Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ, ઉચ્છલ અને નિઝર તાલુકાની અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા અદાલત તેમજ જિલ્લાની દરેક તાલુકાની કોર્ટમાં તા. ૧૪ માર્ચ, ૨૦૨૬ ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. ​આ લોક અદાલતમાં દીવાની, ફોજદારી કેસો તેમજ અન્ય સમાધાન યોગ્ય કેસો, બેન્ક લોન સંબંધિત કેસો, વાહન અકસ્માત વળતરના દાવાઓ, મકાન ભાડા, વિદ્યુત બિલ, પાણી બિલ, પારિવારિક વિવાદો, ચેક રિટર્ન કેસો તથા પ્રી-લિટીગેશન કેસોનું પરસ્પર સમજૂતીથી ઝડપી અને તુરંત નિરાકરણ કરવામાં આવશે. લોક અદાલતનો મુખ્ય હેતુ સામાન્ય…

Read More

શનિવારે ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ઇરાનની રાજધાની તેહરાન પર હુમલો કર્યો. આ પછી, સમગ્ર પ્રદેશમાં પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. ઇઝરાયલે તેને એક પૂર્વનિર્ધારિત હુમલો ગણાવ્યો અને કહ્યું કે તે સંભવિત હુમલાને રોકવા માટે લેવામાં આવ્યો હતો. ઈરાને પણ બદલો લેવાની આશંકા વ્યક્ત કરી છે. અહેવાલો અનુસાર, ઇઝરાયલે તેહરાન, ઇસ્ફહાન, કોમ અને ખોરામાબાદ સહિત અનેક શહેરોમાં મિસાઇલ અને હવાઈ હુમલા કર્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયલ દ્વારા ઈરાન પર અચાનક થયેલા હુમલામાં અમેરિકા પણ સામેલ હતું. આ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ અલી ખામેનીનું ઘર પણ નિશાન બનાવવામાં આવ્યું હતું અને નાશ પામ્યું હતું. જોકે, આયાતુલ્લાહ અલી…

Read More

સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાકરાપાર ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ભુકંપના કારણે વીજ પ્લાન્ટમાંથી રેડિયેશન લિકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા પૂર્વ તૈયારીના ભાગરૂપે રાષ્ટ્રીય કક્ષાની ‘મોકડ્રીલ’ યોજાઈ હતી. સવારે ૭:૦૦ કલાકે કાકરાપાર અણુમથક માંથી રેડિયેશન (ઝેરી ગેસ) લિક થતાં પાવર પ્લાન્ટના સાઈટ ડાયરેક્ટરની ભલામણથી સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી દ્વારા ઓફસાઈટ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. સુરત-તાપી જિલ્લા ડિઝાસ્ટર તંત્ર દ્વારા તત્કાલ તમામ અધિકારીઓને એલર્ટ કરી તકેદારીના પગલા લેવા જણાવ્યું હતું‌. ત્યારબાદ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી નવી દિલ્હી, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગાંધીનગરને મદદ માટે જાણ કરવામાં આવી હતી. તમામ વિભાગોના સંયુક્ત ઓપરેશન થકી પ્લાન્ટની આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં ઘટનાની ગંભીરતાને…

Read More

કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-303(2) મુજબનો ગુનો આશ્રવાગામમાં આવેલી ખુલ્લી જગ્યામાં તારીખ 12/01/26ના રોજ નોંધાયો હતો. ગુનાની ગંભીરતા સમજી પોલીસે CEIR પોર્ટલનો ઉપયોગ કરી આરોપી ધરમભાઈ છગનભાઈ પાડવીને તારીખ 24/02/26ના રોજ અટક કર્યો હતો. પોલીસ પકડમાં આવેલા શખ્સ પાસેથી મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય આરોપી સોમનાથ સંકુભાઈ પાડવીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- આઈ.ડી.દેસાઈ, પોલીસ ઈન્સ્પેક્ટર એ.એસ.આઈ વિજય કરશનભાઈ એ.એસ.આઈ રવિ રમેશભાઈ હેડ કોન્સ્ટેબલ રવિ હરીયાભાઈ પોલીસ કોન્સ્ટેબલ જનક મનુભાઈ પોલીસ કોન્સ્ટેબલ કિશનભાઈ આ તમામ કામગીરી ઉપર મુજબના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Read More

સોનગઢ પોલીસ સ્ટેશન હદમાંથી કોમ્બિંગ નાઈટ રાઉન્ડ દરમ્યાન દેશી બનાવટની પિસ્તોલ તથા 4 નંગ કારતૂસ સાથે બે ઈસમોને સોનગઢ VSG ગેસ્ટ હાઉસ ખાતેથી સોનગઢ પોલીસે ઝડપી લીધા હતા. સમગ્ર મામલાની વાત કરીએ તો, એન.એસ.ચૌહાણ તેમજ વી.કે.પટેલ, પોલીસ ઇન્સ્પેકટર તેમજ પો.કો. અર્જુનભાઇ નારાયણભાઇ, હે.કો દશરથભાઇ ભુપતભાઇ, પો.કો હરીશચંન્દ્ર પ્યારેલાલ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન સોનગઢ પો.સ્ટે વિસ્તારમાં આવેલા હોટલ/બાધા/ગેસ્ટ હાઉસની ચેકિંગની કામગીરી દરમ્યાન સોનગઢના નવા આર.ટી.ઓ.ચેક પોસ્ટ પાસે ને.હા.નં. ૫૩ની બાજુમાં આવેલા VSG ગેસ્ટ હાઉસમાં ચેક કરતાં VSG ગેસ્ટ હાઉસના કંપાઉન્ડમાં એક સફેદ કલરની બ્રેઝા ગાડી શકાસ્પદ મળી આવેલી હતી. જેથી VSG ગેસ્ટ હાઉસમાં તપાસ કરતા સદર બ્રેઝા ગાડીવાળા ગેસ્ટ હાઉસના…

Read More

દિલ્હી આબકારી નીતિ કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને નિર્દોષ જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીના બંને નેતાઓએ સત્તામાં રહેતા જેલની સજા ભોગવી હતી. જ્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આ પ્રકારનો કોઈ દારૂ કૌભાંડ થયો નથી. તેમની સરકારની આબકારી નીતિ સામેનો કેસ રાજકીય બદલો અને કાવતરાનું પરિણામ હતું. હવે, રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે આદેશમાં શું કહ્યું દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કથિત આબકારી નીતિ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચાર કેસમાં સીબીઆઈ દ્વારા…

Read More

તાપીના વાલોડમાં સોમવારે વાલોડ પોલીસ અને તાપી પોલીસની કાર્યવાહીની ખૂબ વાહા..વાહા..લોકોએ કરી જેના થકી વાલોડ પોલીસ અને તાપી પોલીસની પણ છાતી ગજગજ થઈ હશે. પરંતુ મંગળવારે જ્યારે અસ્વદ હૈદર શેખ (જેમના પર સગીરાએ શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો) તે અસ્વદ હૈદર શેખ નામના શખ્સને ફસાવામાં આવ્યો હોવાનું કહી અંદાજે 70થી વધારે વિદ્યાર્થીઓ અને વાલીઓએ લેખિતમાં વ્યારા પોલીસ અધિક્ષકને રજૂઆત કરતા સમગ્ર મામલાનો ઉકેલ તો નથી આવ્યો પણ મામલો વધારે પેચિદો બન્યો છે. અને હવે પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે ? સોમવારે પોલીસે આરોપીનો વરઘોડો કાઢ્યો..મંગળવારે સરને ફસાવ્યા હોવાનો વિદ્યાર્થીઓનો રાગ…! તાપી જિલ્લા પોલીસ અને વાલોડ પોલીસે…

Read More

તાપી જિલ્લા પોલીસ અને વાલોડ પોલીસે સગીરાનું શોષણ કરનાર શખ્સનો જાહેરમાં વરઘોડો કાઢી જિલ્લામાં છેડતીખોર અને લુખ્ખાઓ સામે કડક કાર્યવાહી કરી દાખલો બેસડવાની પ્રયાસ કર્યો છે. ઘટનાની વાત કરીએ તો, વાલોડ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-64(2),78(2),351(3) તથા જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાતનો અધિનિયમ 2012ની કલમ-4,8,11(4),12 મુજબનો ગુનો નોધાયો હતો. આ ગુનાનો આરોપી અસ્વદ હૈદર શેખ ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવતો હતો. ટ્યુશનમાં આવતી એક સગીરાને આરોપી અસ્વદ હૈદર શેખ જાતીય અડપલા કરતો તેમજ જાતીય સત્તામણી કરતો હતો. અને જો આરોપીએ કરેલી કરતૂત સગીરા કોઈને કહેશે અથવા તો જાણ કરશે તો સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપતો તેમજ આરોપી પોતે પણ…

Read More

ભર ઉનાળે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા જગતનો તાત ફરી વિચારમાં પડી ગયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 24 કલાક માટે કમોસમી વરસાદનું સંકટ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ખાસ કરીને 24 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી રાજ્યમાં આકાશી આફતના એંધાણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. કમોસમી વરસાદની બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાત અને કચ્છમાં આગાહી:- હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સાકલોનીક સર્ક્યુલેશન અને એક ટ્રફ સિસ્ટમ સક્રિય થતાં કમોસમી…

Read More

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત વિધાનસભામાં લગ્ન નોંધણી પ્રક્રિયામાં ઐતિહાસિક સુધારાની જાહેરાત કરી દીધી છે. નિયમ 44 હેઠળ જારી કરાયેલા એક નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે હવે લગ્ન નોંધણીમાં માતાપિતાનો પણ સમાવેશ કરવામાં આવશે. સરકાર દીકરીઓના ગૌરવ અને શાશ્વત પરંપરાના રક્ષણ માટે કડક પગલાં લેશ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, ગુજરાત સરકાર લગ્ન નોંધણી અધિનિયમ 2006માં મોટા ફેરફારો અમલમાં મૂકી રહી છે. પંચમહાલના કેટલાક ગામોમાં, જ્યાં ન તો મુસ્લિમ પરિવારો હતા કે ન તો મસ્જિદો, ત્યાં સેંકડો નિકાહ પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા હતા. તલાટી-કમ-મંત્રીએ બનાવટી પ્રમાણપત્રોની તપાસ કરી, અને કડક કાર્યવાહી કરવામાં આવી. છુપી ઓળખ આપી લગ્ન કરનાર સામે…

Read More