Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
નવસારીના વાંસદામાં આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય અનંત પટેલે એક મોટું નિવેદન આપતા આ નિવેદન અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીમાં જોડાવાની અટકળો વચ્ચે અનંત પટેલે જાહેર મંચ પરથી કહ્યું, જો કોંગ્રેસ પાર્ટી આદિવાસી સમાજ સાથે અન્યાય કરશે તો મને પાર્ટી છોડી દેતા વાર નહીં લાગે તેમ અનંત પટેલે જાહેર મંજ પરથી નિવેદન આવ્યું હતું. અનંત પટેલે વધુમાં કહ્યું કે, આદિવાસી સમાજમાં જન્યો છું અને મરીશ પણ આદિવાસી સમાજમાં જ, અમને કોઈ લોભ-લાલચ કે ભૂખ નથી…અમારે આદિવાસી સમાજનું કામ કરવું છે. અમારા આદિવાસી સમાજના બાળકોને શિક્ષણ, મહિલાઓને સુરક્ષા, ખેડૂતોને પોષણક્ષમ ભાવ અને ખાસ કરીને યુવાનોને…
બાઈલાઈન: સંગીતા ચૌધરી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપડવણ ગામમાં વસવાટ કરતી પવિતાબેન કનુભાઈ ચૌધરી માટે જીવનની સફર સહેલી નહોતી. પોતાના પતિના અવસાન બાદ પરિવારની તમામ જવાબદારીઓ તેમના ખભા પર આવી પડી હતી. રોજિંદા ખર્ચ, બાળકોનું શિક્ષણ અને ભવિષ્યની ચિંતા વચ્ચે ઘણીવાર પરિસ્થિતિ સામે લાચાર થવું પડતું હતું. પતિના અવસાન બાદ આર્થિક મુશ્કેલીઓના સમયે રાજ્ય સરકારની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના પવિતાબેન માટે પ્રથમ ટેકો બની. આ યોજના હેઠળ તેમને માસિક રૂ. 1250 ની સહાય પ્રાપ્ત થવા લાગી..પવિતાબેન માટે આ રાહત મોટી હતી..આ રકમથી તેમને ઘરના નાના-મોટા ખર્ચમાં રાહત મળી અને સંકટના સમયે એક પાયાની આર્થિક સુરક્ષા પ્રાપ્ત થઈ. બાળકોના ભવિષ્યને…
તાપી જિલ્લાના સોનગઢ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજમાં શનિવારે સંકુલના ‘૨૫મા વાર્ષિકોત્સવ’ અને ‘રજતજયંતી મહોત્સવ’ માં વિશેષ ઉપસ્થિત નોંધાવતા રમતગમત, ઉદ્યોગ સહિત સર્વાધિક વિભાગોની જવાબદારી સંભાળતા રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, આ કૉલેજે આદિવાસી અને ગ્રામીણ વિસ્તારના હજારો યુવાનોના જીવનમાં શિક્ષણનો ઉજાસ ફેલાવ્યો છે, તે જોઈને સંતોષ થાય છે. વધુમાં ડૉ. જયરામભાઈ ગામિતે ઉમેર્યું કે, ખાસ કરીને તાપી જેવા આદિવાસી બહુલ જિલ્લામાં જ્યારે દીકરા-દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવે છે, ત્યારે માત્ર એક વ્યક્તિ નહીં પણ આખું પરિવાર અને સમાજ પ્રગતિ કરે છે. વિદ્યાર્થીઓને પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે, તેમનું ભાવિ ઉજ્જવળ બને તેવા લક્ષ સાથે સરકાર પણ આગળ વધી રહી…
ઉકાઈ પોલીસ સ્ટેશનના ભુરીવેલ ગામમાંથી વિદેશી દારૂનો જથ્થો સગે વગે કરતા શખ્સને તાપી ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ-ફર્લો સ્કોર્ડ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ પોલીસ કોન્સ્ટેબલ હસમુખને ખાનગી રીતે બાતમી મળી હતી કે, ઉકાઈના ભુરીવેલ ગામના પોસ્ટ ફળીયામાં રહેતા બુટલેગર જયેશ વિનોદ ગામીત પોતાના ઘર નજીક એક કાચા મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે. અને તે સગેવગે કરવાની તૈયારીમાં છે. તેવી બાતમી મળતા હકીકતવાળી જગ્યાએ પહોંચી દારૂ સગે વગે કરવાની પ્રક્રીયાને રોકવામાં આવી હતી. ઘટના સ્થળેથી અલગ-અલગ વિદેશી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા. તેમજ અંદાજે ત્રણ લાખથી વધુના મુદ્દામાલ સાથે આરોપી જયેશ વિનોદ ગામીતને ઝડપી લેવામાં…
વન જમીન અધિકાર કાયદો 2006 લાગુ થયાને લગભગ 20 વર્ષ થવા આવ્યા છતાં નર્મદા જિલ્લાના હજારો આદિવાસી પરિવારોના જંગલ જમીનના દાવાઓ આજે પણ પેન્ડિંગ છે. આ તરફ આદિવાસી ભેરું હોવાનો રાજ્ય સરકાર દાવો કરી રહી છે. ત્યારે ગુજરાત જંગલની જમીન માટે 56 હજારથી વધુ દાવાઓ નામંજૂર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ છેલ્લાં ત્રણ વર્ષમાં 7241ને જમીન હક અપાયાં છે. તો બીજી તરફ કોંગ્રેસે સરકાર પર આદિવાસીઓની જંગલ છીનવી લેવાનું કાવતારૂં ગણાવ્યું છે. જંગલની જમીનને લઈને સંસદમાં મુદ્દો ઉઠ્યો ત્યારે કેન્દ્ર સરકારનું કહેવું છે કે, વર્ષ 2023થી માંડી વર્ષ 2026 સુધીમાં કુલ મળીને 56,966 દાવાઓ નામંજૂર કરાયાં છે. જ્યારે 7241ને…
ગુજરાતમાં ફરી એકવાર આપ પાર્ટીના મોટા નેતા એટલે કે રાજૂ કરપડાએ રાજીનામું આપી દેતા આ મુદ્દો ગુજરાતમાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. થોડા સમય પહેલા બોટાદમાં AAPની સભામાં પથ્થરમારા બાદ રાજૂ કરપડા ચર્ચામાં આવ્યા હતા. બોટાદ શહેર નજીક આવેલા હડદડ ગામે પોલીસ અને ખેડૂતો વચ્ચે હિંસા થઈ હતી જે બાદ રાજૂ કરપડા સોશ્યિલ મીડિયામાં અને ગુજરાતમાં ખૂબ ચર્ચામાં આવ્યા હતા. રાજૂ કરપડાએ વ્યક્તિગત કારણોસર રાજૂનામું આપ્યું હોવાનું લેટરમાં જાણ કરી છે. મહત્વનું છે કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આપને મોટો ફટકો પડતા અનેક સવાલ થઈ રહ્યા છે. રાજૂ કરપડા આપના કિસાન સેલ સાથે જોડાયેલા હતા. ખાસ કરીને રાજૂ કરપડા…
તાડકુવાના વનચેતનાથી અંબેમાતાના મંદિર સુધી નાણાપંચની ગ્રાન્ટમાંથી ત્રણ લાખની ગ્રાન્ટનો ઉપયોગ કરી અંદાજે 300 મીટર જેટલો રસ્તો બનાવામાં આવ્યો છે. પરંતુ આ રોડ બનાવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાથી રોડની ગુણવત્તા સામે અનેક સવાલો સ્થાનિક લોકો ઉઠાવી રહ્યા છે. કારણ કે કોન્ટ્રાક્ટરના એન્જિનિયર દ્વારા જે રસ્તો બનાવામાં આવ્યો તેમાં મોટા ભ્રષ્ટાચાર થયો હોવાનું સાફસાફ દેખાઈ રહ્યું છે. નાણાપંચની ગ્રાન્ટમાંથી જ્યારે રોડ બનાવામાં આવે ત્યારે રોડની લંબાઈ,પહોળાઈ,ઊંચાઈ રોડની યોગ્ય જાડાઈ અને રોડનું લેવલિંગને ખાસ ધ્યાનમાં લેવાનું હોય છે. પરંતુ વનચેતનાથી અંબેમાતાના મંદિર સુધી બનાવામાં આવેલા રોડમાં આ દરેક બાબત પર કોન્ટ્રાક્ટર દ્વારા આંખ આડા કાન કરી કામગીરીમાં નકરી વેઠ ઉતારી…
સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલો લૂંટનો ગુનો તાપી ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી બે આરોપીઓની કરી ધરપકડ તારીખ 04/02/2026ના રોજ સોનગઢના પાંચપીપળા ગામના નિશાળ ફલીયાથી સબસીડી ફળિયા તરફ ફરિયાદી તુલસીપાર્ક સોસાયટી તરફ જતા હતા ત્યારે બે અજાણ્યા ઈસમોએ પોતાનો ચહેરો છૂપાવી ફરિયાદીને રોડ પર રોકી લાકડીનો સપાટો મારી અંદાજે 55 હજારની લૂટ કરી ફરાર થયા હતા. જેની તપાસ માટે પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ટેક્નીકલ સર્વેલન્સના આધારે ચોક્કસ માહિતી મળતા આરોપી દિપક દિનેશ વસાવા, ભાવેશ ભગુભાઈ વસાવાને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ ગાડી GJ-16-EF-8456, મોબાઈલ તેમજ અંદાજે કુલ 70…
કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો કુકરમુંડા પોલીસે પકડી પાડ્યો હતો. વાહન ચેકિંગ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ રવી હરીયાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ જનકકુમારને સંયુક્ત રીતે બાતમી મળતા ટાટા કંપનીની અલ્ટ્રોઝ ફોર વ્હિલર ગાડી નંબર GJ-19-BE-7940 ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની કંપની શીલ બંધ બોટલની કુલ સંખ્યા 1706 મળી હતી. જેની કિંમત અંદાજે 3,48.620 માનવામાં આવે છે. આ ઉપરાંત ટોટલ કુલ મુદ્દામાલ 6,73,620 જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓ મુકેશભાઈ ભાસ્કરભાઈ તથા રાજન નવલપ્રસાદ મિશ્રા વિરુદ્ધ કાર્યદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત અનિલભાઈ અને આસીફ અલી ઉર્ફે અસરફ અલી મોગલને વોન્ટેડ જાહેર કરી સમગ્ર બનાવ અંગે…
તાપી ક્રાઈમબ્રાન્ચે ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં વોન્ટેડ અને નાસતા-ફરતા આરોપીને ઝડપી લીધો છે. એ.એસ.આઈ આનંદજી તથા પોલીસ કોન્સ્ટેબલ દિપકને સંયુક્ત રીતે બાતમી મળતા, ઉચ્છલ ત્રણ રસ્તા પાસેથી ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં વોન્ટેડ જાહેર થયેલો અને છેલ્લાં કેટલાક સમયથી નાસતો-ફરતો ભેજાબાજ શખ્સ અનિલ વિનુભાઈ ગામીતને ઝડપી લીધો હતો. ઝડપાયેલા શખ્સની વધારે પૂછપરછ માટે ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે.
