Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ ની જાહેરાત થતાની સાથે જ સમગ્ર તાપી જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. એપ્રિલ-૨૦૨૬માં યોજાનાર તાપી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને વ્યારા નગરપાલિકાની ચૂંટણીઓને મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. તાપી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. વિપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટરશ્રી નિશાંત કુગાશિયાના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ નોડલ અધિકારીઓ સાથે એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં એપ્રિલ ૨૦૨૬ દરમિયાન યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે…

Read More

ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય ચૂંટણી અયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ માટેની અંતિમ મતદાર યાદી તમામ જિલ્લા કલેકટર ઓફીસમાં સોંપી દેવામાં આવી છે. આજે મોડી સાંજ સુધી જિલ્લા સ્તરેથી અંતિમ મતદાન યાદી થઈ જશે પ્રસિદ્ધ તેવી શક્યતાઓ.. આજે પાંચ વાગ્યે ચૂંટણી આયોગ કરી શકે છે ચૂંટણીની તારીખની જાહેરાત ગુજરાતમાં 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયત માટે ઇલેક્શન થશે તેના માટે ચૂંટણી કમિશને કવાયત હાથ ધરી છે.

Read More

નેત્રંગ શહેરમાં આવેલા બેસ્ટ ટ્યુશન ક્લાસિસ દ્વારા ભવ્ય ઇનામ વિતરણ અને વિદાઈ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. નેત્રંગ શહેરના જૂના અને જાણીતા બેસ્ટ ટ્યુશન ક્લાસિસ દ્વારા ગત તારીખ 29 માર્ચના રોજ ભવ્ય વિદાય સમારોહ અને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓને તેમના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ મેડલ અને ટ્રોફી અર્પણ કરવામાં આવ્યા હતા. જેને કારણે બાળકોમાં આનંદ અને ઉત્સાહની લહેર જોવા મળી હતી. વાલીગણનું પણ ગુલદસ્તા આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની વિશેષતા તરીકે “સર્વધર્મ સમભાવ” ની થીમ હેઠળ નેત્રંગના વિવિધ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોના બાળકો દ્વારા બનાવવામાં આવેલા સુંદર પેઇન્ટિંગનું…

Read More

નિઝર પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો.ગુનાની ગંભીર સમજી પોલીસ તપાસ કરતા ગુનો ઉકેલી નાખી આરોપીઓને જેલમાં ધકેલી દીધા છે. સમગ્ર ઘટના પર નજર કરીએ તો, પોલીસ ઈન્સ્પેક્ટર એમ.ડી.વિટ્ઠલપરાને ખાનગી રીતે બાતમી મળી હતી કે, ખનોરા ગામે ચોરાયેલ સોના ચાંદીના ઘરેણા રૂમકીતળાવ ગામે બે ઈસમો વેચવાની ફિરાકમાં છે. જેથી પોલીસ ઈન્સ્પેક્ટર એમ.ડી. વિટ્ઠલપરા,એમ.આઈ.વસાવા, પોલીસ કોન્સ્ટેબલ મુકેશ સેધાજી તથા અન્ય પોલીસ કર્મચારીઓ ખાનગી વોચ ગોઠવી હતી. આ દરમ્યાન રૂમકીતળાવ બાજુ બે ઈસમ ચાલતા-ચાલતા આવતા હોય જેમની પૂછપરછ કરતા પોતાની પાસે રહેલા સોના-ચાંદીના ઘરેણા ખનોરા ગામે બંધ મકાનમાંથી ચોરી કરી હોવાનું કબૂલ કર્યું હતું. જેથી આરોપી રાજુભાઈ છોટીયાભાઈ…

Read More

સુપ્રીમ કોર્ટે મંગળવારે એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. કે હિન્દુ ધર્મ, શીખ ધર્મ અથવા બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનાર વ્યક્તિને અનુસૂચિત જાતિનો સભ્ય ગણી શકાય નહીં. ન્યાયાધીશ પી.કે. મિશ્રા અને એન.વી. અંજારિયાની બેન્ચે ચુકાદો આપ્યો છે કે બીજા ધર્મમાં ધર્માંતરણ કરવાથી અનુસૂચિત જાતિનો દરજ્જો ગુમાવવો પડે છે. સુપ્રીમ કોર્ટે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના અગાઉના નિર્ણયને સમર્થન આપ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે ખ્રિસ્તી ધર્મ અપનાવનારા અને સક્રિય રીતે તેનું પાલન કરનારાઓ તેમનો અનુસૂચિત જાતિ (SC) દરજ્જો જાળવી રાખી શકતા નથી. લાઈવ લો અનુસાર, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ કલમ 3 માં ઉલ્લેખિત ધર્મ સિવાય અન્ય…

Read More

નસવાડી પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ ગોહિલ સાહેબની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ મીટીંગ યોજાઈ હતી, જેમાં શહેરના નાના વેપારીઓ, લારી-ગલ્લાવાળાઓ અને સ્થાનિક નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મીટીંગ દરમિયાન પીએસઆઈ ગોહિલે જણાવ્યું હતું કેટલાક વ્યાજખોરો ગેરકાયદેસર રીતે નાના વેપારીઓને હેરાન કરે છે અને વધુ વ્યાજ વસૂલ કરે છે. આવા બનાવોમાં ગભરાવાની જરૂર નથી, પરંતુ કાયદેસર રીતે પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ. તેમણે ખાતરી આપી કે પોલીસ દરેક પીડિતની સાથે છે અને ફરિયાદ કરનારને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવશે. ખાસ કરીને 15-03-2026થી અમલમાં આવેલા નવા નિયમો અંગે પણ માહિતી આપવામાં આવી, જેનો હેતુ વ્યાજખોરોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવાનો અને પીડિતોને વધુ સુરક્ષા આપવા છે. આ અભિયાનથી નાના…

Read More

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે AAP પાર્ટીએ ઉમેદવાર કર્યા જાહેર..ચૂંટણીની જાહેરાત પહેલાં જ AAPએ ઉમેદવારોની યાદી કરી જાહેર..AAPની પ્રથમ યાદીમાં 460 ઉમેદવારોના નામ સામેલ કરવામાં આવ્યા છે.તાલુકા અને જિલ્લા પંચાયત માટે ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી..પાલિકા અને મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી તૈયાર..સ્કિનિંગ કમિટી, કેન્દ્રીય નેતૃત્વની સહમતિથી નિર્ણય લેવામાં આવ્યો.અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ દરમિયાન બીજી યાદી થશે જાહેર. જાહેર થયેલા ઉમેદવારોનું લિસ્ટ:-

Read More

ગુજરાતમાં UCC બિલને કેબિનેટમાં મંજરી આપી દેવામાં આવી છે. ગુજરાત UCC બિલમાં ઉત્તરાખંડ જેવી પેટર્ન જોવા મળી..24 માર્ચે વિધાનસભામાં રજૂ થશે UCC બિલ. અંદાજે કુલ 209 પાનનું UCC 2026 બિલ લાવશે ગુજરાત સરકાર..UCC બિલ કુલ 4 ભાગમાં તૈયાર કરવામાં આવ્યું..ભાગ-1 અને ભાગ-2માં કુલ 7 પ્રકરણ નક્કી કરવામાં આવ્યા છે.ભાગ-3માં લિવ-ઇન રિલેશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતમાં રહેતા અને ગુજરાત બહાર રહેતા પરંતુ ગુજરાતના રહેવાસીઓ પર લાગુ થશે UCC બિલ. લગ્ન નોંધણીની પ્રક્રિયા ફરજિયાત:- UCC બિલમાં જણાલ્યા પ્રમાણે લગ્ન નોંધણીની પ્રક્રિયા ફરજિયાત બનાવવામાં આવી છે. રાજ્યમાં કોઈપણ લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.લગ્ન નોંધણી માટે પણ ચોક્કસ કાર્યરીતિ નક્કી કરવામાં આવી…

Read More

સોનગઢ તાલુકાના આમથવા ગામે સરપંચ અર્જુનભાઈ ગામીતના સતત પ્રયત્નોથી નવી બસ સેવા શરૂ કરવામાં આવી..લાંબા સમયથી ગામલોકોની આવાગમનની સમસ્યા દૂર કરવા માટે કરવામાં આવેલા પ્રયત્નો હવે સફળ રહ્યા છે. બસ સેવાની શરૂઆત આદિવાસી પરંપરા મુજબ પૂજાવિધિ કરીને કરવામાં આવી હતી. ગામના વડીલો અને આગેવાનો દ્વારા શુભ મુહૂર્તમાં પૂજા કરી બસ સેવાનું પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેના કારણે ગામમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે સરપંચએ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) તથા રાજ્ય સરકારનો આ મહત્વપૂર્ણ સેવા શરૂ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને ગામના વિકાસ માટે સતત સહકાર આપવા આશા વ્યક્ત કરી હતી. સોનગઢથી બસ…

Read More

ચિરાગ ગુપ્તા, છોટાઉદેપુર ઉનાળાની શરૂઆતની સાથે જ ગરમીનો પ્રકોપ ધીમે ધીમે રાજ્યમાં વધી રહ્યો છે. લોકો ઠંડા પાણી માટે ફ્રિજ, વોટર કુલર જેવી વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. ત્યારે ગરીબોના ફ્રિજ ગણાતા માટીના માટલાની પણ માંગ વધવા લાગી છે. બોડેલી નજીક હાલોલ રોડ પર માટલાનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને માટીના માટલામાં રાખેલું પાણી સ્વાભાવિક રીતે ઠંડુ રહેતું હોવાથી ગ્રામ્ય તેમજ શહેરના લોકોમાં તેની માંગ વધતી જોવા મળી રહી છે. બીજી તરફ ફ્રિજ ખરીદવાની સગવડ ન હોય તેવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે માટલું આજેય ‘ગરીબોનું ફ્રિજ’ તરીકે ઓળખાય છે. ખાંડીવાવ ગામ પાસે હાઇવે કિનારે બેઠેલા…

Read More