Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
ભારે વરસાદ અને પવનના કારણે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આવેલા મોરંબા-તોરંદા મુખ્ય માર્ગ પર એક વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેસીબી (JCB) અને સાધનોની મદદથી રસ્તા પર આડું પડેલું વૃક્ષ અને કાટમાળ ઝડપથી દૂર કરીને રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો. કામગીરી પૂર્ણ થયા બાદ ટેકનિકલ સ્ટાફ દ્વારા સ્થળ પર રૂબરૂ તપાસ કરીને માર્ગ સુરક્ષિત હોવાની ખાતરી કરવામાં આવી હતી, જેના પગલે વાહનચાલકો અને સ્થાનિક રાહદારીઓએ મોટી રાહત અનુભવી છે. નોંધનીય છે કે, જિલ્લા કલેકટર દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કુકરમુંડા…
સોનગઢ પોલીસ સ્ટેશનના મહિલા PSI પર નિર્દોષ મહિલાને મારવાનો આરોપ લાગતા હાહાકાર મચી ગયો છે. હાહાકાર એટલા માટે કહી શકાય કારણ કે, ભોગ બનનાર મહિલાને સોનગઢમાં સારવાર બાદ વધુ સારવાર માટે 108 મારફતે વ્યારા રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોનગઢ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇએ સોનગઢ શહેરના બાપા સીતારામમાં રહેતી મહિલાને ઢોર માર મારતા પ્રથમ વખત મહિલાને સોનગઢની રેફરલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે 108 મારફતે વ્યારાની રેફરલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવી હતી.પોલીસ એમ તો હંમેશા સમાજના અને નિર્દોષ લોકોના રક્ષણ માટે હોય છે.પરંતુ ક્યારેક એવા કિસ્સાઓ સામે આવે છે જેમાં એક પોલીસકર્મીના…
પૂર્વ વનમંત્રી મોહનસિંહ છોટુભાઈ રાઠવાનું દુઃખદ અવસાન છોટાઉદેપુરના દિગ્ગજ આદિવાસી નેતા, ગુજરાતના પૂર્વ વનમંત્રી અને ૧૦ વખતના ધારાસભ્ય મોહનસિંહ છોટુભાઈ રાઠવાનું ૮૨ વર્ષની વયે લાંબી બીમારી બાદ નિધન થયું છે. આદિવાસી સમાજ અને રાજકીય જગતમાં શોકની લહેર છવાઈ ગઈ છે. છોટાઉદેપુર માટે તેમનું અવસાન અપૂર્ણીય ખોટ છે. તેમના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા હાલ છોટાઉદેપુર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે. મોહનસિંહ રાઠવાનો જન્મ ૪ એપ્રિલ ૧૯૪૪ના રોજ પાવી જેતપુર તાલુકાના બાર ગામે એક સામાન્ય ગરીબ કુટુંબમાં છોટુભાઈ રાઠવા અને સંજુબેનના ઘરે થયો હતો. માતા-પિતાની મહેનતથી તેઓ અભ્યાસમાં તેજસ્વી સાબિત થયા. તેમણે ૧૯૬૪માં ગુજરાત માધ્યમિક શાળામાંથી SSC (૧૦મું પાસ) પૂર્ણ કર્યું. અભ્યાસ પછી તેઓ…
ફરી એકવાર ગુજરાત ATS દ્વારા ખૂબ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ વખતે ગુજરાત એટીએસની ટીમે ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી આઠ આતંકવાદીઓને ઝડપી લીધા છે. અને સમગ્ર આતંકી પ્રવૃતિઓનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા આતંકવાદીઓ ગુજરાતમાં નેટવર્ક સક્રિય કરવાની ફિરાકમાં હતા. પરંતુ નેટવર્ક સક્રિય કરે તે પહેલા દેશના દુશ્મનેને ATS દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. ATSના સકંજામાં આવેલા આતંકવાદીઓ જૈશ-એ મોહમ્મદના સંગઠન સાથે સંકયેલા હોવાનું માનવમાં આવી રહ્યું છે. પકડાયેલા આતંકીઓમાં અહમદ અબ્દુલ્લા ગાજીવાળા, ઇબ્રાહિમ મોહમ્મદ હુસેન ઘાઘા, મુદસ્સિર અબ્દુલ્લા ગાજીવાલા, ઝકારિયા દુરાની, મુફ્તિ ફૌજાન, મોહમ્મદ અમીન શેરા, મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવડી અને બિલાલ મોહમ્મદનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં વરસાદી માહોલ જોરદાર બનવાની આગાહી સાથે મેઘરાજાએ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદની તૈયારી શરૂ કરી દીધી છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપેલી આગાહી અનુસાર, ૪ અને ૫ જુલાઈના રોજ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ બંને મહાનગરોમાં વરસાદની તીવ્રતા એટલી વધુ હોઈ શકે કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ શકે છે. જેના કારણે વાહનવ્યવહાર અને રોજિંદા જીવન પર તેની અસર પડવાની શક્યતા છે. ગુજરાતના આ જિલ્લાઓ ધોધમાર વરસાદની આગાહી અંબાલાલ પટેલની આગાહી મુજબ વડોદરા, ભરૂચ, મહીસાગર અને સુરત જિલ્લામાં પણ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધુ હોઈ શકે…
ફોરેસ્ટ કર્મી પર હુમલાના કેસમાં દોષિત ઠરાવવામાં આવેલા ચૈતર વસાવા સહિત આઠ આરોપીઓમાંથી શકુંતલા વસાવાને ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ રાહત આપતાં નિયમિત જામીન મંજૂર કર્યા છે. રાજપીપલા સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને સાત વર્ષની સજા ફટકાર્યા બાદ શકુંતલા વસાવાને પણ જેલમાં મોકલવામાં આવ્યા હતા. જોકે, તેઓ પોતાની માત્ર 18 દિવસની બાળકી સાથે જેલમાં ગયા હોવાથી મામલો માનવીય સંવેદનાઓ સાથે જોડાયેલો હતો. જામીન અરજીની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે માનવીય અભિગમ દાખવ્યો હતો અને શકુંતલા વસાવાની જામીન અરજીનો વિરોધ કર્યો નહોતો. સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે આરોપી પાસે નવજાત બાળકીની જવાબદારી હોવાથી આ કેસમાં માનવતાના આધારે રાહત આપી શકાય. આ દલીલને ધ્યાનમાં…
તાપી જિલ્લા પોલીસના નિઝર ડિવિઝન દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત 16 મોબાઇલ ફોન, 1 ઇલેક્ટ્રિક મોટર, 5 મોટરસાયકલ, 4 ફોરવ્હીલર, 1 રિક્ષા, ચાંદીના ઘરેણાં, 1 પ્રિન્ટર, 50 કિલો તુવેર તથા રૂ. 5.58 લાખ રોકડ સહિત કુલ રૂ. આશરે 31 લાખથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત અર્પણ કરવામાં આવ્યો. તાપીના નિઝર ડિવિઝન દ્વારા “તેરાતુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત વિવિધ મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત આપવામાં આવ્યો હતો. નિઝર ડિવિઝન, જિલ્લા તાપી અંતર્ગત સોનગઢ, ઉકાઈ, ઉચ્છલ, નિઝર તથા કુકરમુંડા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા વિવિધ ગુનાઓ અને અરજીઓની તપાસ દરમિયાન ચોરી થયેલો, ગુમ થયેલો અથવા કાયદેસરની કાર્યવાહી દરમિયાન કબજે કરાયેલા મુદ્દામાલ તપાસ પૂર્ણ થયા…
સોનગઢ નગરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્ટ કરતું ટ્રેક્ટર ખૂદ આરોગ્ય સમિતિના અધ્યક્ષે સોનગઢ નગરપાલિકાને કલાક પર ભાડે આપ્યું હોવાની ચર્ચા સમગ્ર સોનગઢ નગરમાં ચાલી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ટ્રેક્ટર માત્ર ત્રણ કલાક કચરો ઉઘરાવે અને ભાડું આઠ કલાકનું લેવાતું હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યો છે. નગરપાલિકાના પૈસે ડીઝલ પુરાવી ટ્રેક્ટર દ્વારા બપોર પછી પ્રાઇવેટ ભાડાના ફેરા પણ મારવામાં આવતા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. સોનગઢ નગરના લોકોના વેરાના પૈસા જો આ રીતે નગરપાલિકાના કોર્પોરેટરો આડેધડ વાપરશો તો નગરપાલિકા દેવામાં ડૂબી જશે એ વાત નક્કી છે. મહત્વનું છે કે, સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ રહેલા ટ્રેક્ટરને…
સોનગઢ નગરપાલિકા દ્વારા હાલમાં ખાડી સફાઈ અભિયાન ચાલી રહ્યું હતું.જેમાં સોનગઢ નગરપાલિકા વોર્ડ નંબર સાતમાં બીજા વોર્ડથી જંમ્પ કરીને આવેલા એક કોર્પોરેટરે કોન્ટ્રાક્ટર પાસે એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેમાંથી 80,000 રૂપિયા લીધા હોવાના પાકા પુરાવા સામે આવ્યા છે. ખાડી સફાઈની કામગીરીમાં ભ્રષ્ટાચાર કરનાર કોર્પોરેટરને સસ્પેન્ડ કરવામાં આવશે કે કેમ તેને લઈ અનેક સાવલો ઉઠી રહ્યા છે. સતત વિકાસના પંથે આગળ વધી રહેલી સોનગઢ નગરપાલિકામાં સ્વિમિંગ પૂલનું કામ હોય, પાણીની ટાંકીનું કામ હોય, રોડ રસ્તાનું કામ હોય કે સ્વચ્છતાનું કામ હોય, દરેક કામ હાલમાં આવેલી નવી બોડીના પ્રમુખ કારોબારી અધ્યક્ષ ઉપપ્રમુખ અને બાંધકામ સમિતિના અધ્યક્ષ સારી રીતે કરી રહ્યા…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તેમજ રાજ્ય મંત્રી પી.સી. બરંડાના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર રાજ્યની સમૃદ્ધ આદિજાતિ સંસ્કૃતિ અને લોકવારસાના સંરક્ષણ માટે સતત પ્રયત્નશીલ છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલા રૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી-SoU ઓથોરિટી અને ગુજરાત ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટી-GTRTS વચ્ચે સમજૂતી કરાર કરવામાં આવ્યો છે. આ સમજૂતી કરારના અમલીકરણથી વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર ખાતે પ્રતિમાસ બે શનિવારે ગુજરાતના વિવિધ જિલ્લાઓના આદિજાતિ કલાકારો દ્વારા કુલ ૧૪ પરંપરાગત આદિવાસી નૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવશે. જેમાં રાઠવા નૃત્ય – છોટાઉદેપુર, ગેર નૃત્ય – છોટાઉદેપુર, મેવાસી નૃત્ય – છોટાઉદેપુર,…
