સુરતમાં ભાગ્યલક્ષ્મી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા મંગળવારે ખટોદરાના SMC કમ્યુનિટી હોલ ખાતે ભાગ્યલક્ષ્મી ક્રેડિટ કો-ઓપરેટિવના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અંદાજે 1000 જેટલા સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે મહિલા સભ્યો વચ્ચે નાણાકીય જાગૃતિ અંગેની મહત્વપૂર્ણ શૈક્ષણિક પહેલ રજૂ કરવામાં આવી હતી. ખાસ કરીને “બચત જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે વ્યક્તિને નાણાકીય સ્થિરતા, સુરક્ષા અને ભવિષ્ય માટે તૈયારી મેળવવામાં મદદ કરે છે” આ સંદેશ આપતા સોસાયટીએ બચત કેવી રીતે શરૂ કરવી તે અંગેની વ્યવહારુ સલાહ આપી હતી. જેમાં આવકના 20થી30 ટકાની બચત કરો. અનિચ્છનીય ખર્ચો ટાળો, લાંબા ગાળાના રોકાણનો વિચાર કરો. જેવી બબાતો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ ઉપરાંત પર્યાવરણ જાગૃતિની એક નોંધપાત્ર પહેલમાં દરેક સભ્યને કાપડની થેલી આપવામાં આવી જેથી પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડી શકાય. આ નાણાકીય સશક્તિરણ સાથે પર્યાવરણીય જવાબદારી પ્રત્યે સોસાયટીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રસંગે રેવ.ફાધર સુધીર ભાટિયા ઉપ પ્રમુખ નવસર્જન આચાર્ય સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સુરત, હેમંતભાઈ દેસાઈ એડવોકેટ અને ટ્રસ્ટી નવસર્જન સુરત, ડૉ. સુનિલ ડિસોઝા ટ્રસ્ટી નવર્સજન સુરત, શૃંગીબેન દેસાઈ એડવોકેટ અને ટ્રસ્ટી નવસર્જન સુરત, ફાધર જોન કેનેડી, જેસા કોઓર્ડિનેટર અને ટ્રસ્ટી નવસર્જન સુરત, સમીરભાઈ મકવાણા ડાયરેક્ટર નવસર્જન સુરત, ફાધર મેલ્વિન ડીસા. એસ.જે સેક્રેટરી નવસર્જન સુરત, ફાધર વેલી ડાયસ એસ. જે મેનેજર ઝેવિયર્સ હોસ્ટેલ સુરત, જ્યોતિબેન જગન્નાથ પીંપળે પ્રમુખ નવચેતના ટ્રસ્ટ સુરત, જમીલાબેન અબ્દુલસત્તાર અન્સારી પ્રમુખ ભાગ્યલક્ષ્મી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


