પેટાચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું છે. ખાસ કરીને કડી અને વિસાવદરની ચૂંટણીના પરિણામાં કોંગ્રેસનો ખરાબ દેખાવા બાદ કોંગ્રેસના પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધાની ચર્ચા સામે આવી રહી છે. શક્તિસિંહએ કહ્યું, છેલ્લાં ૩૦ વર્ષથી ગુજરાતમાં સત્તા ન હોવા છતાં અમારા કાર્યકરો મક્કમથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ યોગ્ય પરિણામો ન આવ્યાની જવાબદારી પણ શક્તિસિંહ ગોહિલે જણાવી હતી.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલ્યું રાજીનામું:-
શક્તિસિંહએ તેમનું રાજીનામું કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલી આપ્યું હોવાનું પણ જણાવ્યું હતું. શક્તિસિંહ ગોહિલના સ્થાને હવે શૈલેષ પરમાર કાર્યકારી તરીકે જવાબદારી નિભાવશે. જ્યાં સુધી નવા પ્રમુખના નામની જાહેરાત ન થાય ત્યાં સુધી શૈલેષ પરમારને જવાબદારી સોંપવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, મને સાથ આપનાર તમામનો આભાર.