઊંધી વળતા ભારતના પંદર સહેલાણી મરણ પાંમ્યાં હતા. એવો અહેવાલ સ્થાનિક માધ્યમોએ આપ્યો હતો. આ સ્પીડબોટમાં 32 ભારતીય સહેલાણી અને હોડીના ચાર કર્મચારી હતા. વિયેતનામના સૌથી મોટા ટાપુ ફૂ ક્વોટના સમુદ્રતટથી દૂરના થોઈ આર્ચીપેલાગોના ટાપૂ મે રુટ નગોઈથી 400 મીટર દૂર હોડી ઊંધી વળી હતી. જેમાં આંધ્રપ્રદેશના બે જણ માર્યાં ગયાં છે અને બીજા ત્રણને હોસ્પિટલમાં દાખલ કર્યાં હતા. તેલંગણાના માછલીપટનમના બે જણ મરણ પામ્યાં છે. હકીકતમાં વિયેતનામ સ્થિત થ્રીલેન્ડ ટ્રાવેલએ સ્થાનિક વેન્ડર સાઈ…
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના હલગામ પાડી અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની સરહદે આવેલા જંગલ જમીન વિસ્તારમાં વિવાદ વધુ ઘેરો બન્યો છે. વન વિભાગ દ્વારા વિવાદિત વિસ્તારમાં બોર્ડર ટ્રેન્ચ બનાવવામાં આવતા સ્થાનિક આદિવાસી ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી જંગલ જમીનના હકોને લઈને વન વિભાગ અને સ્થાનિક ખેડૂતો વચ્ચે તણાવની સ્થિતિ યથાવત છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓ વર્ષોથી ખેતી કરતા આવ્યા છે, છતાં તેમની રજૂઆતોને યોગ્ય મહત્વ આપવામાં આવતું નથી અને હવે બોર્ડર ટ્રેન્ચ બનાવી તેમના આવાગમન અને ખેતીના હકો પર અસર થઈ રહી છે. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે તેઓ કોઈ અથડામણ નહીં, પરંતુ કાયદેસર…
જૂનાગઢના ગિરનાર પર્વત પરથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગિરનારની યાત્રા માટે પરિવાર સાથે આવેલા એક માસૂમ બાળક પર સાવજે જીવલેણ હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ મહેમદાવાદનો એક પરિવાર વહેલી સવારે ગિરનારની યાત્રા કરવા માટે પગથિયાં ચઢી રહ્યો હતો. તે દરમિયાન અચાનક જંગલ તરફથી આવેલા સાવજે પરિવારની વચ્ચે રહેલા બાળક પર હુમલો કર્યો અને તેને ખેંચીને જંગલ તરફ લઈ ગયો. ઘટના એટલી ઝડપથી બની કે પરિવારના સભ્યોને બાળકને બચાવવાની કોઈ તક જ મળી નહોતી. પરિવારની ચીસો અને બૂમાબૂમ છતાં સાવજ બાળકને લઈને જંગલમાં ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ…
નસવાડી તાલુકાના કુમેઠા ગામે ધોરણ 1 થી 5 ની પ્રાથમિક શાળા આવેલી છે અને જેમાં 20 જેટલાં બાળકો અભ્યાસ કરે છે અને શાળામાં એક જ શિક્ષક છે જયારે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી બાદ આદિવાસી વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો ના આવતા હોવાની ફરિયાદ જિલ્લા પંચાયત સભ્યને મળતા કુકરદા જિલ્લા પંચાયત સભ્યના પતિ રસિકભાઈ ડૂભીલ તેમજ ગ્રામજનો બુધવારના રોજ કુમેંઠા પ્રાથમિક શાળામાં રાહ જોઈને બપોરના 12 વાગ્યાં સુધી શાળાએ બેસી રહેતા 12 વાગે શાળાએ શિક્ષક આવતા શિક્ષકે વરસાદનુ બહાનું કાઢ્યું હતું જયારે ગ્રામજનો શિક્ષકને હરરોજ તમે મોડા આવો છે અને બપોરે જતા રહો છો અમારા બાળકોને કોણ ભણાવશે તેવા સવાલો…
