Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

નસવાડી પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ ગોહિલ સાહેબની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ મીટીંગ યોજાઈ હતી, જેમાં શહેરના નાના વેપારીઓ, લારી-ગલ્લાવાળાઓ અને સ્થાનિક નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મીટીંગ દરમિયાન પીએસઆઈ ગોહિલે જણાવ્યું હતું કેટલાક વ્યાજખોરો ગેરકાયદેસર રીતે નાના વેપારીઓને હેરાન કરે છે અને વધુ વ્યાજ વસૂલ કરે છે. આવા બનાવોમાં ગભરાવાની જરૂર નથી, પરંતુ કાયદેસર રીતે પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ. તેમણે ખાતરી આપી કે પોલીસ દરેક પીડિતની સાથે છે અને ફરિયાદ કરનારને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવશે. ખાસ કરીને 15-03-2026થી અમલમાં આવેલા નવા નિયમો અંગે પણ માહિતી આપવામાં આવી, જેનો હેતુ વ્યાજખોરોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવાનો અને પીડિતોને વધુ સુરક્ષા આપવા છે. આ અભિયાનથી નાના…

Read More

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે AAP પાર્ટીએ ઉમેદવાર કર્યા જાહેર..ચૂંટણીની જાહેરાત પહેલાં જ AAPએ ઉમેદવારોની યાદી કરી જાહેર..AAPની પ્રથમ યાદીમાં 460 ઉમેદવારોના નામ સામેલ કરવામાં આવ્યા છે.તાલુકા અને જિલ્લા પંચાયત માટે ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી..પાલિકા અને મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી તૈયાર..સ્કિનિંગ કમિટી, કેન્દ્રીય નેતૃત્વની સહમતિથી નિર્ણય લેવામાં આવ્યો.અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ દરમિયાન બીજી યાદી થશે જાહેર. જાહેર થયેલા ઉમેદવારોનું લિસ્ટ:-

Read More

ગુજરાતમાં UCC બિલને કેબિનેટમાં મંજરી આપી દેવામાં આવી છે. ગુજરાત UCC બિલમાં ઉત્તરાખંડ જેવી પેટર્ન જોવા મળી..24 માર્ચે વિધાનસભામાં રજૂ થશે UCC બિલ. અંદાજે કુલ 209 પાનનું UCC 2026 બિલ લાવશે ગુજરાત સરકાર..UCC બિલ કુલ 4 ભાગમાં તૈયાર કરવામાં આવ્યું..ભાગ-1 અને ભાગ-2માં કુલ 7 પ્રકરણ નક્કી કરવામાં આવ્યા છે.ભાગ-3માં લિવ-ઇન રિલેશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતમાં રહેતા અને ગુજરાત બહાર રહેતા પરંતુ ગુજરાતના રહેવાસીઓ પર લાગુ થશે UCC બિલ. લગ્ન નોંધણીની પ્રક્રિયા ફરજિયાત:- UCC બિલમાં જણાલ્યા પ્રમાણે લગ્ન નોંધણીની પ્રક્રિયા ફરજિયાત બનાવવામાં આવી છે. રાજ્યમાં કોઈપણ લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.લગ્ન નોંધણી માટે પણ ચોક્કસ કાર્યરીતિ નક્કી કરવામાં આવી…

Read More

સોનગઢ તાલુકાના આમથવા ગામે સરપંચ અર્જુનભાઈ ગામીતના સતત પ્રયત્નોથી નવી બસ સેવા શરૂ કરવામાં આવી..લાંબા સમયથી ગામલોકોની આવાગમનની સમસ્યા દૂર કરવા માટે કરવામાં આવેલા પ્રયત્નો હવે સફળ રહ્યા છે. બસ સેવાની શરૂઆત આદિવાસી પરંપરા મુજબ પૂજાવિધિ કરીને કરવામાં આવી હતી. ગામના વડીલો અને આગેવાનો દ્વારા શુભ મુહૂર્તમાં પૂજા કરી બસ સેવાનું પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેના કારણે ગામમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે સરપંચએ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) તથા રાજ્ય સરકારનો આ મહત્વપૂર્ણ સેવા શરૂ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને ગામના વિકાસ માટે સતત સહકાર આપવા આશા વ્યક્ત કરી હતી. સોનગઢથી બસ…

Read More

ચિરાગ ગુપ્તા, છોટાઉદેપુર ઉનાળાની શરૂઆતની સાથે જ ગરમીનો પ્રકોપ ધીમે ધીમે રાજ્યમાં વધી રહ્યો છે. લોકો ઠંડા પાણી માટે ફ્રિજ, વોટર કુલર જેવી વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. ત્યારે ગરીબોના ફ્રિજ ગણાતા માટીના માટલાની પણ માંગ વધવા લાગી છે. બોડેલી નજીક હાલોલ રોડ પર માટલાનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને માટીના માટલામાં રાખેલું પાણી સ્વાભાવિક રીતે ઠંડુ રહેતું હોવાથી ગ્રામ્ય તેમજ શહેરના લોકોમાં તેની માંગ વધતી જોવા મળી રહી છે. બીજી તરફ ફ્રિજ ખરીદવાની સગવડ ન હોય તેવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે માટલું આજેય ‘ગરીબોનું ફ્રિજ’ તરીકે ઓળખાય છે. ખાંડીવાવ ગામ પાસે હાઇવે કિનારે બેઠેલા…

Read More

ભરૂચ જિલ્લાના મોટાજામુડા ગામે તારીખ 28/02/26ના રોજ મૃતક હસુમતીબેન રસિકભાઈ જેઓ ઘાસ કાપવાને અર્થે ત્રણ વાગ્યાંની આસપાસ ઘરેથી નીકળ્યા ગયા હતા. અને ખેતરેથી પાછા ઘરે ન આવતાં ઘરના પરિવારે શોધ ખોળ હાથ ધરી હતી. પરંતુ હસુમતીબેન ન મળતા તેમણે ગામના સરપંચને અને ગામમાં જાણ કારતા આખું ગામ જેમાં બાળકો, જુવાનો, વડીલો તેમજ સગાંવહાલાંઓ છેલ્લા 15 દિવસથી હસુમતીબેનની શોધખોળમાં લાગી ગયા હતા. પરંતુ પંદર દિવસ વિતવા છતાં પણ હસુમતીબેન ન મળતા છેવટે પરિવારે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. બાદમાં પોલીસ અને ગામના લોકોએ સાથે મળીને શોધખોળ હાથ ધરી હતી. આ બધાં વચ્ચે નેત્રંગ તાલુકાની પોલીસ દ્વારા નાના જમુડાનાની ઝવેરી ફાર્મની સિમમાં…

Read More

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ સતર્ક બની છે, ત્યારે છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચે પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના ટવા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. રેનોલ્ટ ડસ્ટર ગાડીમાં લઈ જવાતો દારૂ અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ ₹૬,૬૧,૦૫૫નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંઘ અને છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ઇમ્તીયાઝ શેખની સૂચના મુજબ, પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે LCB ઇન્સ્પેક્ટર એમ.એફ. ડામોરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, સફેદ રંગની રેનોલ્ટ ડસ્ટર (નંબર: GJ-16-BK-2496) માં ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ટવા…

Read More

પાટનગર ગાંધીનગરમાં અત્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર દરમ્યાન કેટલાક આદિવાસી સમાજના નેતાઓ ચૂપચાપ બેસી રહેતા હોવાની લોક ચર્ચા આદિવાસી સમાજમાં ચાલી રહી છે. સમાજના નેતાઓ પાસે લોકોને એવી અપેક્ષા હોય છે. કે પ્રજાએ ચૂટેલા ધારાસભ્ય, નેતાઓ સમાજના વિવિધ પ્રશ્નો અંગે વિધાનસભા સત્રમાં ચર્ચા કરે અથવા રજૂઆત કરે પરંતુ તેવું થતું ન હોવાની ચર્ચાએ આદિવાસી સમાજમાં જોર પકડ્યો છે. ગુજરાતમાં 27 આદિવાસી અનામત બેઠકો હોવા છતાં વિધાનસભા સત્રમાં આદિવાસી સમાજના નેતાઓનો અવાજ નીકળતો નથી. સમાજના કેટલાક નેતાઓ જેમ કે ચૈતર વસાવા વારંવાર આદિવાસીઓના મુદ્દાઓ ઉઠાવે છે, જેમાં પડતર પ્રશ્નો હોય કે પછી વિકાસના પ્રશ્નો અંગે અવાજ ઉઠાવે છે.…

Read More

રિપોર્ટર ચિરાગ ગુપ્તા, છોટાઉદેપુર છોટાઉદેપુરના બોડેલી પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામી દેવા માટે એક મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. પોલીસ દ્વારા શાકભાજીના જથ્થાની આડમાં લઈ જવાતો રૂપિયા ૪૨.૮૩ લાખથી વધુની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંઘ અને છોટાઉદેપુર પોલીસ અધિક્ષક આઈ.જી.શેખની સૂચના હેઠળ પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન, બોડેલી પોલીસ ઇન્સ્પેક્ટર વિ.એસ.ગાવિતને મળેલી ચોક્કસ બાતમીના આધારે ​મેરીયા પુલ પાસે ગોઠવાયેલી નાકાબંધી દરમિયાન, મધ્યપ્રદેશથી વડોદરા તરફ જતી એક સફેદ કલરની ટાટા અલ્ટ્રા ટ્રક નંબર: HP-93-A-8193ને રોકી તપાસ કરવામાં આવી હતી. જેમાં ટ્રકમાં ઉપરના ભાગે કોબીજ અને અન્ય શાકભાજી ભરેલી હતી, પરંતુ તેની નીચે છુપાવેલા ખાખી…

Read More

નસવાડી તાલુકાના સેવાસદન ખાતે ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સરકારી યોજનાઓ તથા સેવાઓનો લાભ મેળવ્યો હતો. સેવાસેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારની વિવિધ સેવાઓ અને યોજનાઓ લોકોને નજીકથી અને સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. કાર્યક્રમ દરમિયાન આવકનો દાખલો, જાતિનો દાખલો, રહેઠાણનો દાખલો, આધાર કાર્ડ સંબંધિત સેવાઓ, રેશનકાર્ડના કામકાજ, પેન્શન યોજનાઓ માટે અરજી તેમજ વિવિધ સરકારી સહાય યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલુકા કચેરી, ગ્રામ વિકાસ, સામાજિક ન્યાય, પુરવઠા વિભાગ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને ગ્રામજનોની અરજીઓ સ્વીકારી સ્થળ…

Read More