Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
નર્મદા જિલ્લાના વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ઝરવાણી ગામે આવેલા ધોધની મુલાકાતે આવતા પ્રવાસીઓના કારણે આદિવાસી સમાજના લોકો નાની-મોટી દુકાનો દ્વારા ચા, નાસ્તો, મકાઈ અને પરંપરાગત આદિવાસી વાનગીઓનું વેચાણ કરીને રોજગારી મેળવી રહ્યા હતા. આ દુકાનો દ્વારા તેઓ આત્મનિર્ભર બનવાના કેન્દ્ર સરકારના સ્વપ્નને સાકાર કરી રહ્યા હતા. પરંતુ, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને આદિવાસીઓ રોજગારી મેળવી પોતાનું જીવનગુજરાન ચલાવે તે ગમ્યું ન હતું અને આ દુકાનોને ગેરકાયદે ગણાવી, તેને તોડી પાડી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. આ ઘટનાએ આદિવાસી સમાજની રોજગારી છીનવી લીધી છે જેથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિક લોકોએ શું કહ્યું ? સ્થાનિક આદિવાસીઓનું કહેવું છે કે, તેઓ પોતાના વિસ્તારમાં પ્રવાસન…
સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. કેન્દ્ર સરકાર જુલાઈ 2025માં મોંઘવારી ભથ્થા (DA)માં 4% વધારો કરી શકે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. જો આ દરખાસ્ત લાગુ કરવામાં આવે છે, તો DA વર્તમાન 55 ટકાથી વધીને 59 ટકા થઈ શકે છે. મોંઘવારી ભથ્થાની ગણતરી AICPI-IW (ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચકાંક)ના આધારે કરવામાં આવે છે. AICPI મે 2025માં વધીને 144 થયો. માર્ચમાં તે 143 અને એપ્રિલમાં 143.5 હતો. હવે જો જૂનમાં આ સૂચકાંક 144.5 પર પહોંચે છે, તો સરેરાશ સૂચકાંક 144.17 થશે. 7મા પગાર પંચના ફોર્મ્યુલા મુજબ, આ સરેરાશ DA ને 58.85% સુધી લઈ જાય…
ભારત એક એવો દેશ છે જે તેની વિવિધતાથી દુનિયામાં ભરમાં જાણીતો છે. અહીં તમે પર્વતો, લીલીછમ ખીણો, સોનેરી રણ અને વાદળી સમુદ્ર જોઈ શકો છો. પરંતુ આ વિવિધતા વચ્ચે એક અસમાનતા પણ છુપાયેલી છે. આ અસમાનતા સંપત્તિ અને ગરીબીની છે. આ સમસ્યાને કારણે, દેશની શક્તિ અને વ્યવસ્થામાં ઘણા ફેરફારો થયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, કોવિડ પછી, આ અંતર ભરવાનું શરૂ થયું છે. છેલ્લા એક વર્ષમાં, ભારતમાં ગરીબીના આંકડામાં ઝડપથી ઘટાડો થયો છે. વિશ્વ બેંકનો એક તાજેતરનો અહેવાલ આવ્યો છે, જેમાં છેલ્લા 11 વર્ષમાં ભારતમાં ગરીબીના દરમાં ઘટાડો જોવા મળ્યો છે. શું ખરેખર ભારતમાં કેટલી છે ગરીબી ? એક અહેવાલ મુજબ,…
આજના યુગમાં જ્યાં વન નાઇટ સ્ટેન્ડ અને હૂકઅપ સંસ્કૃતિ ઝડપથી વધી રહી છે. લોકો ખુલ્લેઆમ તેમની ઇચ્છાઓ અને જરૂરિયાતોને સ્વીકારી રહ્યા છે, જેના કારણે કેઝ્યુઅલ સંબંધોને પ્રોત્સાહન મળી રહ્યું છે. એક એવો ટ્રેન્ડ બની રહ્યો છે કે લોકો ફક્ત શારીરિક જરૂરિયાત માટે એકબીજા સાથે સંબંધ બનાવી રહ્યા છે. તેવા સમયે, વિશ્વમાં એક એવો દેશ પણ છે જ્યાં આવી સંસ્કૃતિ પર કાયદેસર રીતે કડક પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ દેશમાં એક નિયમ છે કે તમે લગ્ન વિના કોઈની સાથે શારીરિક સંબંધ બનાવી શકતા નથી. અને જો તમે કોઈની સાથે શારીરિક સંબંધ માણો છો તો તમારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.…
કપરાડા તાલુકાના મોટાપોંઢા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવનિર્મિત મકાનનું ઉદઘાટન કાર્યક્રમની પત્રિકામાં ગામના સરપંચ રણજીતભાઈ રમેશભાઈ પટેલનું નામ સામેલ ન કરવામાં આવતાં સ્થાનિક લોકોમાં તીવ્ર અસંતોષ ફેલાયો છે. ૨૮ મે ૨૦૨૫ના રોજ યોજાનાર આ ઉદઘાટન કાર્યક્રમની પત્રિકામાં મંત્રીઓ, ધારાસભ્યો અને ભાજપના અન્ય હોદેદારોના નામ છપાવવામાં આવ્યા છે, પરંતુ ગામના પ્રથમ નાગરિક અને મુખ્ય પ્રતિનિધિ તરીકે સરપંચનું નામ જાણી જોઈને બાકાત રાખવામાં આવ્યું છે. ગામના લોકોનું કહેવું છે કે આ આરોગ્ય કેન્દ્ર સરકારના અર્થાત જનતાના પૈસાથી બનાવવામાં આવ્યું છે. આવી પરિસ્થિતિમાં ગામના ચૂંટાયેલા પ્રતિનિધિનું નામ પત્રિકામાંથી દૂર રાખવું એ અન્યાયપૂર્ણ છે. તેઓ પૂછે છે કે કોના કહેવાથી અને કયા કારણોસર સરપંચનું…
વ્યારા, વલસાડ સિટિ અને માંડવી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી અને પેરોલ ફર્લો સ્કોર્ડ ઝડપી લીધો છે. તાપી સ્ટાફના પોલીસના માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકી નાસતા-ફરતા અને વોન્ટેડ આરોપીની માહિતી મેળવવા તેજવીજ હાથ હાથ ધરી હતી. આ દરમ્યાન એ.એસ.આઈ ગણપતસિંહ રૂપસિંહ હેડ કોન્સ્ટેબલ વિનોદ પ્રતાપને સંયુક્ત રીતે બાતમીના આધારે પાનવાડી વ્યારાના ગેટ પાસેથી નાસતા-ફરતા અને વોન્ટેડ આરોપી કિરણ મણીલાલ ચૌધરીને પકડી પાડ્યો હતો. પકડાયેલા આરોપી વિરુદ્ધ વલસાડ સિટી પોલીસ સ્ટેશન, માંડવી પોલીસ સ્ટેશન અને વ્યારા પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનાઓ નોંધાયેલા છે. આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કામગીરી કરનાર ટીમ:-…
ગુજરાત સહિત દેશભરમાં સાયબર ગુનેગારો દ્વારા નવી યુક્તિ અપનાવવામાં આવી રહી છે. જેમાં pm customer apk નામની એક ખતરનાક ફાઇલ વોટ્સએપ ગ્રુપ્સ અને વ્યક્તિગત નંબરો પર ફેલાવવામાં આવી રહી છે. આ ફાઇલ ડાઉનલોડ અને ઓપન કરવાથી યુઝર્સના બેંક ખાતામાંથી પૈસા ચોરાઈ જવાનું જોખમ છે. સાયબર નિષ્ણાતો અને પોલીસે આ ફાઇલથી સાવધાન રહેવાની ચેતવણી જાહેર કરી છે. કેવી રીતે કામ કરે છે આ સ્કેમ? સાયબર ગુનેગારો યુઝર્સના વોટ્સએપ ગ્રુપના કોઈ મેમ્બરનો મોબાઇલ હેક કરીને આ ફાઇલ ગ્રુપમાં શેર કરે છે. આ ફાઇલ ઘણીવાર ‘PM Kisan Yojana’, ‘બેંક ઓફર’ અથવા અન્ય આકર્ષક નામો સાથે મોકલવામાં આવે છે, જેથી લોકો તેને ડાઉનલોડ કરી…
વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો રાજ્યનું ચેરાપુંજી માનવામાં આવે છે. કપરાડામાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ વરસતો હોવાથી ચોમાસા દરમિયાન કાપરાડાનો વિસ્તાર અહીં આવતા લોકો માટે સ્વર્ગ સમૂહ લાગે છે. જોકે આ વિસ્તારના નદીનાળા કિનારે રહેતા લોકો માટે ચોમાસાના ચાર મહિના અત્યંત મુશ્કેલી અને જીવને જોખમમાં મૂકી પસાર કરવા પડી રહ્યા છે. નાનીપલસાણ ગામની પણ મોટી સમસ્યા છે. ગામ વચ્ચેથી વહેતી નદી પર પુલના અભાવે લોકો જિંદગી જોખમમાં મૂકી ટાયર ટ્યુબના સહારે નદી પસાર કરવા મજબુર છે. વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કપરાડા તાલુકાના નાની પલસાણ ગામના લોકો ચોમાસાના ચાર મહિના જીવને જોખમમાં મૂકી પસાર કરવા મજબૂર છે. ગામ વચ્ચેથી પસાર થતી…
‘કાંટા લગા’ ગીતથી લાખો લોકોના દિલ પર રાજ કરનારી અભિનેત્રી શેફાલી જરીવાલનું માત્ર 42 વર્ષની ઉંમરે અવસાન થયું છે. એક રિપોર્ટ અનુસાર શેફાલીના મૃત્યુનું કારણ કાર્ડિયાક એટેક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ તેના મૃત્યુનું સાચું કારણ બહાર આવશે. શેફાલી જરીવાલાના મૃત્યુ પછી, ફરી એકવાર યુવાનો ડરવા લાગ્યા છે. યુવાનોમાં ડર એ છે કે જ્યારે આટલું ફિટ અને સ્વસ્થ જીવન જીવતા કલાકારો હૃદય રોગનો શિકાર બની રહ્યા છે, તો પછી તેઓ કેવી રીતે સુરક્ષિત રહી શકે? શેફાલી જરીવાલાની ઉંમર માત્ર 42 વર્ષની હતી અને તે એકદમ ફિટ હતી. છેલ્લા કેટલાક વર્ષોથી, ભારતમાં કાર્ડિયાક એટેકના કિસ્સાઓ…
પર્યાવરણ રત્ન 2025માં મુકેશભાઈ મહેશચંદ્ર શાહ અને બિન્દુ બેન બી.દેસાઈને શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં સંઘર્ષમય પરિસ્થતિમાં મુકેશભાઈ અને બિન્દુબેન બી. દેસાઈએ સામાજીક જાગૃતિ, રાષ્ટ્રીય ચેતના-સંવર્ધનની સાથે-સાથે હાલના સમયની જરૂરીયાત સમા પર્યાવરણનું ક્ષેત્ર, શૈક્ષણિક જળ સંચય અને આરોગ્ય અંગેની જાગૃતિ માટે આપની દક્ષતા નિ:સ્વાર્થ ભાવે પ્રદાન કરો છો તે બાબતની નોંધ લઈ “ગંગા સમગ્ર તાપી પ્રાંત” ગુજરાત દ્વારા આપને ” પર્યાવરણ રત્ન-2025″થી સન્માનિત કરવામાં આવે છે. આ સન્માન કરતા હર્ષની લાગણી અનુભવીએ છીએ. આપ સદાય યશસ્વી રહો એવી શુભેચ્છાઓ પણ પાઠવામાં આવી છે. મુકેશભાઈ અને બિન્દુબેન. બી.દેસાઈ વિશે,, મારા અનુભવ વિશે થોડી વાત કરૂ તો, મુકેશભાઈ અને બિન્દુબેને ખાસ કરીને સોનગઢથી…