Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

ચિરાગ ગુપ્તા, છોટાઉદેપુર નસવાડી તાલુકાના બોરવાણીગામેથી શિક્ષણ જગતને શરમાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. સરકાર ભલે કરોડોના બજેટ અને વિકાસની વાતો કરે, પણ અહીંની પ્રાથમિક શાળાઓમાં બાળકો શિક્ષકો વગર ‘રામ ભરોસે’ ભણી રહ્યા છે. કારણે કે, નસવાડીના બોરવાણી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫ના બાળકો ભણે છે. અહીંની વાસ્તવિકતા એ છે કે શાળામાં એક પણ શિક્ષક હાજર નથી. શાળામાં શિક્ષકો સમયસર હાજર ન રહેતા બાળકો પણ સ્કૂલમાં ટકીને એક જગ્યાએ બેસતા નથી. શિક્ષક હાજર ન રહેતા અનેક સવાલો ? શિક્ષકોનો અભાવ:- બોરવાણીપ્રાથમિક શાળામાં એક પણ શિક્ષક કાર્યરત ન હોવાથી બાળકોના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે. તંત્રની નિષ્ફળતા:-…

Read More

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદના વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ન્યુઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ મેચમાં, ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 255 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. લક્ષ્યનો પીછો કરતા, ન્યુઝીલેન્ડ 20 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને માત્ર 159 રન જ બનાવી શક્યું હતું, અને ભારતે સરળતાથી 96 રનથી મેચ જીતી લીધી હતી. આ જીત સાથે, ભારતે ઇતિહાસ રચ્યો. ટીમ ઇન્ડિયા સતત બીજી વખત T20 વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ટીમ બની…

Read More

ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે કાર્યરત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ૮મી માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૨૬ ના રોજ પોતાના સફળ સેવાના ૧૨ વર્ષ પૂર્ણ કર્યા છે. આજે રાજ્યની લાખો મહિલાઓ માટે ૧૮૧ અભયમ સંકટ સમયની સાચી સખી સાબિત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ આ હેલ્પલાઈન ગુજરાતની નારીને ‘અભય’ બનાવવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. ​તાપી જિલ્લામાં ૧૮૧ ‘અભયમ’ ટીમે છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન પ્રશંસનીય કામગીરી કરી છે. જિલ્લાના આંકડાઓ પર નજર કરીએ તો, અત્યાર સુધીમાં કુલ ૨૧૧૩૭ જેટલા કિસ્સાઓમાં મહિલાઓને જરૂરી સલાહ-સૂચન અને માર્ગદર્શન પૂરું પાડી સુરક્ષા પૂરી…

Read More

તાપી ક્રાઈમ બ્રાન્ચે હ્યુંડાઈ ક્રેડા કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સો સહિત કુલ 12,36,144નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ રાહુલને ખાનગી રીતે બાતમી મળી હતી કે, સોનગઢ ફાટા ત્રણ રસ્તા તરફથી એક સફેદ કલરની ક્રેડા જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-06-JM-1191માં ઈગ્લિંશ દારૂનો જથ્થો ભરીને સોનગઢ તરફ આવે છે. તેવી ચોક્સ બાતમીના આધારે હિંદલાથી સોનગઢ તરફ જવાના રોડ ઉપર જામખડી ગામની સીમમાં સ્વામીનારાયણ મંદિરની સામે નાકાબંધી કરી હતી. આ દરમ્યાન હિંદલા તરફથી બાતમી અને હકીકતવાળી સફેદ કલરની ક્રેડા ગાડી આવતા તેનો રોકી ચેક કરતા કારના પાછળના ભાગે ઈગ્લિંશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ પકડમાં આવેલા આરોપીઓ:-…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત@2047ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવા માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં આદિજાતિ વિસ્તારોને વિકાસની લીડ લેવા પ્રેરક આહવાન કર્યું છે.મુખ્યમંત્રીએ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ઉમરપાડા અને નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ૭૩ આદિજાતિ ગામોની ૫૩,૭૫૦ એકર જમીનને સિંચાઈ સુવિધા આપતી તાપી-કરજણ લિંક પાઇપલાઇન ઉદવહન સિંચાઈ યોજનાના લોકાર્પણ પ્રસંગે આ આહવાન કર્યું હતું. ઉકાઈ જળાશય યોજના આધારિત આ ઉદવહન સિંચાઈ યોજના રૂ.૬૫૧.૦૮ કરોડના ખર્ચે નિર્માણ થઈ છે તેના લોકાર્પણ સાથે મુખ્યમંત્રીશ્રીએ રૂ. ૨૦૮.૫૧ કરોડના ખર્ચે થનારા આ યોજનાના એક્સટેન્શન કાર્યનું ભૂમિપૂજન પણ ઈ-તકતી અનાવરણથી કર્યું હતું. આ એક્સટેન્શન યોજના પૂર્ણ થવાથી ઉમરપાડા તાલુકાના ૨૯ ગામોની ૧૯,૧૪૧…

Read More

છોટાઉદેપુરના કવાંટમાં ભરાયેલા સુપ્રસિદ્ધ ‘ગેરના મેળા’માં એવા દ્રશ્યો જોવા મળ્યા જે આદિવાસી સમાજ માટે ખૂબ મોટી વાત કહી શકાય. આ દ્રશ્યોએ દેશની લોકશાહીમાં સામાજિક એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાથે જ આદિવાસી એક્તાની છબીને ફરી એકવાર લોકોને યાદ અપાવી છે. ગેરના મેળામાં ભાજપના સાંસદ જશુ રાઠવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ગેરના મેળામાં સામસામે આવ્યા હતા અને એકબીજાને ગળે મળ્યા હતા. ભલે રાજકારણમાં બંને નેતાઓની પાર્ટીઓ અલગ-અલગ હોય પણ જ્યારે આદિવાસી સંસ્કૃતિની વાત આવે ત્યારે કોઈ પણ જાતનો રાજકીય કડવાશ જોવા વગર બંને નેતાઓ મેળામાં એકબીજાને ગળે મળ્યા હતા. ખાસ કરીને બંને નેતાઓએ એકબીજાને ઉષ્માભેર ગળે લગાડીને…

Read More

માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉનાળાએ પોતાના આકરા તેવર બતાવવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી તાજેતરની આગાહી મુજબ, આગામી 5 દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં અંગ દઝાડતી ગરમી અને હીટવેવ જેવી સ્થિતિ સર્જાવાની પ્રબળ શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આકરી ગરમી પડશે.રાજ્યના મુખ્ય શહેરોમાં ગરમીએ રેકોર્ડ તોડવાનું શરૂ કર્યું છે. અમદાવાદના તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જોકે આજે પવનોની દિશાને કારણે તાપમાનમાં સામાન્ય ઘટાડો થઈને પારો 35°C ની આસપાસ રહેવાની શક્યતા છે. પરંતુ, આ રાહત લાંબો સમય ટકશે નહીં, કારણ કે 24 કલાક બાદ ફરીથી તાપમાનમાં વધારો…

Read More

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગે 37 આઈપીએસ અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશો જાહેર કર્યા છે. આ આદેશો જાહેર હિતમાં તાત્કાલિક અસરથી અમલમાં મુકવામાં આવ્યા છે. આ ફેરફારો દરમિયાન કેટલીક પોસ્ટને અપગ્રેડ તથા ડાઉનગ્રેડ કરીને તે પદ માટે યોગ્ય ગ્રેડના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યના અનેક મહત્વના વિભાગો જેમ કે CID ક્રાઈમ, IB, ACB, સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ અને વિવિધ રેન્જમાં નવા અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ કરીને રાજકોટ રેન્જમાં પણ મહત્વપૂર્ણ ફેરફાર થયો છે. અત્યાર સુધી IG તરીકે ફરજ બજાવતા અશોક કુમારને IBમાં બદલી આપવામાં આવી છે..…

Read More

ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ત્યાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓના માતા-પિતા અને સંબંધીઓ તેમના બાળકોની સલામતી વિશે નવી માહિતીની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે, અને દરેક નવો દિવસ વધુ ચિંતા અને ભય ફેલાવી રહ્યો છે. જેમ જેમ પશ્ચિમ એશિયામાં પરિસ્થિતિ વધુ વણસી રહી છે, તેમ તેમ ફસાયેલા વિદ્યાર્થીઓના માતા-પિતા ભારત સરકારને અપીલ કરી રહ્યા છે કે તેઓ તેમના બાળકોને શક્ય તેટલી વહેલી તકે ઘરે પાછા લાવે. આ બધાં વચ્ચે UNના માનવાધિકાર કાર્યાલયે ઇરાનમાં એક છોકરીઓની શાળા પર થયેલા હુમલાની તપાસ કરાવવાની માગ કરી છે. આ હુમલામાં અંદાજે 165 વિદ્યાર્થીનીઓનાં મોત થયાં હતાં. સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર પ્રમુખ વોલ્કર તુર્કે કહ્યું છે…

Read More

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે ક્રૂડ ઓઇલના ભાવ અંગે એક રિપોર્ટ બહાર સામે આવ્યો છે. આ રિપોર્ટ ચેતવણી આપે છે કે યુએસ-ઈરાન સંઘર્ષ વૈશ્વિક તેલ પુરવઠામાં સૌથી મોટો વિક્ષેપ બની શકે છે તેવી શક્યતાઓ છે. રિપોર્ટ મુજબ હોર્મુઝ સ્ટ્રેટ વિશે સૌથી મોટી ચિંતા વ્યક્ત કરે છે, જ્યાં તેલનો ટ્રાફિક ઓછો કરવામાં આવે અથવા સંપૂર્ણપણે બંધ કરવામાં આવે તો પરિસ્થિતિ અત્યંત ગંભીર બની શકે છે. કોમોડિટીઝ એટ સીના ડેટાના આધારે, રિપોર્ટમાં જણાવાયું છે કે 1 માર્ચે આ રૂટ પરથી ફક્ત પાંચ ઓઇલ ટેન્કર પસાર થયા હતા, જ્યારે તાજેતરના દિવસોમાં દરરોજ સરેરાશ 60 ટેન્કર પસાર થતા હતા. S&P રિપોર્ટ…

Read More