Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
ભરૂચ જિલ્લાના મોટાજામુડા ગામે તારીખ 28/02/26ના રોજ મૃતક હસુમતીબેન રસિકભાઈ જેઓ ઘાસ કાપવાને અર્થે ત્રણ વાગ્યાંની આસપાસ ઘરેથી નીકળ્યા ગયા હતા. અને ખેતરેથી પાછા ઘરે ન આવતાં ઘરના પરિવારે શોધ ખોળ હાથ ધરી હતી. પરંતુ હસુમતીબેન ન મળતા તેમણે ગામના સરપંચને અને ગામમાં જાણ કારતા આખું ગામ જેમાં બાળકો, જુવાનો, વડીલો તેમજ સગાંવહાલાંઓ છેલ્લા 15 દિવસથી હસુમતીબેનની શોધખોળમાં લાગી ગયા હતા. પરંતુ પંદર દિવસ વિતવા છતાં પણ હસુમતીબેન ન મળતા છેવટે પરિવારે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. બાદમાં પોલીસ અને ગામના લોકોએ સાથે મળીને શોધખોળ હાથ ધરી હતી. આ બધાં વચ્ચે નેત્રંગ તાલુકાની પોલીસ દ્વારા નાના જમુડાનાની ઝવેરી ફાર્મની સિમમાં…
ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ સતર્ક બની છે, ત્યારે છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચે પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના ટવા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. રેનોલ્ટ ડસ્ટર ગાડીમાં લઈ જવાતો દારૂ અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ ₹૬,૬૧,૦૫૫નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંઘ અને છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ઇમ્તીયાઝ શેખની સૂચના મુજબ, પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે LCB ઇન્સ્પેક્ટર એમ.એફ. ડામોરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, સફેદ રંગની રેનોલ્ટ ડસ્ટર (નંબર: GJ-16-BK-2496) માં ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ટવા…
પાટનગર ગાંધીનગરમાં અત્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર દરમ્યાન કેટલાક આદિવાસી સમાજના નેતાઓ ચૂપચાપ બેસી રહેતા હોવાની લોક ચર્ચા આદિવાસી સમાજમાં ચાલી રહી છે. સમાજના નેતાઓ પાસે લોકોને એવી અપેક્ષા હોય છે. કે પ્રજાએ ચૂટેલા ધારાસભ્ય, નેતાઓ સમાજના વિવિધ પ્રશ્નો અંગે વિધાનસભા સત્રમાં ચર્ચા કરે અથવા રજૂઆત કરે પરંતુ તેવું થતું ન હોવાની ચર્ચાએ આદિવાસી સમાજમાં જોર પકડ્યો છે. ગુજરાતમાં 27 આદિવાસી અનામત બેઠકો હોવા છતાં વિધાનસભા સત્રમાં આદિવાસી સમાજના નેતાઓનો અવાજ નીકળતો નથી. સમાજના કેટલાક નેતાઓ જેમ કે ચૈતર વસાવા વારંવાર આદિવાસીઓના મુદ્દાઓ ઉઠાવે છે, જેમાં પડતર પ્રશ્નો હોય કે પછી વિકાસના પ્રશ્નો અંગે અવાજ ઉઠાવે છે.…
રિપોર્ટર ચિરાગ ગુપ્તા, છોટાઉદેપુર છોટાઉદેપુરના બોડેલી પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામી દેવા માટે એક મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. પોલીસ દ્વારા શાકભાજીના જથ્થાની આડમાં લઈ જવાતો રૂપિયા ૪૨.૮૩ લાખથી વધુની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંઘ અને છોટાઉદેપુર પોલીસ અધિક્ષક આઈ.જી.શેખની સૂચના હેઠળ પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન, બોડેલી પોલીસ ઇન્સ્પેક્ટર વિ.એસ.ગાવિતને મળેલી ચોક્કસ બાતમીના આધારે મેરીયા પુલ પાસે ગોઠવાયેલી નાકાબંધી દરમિયાન, મધ્યપ્રદેશથી વડોદરા તરફ જતી એક સફેદ કલરની ટાટા અલ્ટ્રા ટ્રક નંબર: HP-93-A-8193ને રોકી તપાસ કરવામાં આવી હતી. જેમાં ટ્રકમાં ઉપરના ભાગે કોબીજ અને અન્ય શાકભાજી ભરેલી હતી, પરંતુ તેની નીચે છુપાવેલા ખાખી…
નસવાડી તાલુકાના સેવાસદન ખાતે ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સરકારી યોજનાઓ તથા સેવાઓનો લાભ મેળવ્યો હતો. સેવાસેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારની વિવિધ સેવાઓ અને યોજનાઓ લોકોને નજીકથી અને સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. કાર્યક્રમ દરમિયાન આવકનો દાખલો, જાતિનો દાખલો, રહેઠાણનો દાખલો, આધાર કાર્ડ સંબંધિત સેવાઓ, રેશનકાર્ડના કામકાજ, પેન્શન યોજનાઓ માટે અરજી તેમજ વિવિધ સરકારી સહાય યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલુકા કચેરી, ગ્રામ વિકાસ, સામાજિક ન્યાય, પુરવઠા વિભાગ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને ગ્રામજનોની અરજીઓ સ્વીકારી સ્થળ…
ઈરાન-અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સારા સમાચાર સામે આવ્યા છે. ઈરાને બે ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત પસાર થવા દીધા છે. આ જહાજો બુધવાર રાતથી ગુરુવાર સવાર સુધી અવરજવર કરી રહ્યા છે. ભારતમાં વધતી જતી તેલની અછત વચ્ચે આ એક મોટી રાહત છે, કારણ કે યુદ્ધ શરૂ થયા પછી મોટાભાગના જહાજો ત્યાં ફસાયેલા છે, અને ટ્રાફિક લગભગ બંધ થઈ ગયો છે. આ બે જહાજોને મુક્ત કરવાથી ભારતમાં તેલની અછત અમુક અંશે દૂર થશે. નોંધનીય છે કે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી સાથે ટેલીફોનિક વાત કરી હતી. ઈરાનનું હોર્મુઝ સ્ટ્રેટનું નિયંત્રણ મીડિયા અહેવાલો અનુસાર, ઈરાને બે ભારતીય…
તાપી જિલ્લાના ઉચ્છલ-નિઝર હાઈવે પર બે બાઈક સામ-સામે અથડતા બે લોકોના કરૂણ મોત થયા હોવાની ઘટના સામે આવી છે. અકસ્માની ઘટના ઉચ્છલ-નિઝર હાઈવે પર નિઝર ગામના સીમ વિસ્તારમાં બની હતી. ઘટનામાં અનિકેત રેહમતસિંગ વસાવે તથા અભિજીત મંગલસિંહ વસાવેના મોત થયા હતા. આ બંને શખ્સ કુકરમુંડાના ગંગથા ગામના રહેવાસી હતા. ઘટનામાં એક યુવક એટલે કે પિયુષ રાજુભાઈ વળવીને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ધોરણની 12ની પરીક્ષા આપવા ગયા હતા યુવકો:- આ ઘટનમાં મરણ જનાર અનિકેત રેહમતસિંહ વસાવે, થતા તેનો મિત્ર અભિજીતભાઈ મંગલસિંગ વસાવે તથા પિયુષભાઈ રાજુભાઈ વળવી ધોરણ-12ની પરીક્ષા આપીને ત્રણેય જણા સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર MH-39-E-8660…
ધોમધખતા તાપમાં સ્વજનોએ એક કિમી ખેતર અને ડુંગરા ઓળંગવા પડ્યા, પહેલા પ્રાઈવેટ વાહન પછી 108માં મહિલાને હોસ્પિટલ ખસેડાઈ હતી. છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં આઝાદીના દાયકાઓ પછી પણ પાકા રસ્તાના અભાવે પ્રજાની હાલાકી યથાવત છે. નસવાડી તાલુકાના નલિયાબારી ગામમાં રસ્તો ન હોવાથી એક ગર્ભવતી મહિલાને હોસ્પિટલ પહોંચાડવા માટે પરિવારજનોએ તેને કાપડની ઝોળીમાં ઊંચકીને 1 કિમી સુધી ચાલવું પડ્યું હતું. સદનસીબે, સમયસર સારવાર મળતા મહિલાએ બાળકીને જન્મ આપ્યો છે. કુંડાની સગર્ભાને પ્રસૂતિની પીડા ઉપડી:- નસવાડી તાલુકાના કુંડા ગામના નલિયાબારી ફળિયામાં રહેતા જીવલીબેન ભીલને સવારે 9:00 વાગ્યે પ્રસૂતિની પીડા ઉપડી હતી. ગામમાં પાકો રસ્તો ન હોવાથી એમ્બ્યુલન્સ આવી શકે તેમ નહોતી.…
છોટાઉદેપુરમાં જિલ્લા ભારતીય જનતા પાર્ટીની બૃહદ સંકલન બેઠક મળી હતી. મહત્વની આ બેઠકમાં સંગઠન પ્રભારી હિમત પઢશાળાના અધ્યક્ષપણા હેઠળ યોજાઈ હતી. મીટિંગની અંદર જિલ્લાના આમંત્રિત સભ્યો, જિલ્લાના હોદ્દેદારો, જિલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, જિલ્લાના કારોબારી સભ્યો આ તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લામાં કઈ રીતે મજબૂત થાય તેના વિશે વિચાર-વિમર્શ કર્યો હતો. સાથે જ તાલુકા-જિલ્લા પંચાયતમાં ૩૨માંથી ૩૨ બેઠકો જીતવાનો છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ કર્યો હતો.
લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર શખ્સને તાપી SOG દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારની ગુપ્ત માહીતીના આધારે ઉચ્છલના કુઈદાગામમાંથી એક બોગસ ડૉક્ટર એટલે કે, આરોપી સચિનભાઈ નગીનભાઈ પાટીલને ઝડપી લેવામાં આવ્યો છે. આ ભેજાબાજ શખ્સ ગેરકાયદેસરના અધિકાર વગર મેડીકલ પ્રેક્ટીસ કરતો અને આજુબાજુના ગામમાંથી આવતા બીમાર દર્દીઓને એલોપેથિક દવાઓ આપી સારવાર કરતો હોવાની બામતી મળી હતી. ચોક્કસ માહિતીના આધારે બાતમી વાળીએ જગ્યાએ તપાસ કરતા આરોપી SOGના સકંજામાં આવી ગયો હતો. પકડાયેલા શખ્સ પાસેથી અંદાજે 34,032નો મુદ્દામાલ જપ્ત કરી ઉચ્છલ પોલીસે BNSની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તાપી જિલ્લામાં આવા બોગસ ડૉક્ટરો છેલ્લાં કેટલાક…
