Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

ઈરાન-અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સારા સમાચાર સામે આવ્યા છે. ઈરાને બે ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત પસાર થવા દીધા છે. આ જહાજો બુધવાર રાતથી ગુરુવાર સવાર સુધી અવરજવર કરી રહ્યા છે. ભારતમાં વધતી જતી તેલની અછત વચ્ચે આ એક મોટી રાહત છે, કારણ કે યુદ્ધ શરૂ થયા પછી મોટાભાગના જહાજો ત્યાં ફસાયેલા છે, અને ટ્રાફિક લગભગ બંધ થઈ ગયો છે. આ બે જહાજોને મુક્ત કરવાથી ભારતમાં તેલની અછત અમુક અંશે દૂર થશે. નોંધનીય છે કે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી સાથે ટેલીફોનિક વાત કરી હતી. ઈરાનનું હોર્મુઝ સ્ટ્રેટનું નિયંત્રણ મીડિયા અહેવાલો અનુસાર, ઈરાને બે ભારતીય…

Read More

તાપી જિલ્લાના ઉચ્છલ-નિઝર હાઈવે પર બે બાઈક સામ-સામે અથડતા બે લોકોના કરૂણ મોત થયા હોવાની ઘટના સામે આવી છે. અકસ્માની ઘટના ઉચ્છલ-નિઝર હાઈવે પર નિઝર ગામના સીમ વિસ્તારમાં બની હતી. ઘટનામાં અનિકેત રેહમતસિંગ વસાવે તથા અભિજીત મંગલસિંહ વસાવેના મોત થયા હતા. આ બંને શખ્સ કુકરમુંડાના ગંગથા ગામના રહેવાસી હતા. ઘટનામાં એક યુવક એટલે કે પિયુષ રાજુભાઈ વળવીને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ધોરણની 12ની પરીક્ષા આપવા ગયા હતા યુવકો:- આ ઘટનમાં મરણ જનાર અનિકેત રેહમતસિંહ વસાવે, થતા તેનો મિત્ર અભિજીતભાઈ મંગલસિંગ વસાવે તથા પિયુષભાઈ રાજુભાઈ વળવી ધોરણ-12ની પરીક્ષા આપીને ત્રણેય જણા સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર MH-39-E-8660…

Read More

ધોમધખતા તાપમાં સ્વજનોએ એક કિમી ખેતર અને ડુંગરા ઓળંગવા પડ્યા, પહેલા પ્રાઈવેટ વાહન પછી 108માં મહિલાને હોસ્પિટલ ખસેડાઈ હતી. છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં આઝાદીના દાયકાઓ પછી પણ પાકા રસ્તાના અભાવે પ્રજાની હાલાકી યથાવત છે. નસવાડી તાલુકાના નલિયાબારી ગામમાં રસ્તો ન હોવાથી એક ગર્ભવતી મહિલાને હોસ્પિટલ પહોંચાડવા માટે પરિવારજનોએ તેને કાપડની ઝોળીમાં ઊંચકીને 1 કિમી સુધી ચાલવું પડ્યું હતું. સદનસીબે, સમયસર સારવાર મળતા મહિલાએ બાળકીને જન્મ આપ્યો છે. કુંડાની સગર્ભાને પ્રસૂતિની પીડા ઉપડી:- નસવાડી તાલુકાના કુંડા ગામના નલિયાબારી ફળિયામાં રહેતા જીવલીબેન ભીલને સવારે 9:00 વાગ્યે પ્રસૂતિની પીડા ઉપડી હતી. ગામમાં પાકો રસ્તો ન હોવાથી એમ્બ્યુલન્સ આવી શકે તેમ નહોતી.…

Read More

છોટાઉદેપુરમાં જિલ્લા ભારતીય જનતા પાર્ટીની બૃહદ સંકલન બેઠક મળી હતી. મહત્વની આ બેઠકમાં સંગઠન પ્રભારી હિમત પઢશાળાના અધ્યક્ષપણા હેઠળ યોજાઈ હતી. મીટિંગની અંદર જિલ્લાના આમંત્રિત સભ્યો, જિલ્લાના હોદ્દેદારો, જિલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, જિલ્લાના કારોબારી સભ્યો આ તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લામાં કઈ રીતે મજબૂત થાય તેના વિશે વિચાર-વિમર્શ કર્યો હતો. સાથે જ તાલુકા-જિલ્લા પંચાયતમાં ૩૨માંથી ૩૨ બેઠકો જીતવાનો છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ કર્યો હતો.

Read More

લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર શખ્સને તાપી SOG દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારની ગુપ્ત માહીતીના આધારે ઉચ્છલના કુઈદાગામમાંથી એક બોગસ ડૉક્ટર એટલે કે, આરોપી સચિનભાઈ નગીનભાઈ પાટીલને ઝડપી લેવામાં આવ્યો છે. આ ભેજાબાજ શખ્સ ગેરકાયદેસરના અધિકાર વગર મેડીકલ પ્રેક્ટીસ કરતો અને આજુબાજુના ગામમાંથી આવતા બીમાર દર્દીઓને એલોપેથિક દવાઓ આપી સારવાર કરતો હોવાની બામતી મળી હતી. ચોક્કસ માહિતીના આધારે બાતમી વાળીએ જગ્યાએ તપાસ કરતા આરોપી SOGના સકંજામાં આવી ગયો હતો. પકડાયેલા શખ્સ પાસેથી અંદાજે 34,032નો મુદ્દામાલ જપ્ત કરી ઉચ્છલ પોલીસે BNSની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તાપી જિલ્લામાં આવા બોગસ ડૉક્ટરો છેલ્લાં કેટલાક…

Read More

ચિરાગ ગુપ્તા, છોટાઉદેપુર નસવાડી તાલુકાના બોરવાણીગામેથી શિક્ષણ જગતને શરમાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. સરકાર ભલે કરોડોના બજેટ અને વિકાસની વાતો કરે, પણ અહીંની પ્રાથમિક શાળાઓમાં બાળકો શિક્ષકો વગર ‘રામ ભરોસે’ ભણી રહ્યા છે. કારણે કે, નસવાડીના બોરવાણી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫ના બાળકો ભણે છે. અહીંની વાસ્તવિકતા એ છે કે શાળામાં એક પણ શિક્ષક હાજર નથી. શાળામાં શિક્ષકો સમયસર હાજર ન રહેતા બાળકો પણ સ્કૂલમાં ટકીને એક જગ્યાએ બેસતા નથી. શિક્ષક હાજર ન રહેતા અનેક સવાલો ? શિક્ષકોનો અભાવ:- બોરવાણીપ્રાથમિક શાળામાં એક પણ શિક્ષક કાર્યરત ન હોવાથી બાળકોના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે. તંત્રની નિષ્ફળતા:-…

Read More

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદના વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ન્યુઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ મેચમાં, ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 255 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. લક્ષ્યનો પીછો કરતા, ન્યુઝીલેન્ડ 20 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને માત્ર 159 રન જ બનાવી શક્યું હતું, અને ભારતે સરળતાથી 96 રનથી મેચ જીતી લીધી હતી. આ જીત સાથે, ભારતે ઇતિહાસ રચ્યો. ટીમ ઇન્ડિયા સતત બીજી વખત T20 વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ટીમ બની…

Read More

ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે કાર્યરત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ૮મી માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૨૬ ના રોજ પોતાના સફળ સેવાના ૧૨ વર્ષ પૂર્ણ કર્યા છે. આજે રાજ્યની લાખો મહિલાઓ માટે ૧૮૧ અભયમ સંકટ સમયની સાચી સખી સાબિત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ આ હેલ્પલાઈન ગુજરાતની નારીને ‘અભય’ બનાવવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. ​તાપી જિલ્લામાં ૧૮૧ ‘અભયમ’ ટીમે છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન પ્રશંસનીય કામગીરી કરી છે. જિલ્લાના આંકડાઓ પર નજર કરીએ તો, અત્યાર સુધીમાં કુલ ૨૧૧૩૭ જેટલા કિસ્સાઓમાં મહિલાઓને જરૂરી સલાહ-સૂચન અને માર્ગદર્શન પૂરું પાડી સુરક્ષા પૂરી…

Read More

તાપી ક્રાઈમ બ્રાન્ચે હ્યુંડાઈ ક્રેડા કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સો સહિત કુલ 12,36,144નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ રાહુલને ખાનગી રીતે બાતમી મળી હતી કે, સોનગઢ ફાટા ત્રણ રસ્તા તરફથી એક સફેદ કલરની ક્રેડા જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-06-JM-1191માં ઈગ્લિંશ દારૂનો જથ્થો ભરીને સોનગઢ તરફ આવે છે. તેવી ચોક્સ બાતમીના આધારે હિંદલાથી સોનગઢ તરફ જવાના રોડ ઉપર જામખડી ગામની સીમમાં સ્વામીનારાયણ મંદિરની સામે નાકાબંધી કરી હતી. આ દરમ્યાન હિંદલા તરફથી બાતમી અને હકીકતવાળી સફેદ કલરની ક્રેડા ગાડી આવતા તેનો રોકી ચેક કરતા કારના પાછળના ભાગે ઈગ્લિંશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ પકડમાં આવેલા આરોપીઓ:-…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત@2047ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવા માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં આદિજાતિ વિસ્તારોને વિકાસની લીડ લેવા પ્રેરક આહવાન કર્યું છે.મુખ્યમંત્રીએ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ઉમરપાડા અને નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ૭૩ આદિજાતિ ગામોની ૫૩,૭૫૦ એકર જમીનને સિંચાઈ સુવિધા આપતી તાપી-કરજણ લિંક પાઇપલાઇન ઉદવહન સિંચાઈ યોજનાના લોકાર્પણ પ્રસંગે આ આહવાન કર્યું હતું. ઉકાઈ જળાશય યોજના આધારિત આ ઉદવહન સિંચાઈ યોજના રૂ.૬૫૧.૦૮ કરોડના ખર્ચે નિર્માણ થઈ છે તેના લોકાર્પણ સાથે મુખ્યમંત્રીશ્રીએ રૂ. ૨૦૮.૫૧ કરોડના ખર્ચે થનારા આ યોજનાના એક્સટેન્શન કાર્યનું ભૂમિપૂજન પણ ઈ-તકતી અનાવરણથી કર્યું હતું. આ એક્સટેન્શન યોજના પૂર્ણ થવાથી ઉમરપાડા તાલુકાના ૨૯ ગામોની ૧૯,૧૪૧…

Read More