Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
ગુજરાત રાજ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનાઓનો કુખ્યાત અને વોન્ટેડ આરોપી સલીમ ઉર્ફે સાહીલ પઠાણને નિઝર પોલીસે ઝડપી લીધો છે. પોલીસ સકંજામાં આવેલા શખ્સને તારીખ 08/07/2024ના રોજ અટક કરી નામદાર કોર્ટેમાં રજૂ કરવામાં આવ્યો હતો. જે બાદ નામદાર સેશન્સ કોર્ટ તરફથી જરૂરી શરતોને આધીન જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. જો કે, આરોપી સામે ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં BNS-203ની કલમ 281, 125(એ) તથાં બારડોલી પોલીસ સ્ટેશનમાં BNS-કમલ 309(4),54 મુજબના ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેથી પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ગુનાના જામીન નામદાર સેશન્સ કોર્ટ તાપીએ રદ કરતા આરોપીનો ધરપકડ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યો હતો. જેથી આરોપી સાહિલ ઉર્ફે સલીમ પઠાણ નાસતો ફરતો…
માહિતી અને પ્રસારણ મંત્રાલય (MIB)એ ઉદ્યોગપતિ અદાણી સાથે સંબંધિત 138 યુટ્યુબ વિડિઓઝ અને 83 ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ દૂર કરવાનો આદેશ આપ્યો છે. સરકારનો આ આદેશ અદાણી એન્ટરપ્રાઇઝ દ્વારા દાખલ કરાયેલા માનહાનિના દાવા પર દિલ્હી કોર્ટના ચુકાદા પર આધારિત છે. સરકારે 12 સમાચાર સંગઠનો અને ઘણા સ્વતંત્ર પત્રકારો અને સર્જકોને વીડિયો દૂર કરવા માટે નોટિસ મોકલી છે, જેમાં ન્યૂઝલોન્ડ્રી અને ધ વાયર જેવા મીડિયા હાઉસ અને રવિશ કુમાર, અભિસાર શર્મા, અજિત અંજુમ, ધ્રુવ રાઠી અને આકાશ બેનર્જી જેવા પત્રકારોનો સમાવેશ થાય છે. કોર્ટના આદેશનો ઉલ્લેખ કર્યો છે? થોડા મહિના પહેલા, અદાણી ગ્રુપે દિલ્હીની કોર્ટમાં કેટલાક પત્રકારો, મીડિયા હાઉસ અને યુટ્યુબર્સ પર અદાણી…
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના છીંડીયા ગામના વતની સુંદરભાઈ છોટુભાઈ ગામીતે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી, વડોદરાના ફેકલ્ટી ઑફ આર્ટ્સના ગુજરાતી વિભાગના પ્રૉ. પુંડલિક પવારના માર્ગદર્શન હેઠળ “ગામીત જાતિનાં આદિવાસી લોકગીતો: એક વિવેચનાત્મક અભ્યાસ” વિશે મહા શોધનિબંધ રજૂ કર્યો, તેને માન્ય રાખી પીએચ.ડી.ની ઉપાધિ આપવામાં આવી હતી. સુંદરભાઈએ અગાઉ પ્રા.શા. છીંડીયા, માધ્યમિક શિક્ષણ બ્રધરન હાઈસ્કૂલ ડોલારા, ઉચ્ચ માધ્યમિક શિક્ષણ દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય વ્યારા, સ્નાતક વ્યારા કૉલેજ અને એમ. એ., બી. એડ્. એમ. ફિલ. ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં અભ્યાસ કર્યો હતો. “ગામીત જાતિની સંસ્કૃતિ સંદર્ભે પ્રકાશિત સાહિત્ય:એક અભ્યાસ” વિષય સાથે ડૉ. ધ્વનિલ પારેખના માર્ગદર્શન હેઠળ એમ. ફિલ. ની પદવી મેળવી. ગામમાં પ્રથમ એમ. ફિલ.…
તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ, શ્રમ, રોજગાર તથા ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ. બેઠક દરમ્યાન મંત્રીએ જિલ્લામાં વર્ષોથી પેંડિંગમાં રહેલા વિવિધ કામો, રસ્તા, આવાસ, જર્જરિત મકાનો તથા ટાંકી જેવા પ્રશ્નોના તાત્કાલિક નિવારણ માટે અધિકારીઓને કડક તાકિદ કરી હતી. ગેરકાયદેસરના દબાણો તથા બાંધકામોને દૂર કરી અટકેલા કામો તાત્કાલિક ધોરણે શરૂ કરવા અને ધારાસભ્યો દ્વારા રજૂ થયેલા પ્રશ્નોનો નિર્ધારિત સમયમર્યાદામાં યોગ્ય ઉકેલ લાવવા સૂચના આપી હતી. વધુંમાં જિલ્લાના વિકાસકાર્યો સમયમર્યાદામાં પૂર્ણ કરવા કરવા મંત્રીએ તાકીદ કરી હતી. મંત્રીએ જણાવ્યું કે, જિલ્લાના લોકોના હિતમાં એક એક કામ પ્રાથમિકતા સાથે પૂરું થવું જોઈએ,…
સોનગઢ તાલુકાના મલંગદેવ ફાંટા પાસેથી રૂપિયા 3 લાખની કિંમતનો વિદેશી દારૂ ભરીને ગુજરાતમાં આવતી મારુતિ કાર સાથે બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સોનગઢ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે એએસઆઈ માર્મિક હરેશને ખાનગી રીતે બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર તરફથી આવતી એક મારુતિ કારમાં ગેરકાયદેસર વિદેશી દારૂ ગુજરાતમાં લઈ જવામાં આવી રહ્યો છે. તેવી ચોક્કસ બાતમી મળતા સોનગઢ ફાંટા પાસે વોચ ગોઠવવામાં આવતાં રાત્રે ત્રણ વાગ્યે બાતમી મુજબની કાર આવતા તેને રોકવામાં આવી હતી. બાદમાં કારમાં તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની 2,400 બોટલ મળી આવી હતી, જેની અંદાજે કિંમત 3,00,000 થાય…
આજકાલની ભાગદોડની લાઈફસ્ટાઈલમાં અનેક યુવાનો અચાનક હાથ ધ્રુજવાની ફરિયાદ કરે છે. ઘણીવાર લોકો તેને થાક, નબળાઈ અથવા ગભરાટ તરીકે નકારી કાઢે છે, પરંતુ વારંવાર અથવા સતત હાથ ધ્રુજારી એ ગંભીર સમસ્યાનું લક્ષણ હોઈ શકે છે. ડોકટરોના મતે, જો નાની ઉંમરે હાથ ધ્રુજારી શરૂ થાય છે, તો તેને એસેન્શિયલ ટ્રેમર નામનો ન્યુરોલોજીકલ ડિસઓર્ડર માનવામાં આવે છે. ત્યારે જાણીએ એસેન્શિયલ ટ્રેમર શું છે. એસેન્શિયલ ટ્રેમર શું છે? એસેન્શિયલ ટ્રેમર એ નર્વસ સિસ્ટમનો એક ડિસઓર્ડર છે જેમાં શરીરના અમુક ભાગો, ખાસ કરીને હાથ, માથું અથવા અવાજ ધ્રુજવા લાગે છે. તે પાર્કિન્સન રોગથી અલગ છે, પરંતુ શરૂઆતના લક્ષણો ખૂબ સમાન છે. સૌથી સામાન્ય લક્ષણ…
વ્યારા પોલીસ સ્ટેશનમાં પશુ હેરાફેરીના ગુનાઓમાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને તાપી પેરોલ ફર્લો સ્કોર્ડ તથા તાપી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લીધો છે. એ.એસ.આઈ આનંદ ચેમાભાઈ એ.એસ.આઈ જગદીશ જોરારામભાઈને સંયુકત બાતમી મળતા પશુ હેરાફેરીના ગુનામાં નાસતો-ફરતો આરોપી આમીન શકિલ કુરેશીને ઝડપી લીધો હતો. આરોપીની ધરપકડ કરી વધુ તપાસ માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. વ્યારા પોલીસ સ્ટેશનની વધુ તપાસમાં અન્ય પણ ગુનાઓ કબૂલ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કામગીરી કરનાર સ્ટાફ:- પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ એલ.સી.બી પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી.પાંચાણી એ.એસ.આઈ જગદીશ જોરારામભાઈ એ.એસ.આઈ જયેશ લીલકીયાભાઈ હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ દેવસિંહ પોલીસ કોન્સ્ટેબલ રવિંદ્ર મહેન્દ્રભાઈ એ.એસ.આઈ આનંદ ચેમાભાઈ પોલીસ કોન્સ્ટેબલ દિપક સેવજીભાઈ…
સોનગઢ તાલુકાના વિભાજન કરવા બાબતે અને અભિપ્રાય માટે જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તેનો સોનગઢ તાલુકાના સરપંચો, તાલુકા પંચાયતના સભ્ય, અને જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા વાંધો અને વિરોધ કરવામાં આવ્યો છે. સોનગઢ તાલુકો ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે સોનગઢના વડા મથકથી 50 કિલોમીટરના અંતરે બધા ગામો આવેલા છે. પરંતુ સરકાર જે નવો તાલુકો બનાવવા માગે છે. તે ઉકાઈ સોનગઢને અડીને આવેલું છે. જેનું અંતર આશરે 4થી 5 કિલોમીટર છે. જેથી જનતાને સ્કૂલ-કોલેજ-આરોગ્ય તથા જીવન જરૂરિયાત માટે સોનગઢ આવવું પડે છે. તેથી સોનગઢ તાલુકોનું વિભાજન ન થાય તે માટે વાંધો અને વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સોનગઢ તાલુકાના લોકો દ્વારા વિભાજન…
પ્રોહીબિશનના ગુનામાં છેલ્લાં બે વર્ષથી વોન્ટેડ આરોપીઓને તાપી SOGએ ઝડપી લીધા છે. એ.એસ.આઈ અજય તેમજ પોલીસ કોન્સ્ટેબલ જયેશને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળતી હતી કે, સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીઓ મનિષ મહેશ ગામીત અને દિનેશ છબીલદાસ પારઘી સોનગઢ શહેરના હાથી ફળીયામાં આવેલા હનુમાન મંદિર પાસે ઉભા છે. તેવી ચોક્કસ માહિતી મળતા SOGની ટીમે બંને આરોપીઓને ઝડપી લીધા હતા. પકડાયેલા શખ્સો પાસેથી એન્ડ્રોઈડ મોબાઈલ જપ્ત કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:- પોલીસ ઈન્સ્પેક્ટર કે.જી લીંબાચીયા એ.એસ.આઈ અજયભાઈ દાદાભાઈ હેડ કોન્સ્ટેબલ હીરેનભાઈ ચીમનભાઈ પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ બલીરામ આ તમામ…
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે વોટ ચોરી મુદ્દે વધુ એક ખુલાસો કરતા ચકચાર મચી ગયો છે. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સચોટ પુરાવા સાથે વોટચોરીનો દાવો કર્યો હતો. પોતાની ‘વોટર અધિકાર યાત્રા’ પૂર્ણ થયા બાદ રાહુલે દાવો કર્યો હતો કે, અમારો પક્ષ ‘વોટ ચોરી’ મુદ્દે ટૂંક સમયમાં જ ‘હાઈડ્રોજન બોમ્બ’નો ખુલાસો કરશે. મારૂ કામ લોકશાહી પદ્ધતિમાં ભાગ લેવાનો છે. તેની રક્ષા કરવાનું નથી. ભારતના ઈન્સ્ટીટ્યુશન્સ આ કામ કરી રહ્યા નથી. તેથી હું તેમનું કામ કરી રહ્યો છું. મારૂ કામ સત્ય બહાર લાવવાનું છે. ભારતની લોકશાહી હાઈજેક થઈ ગઈ છે. તેને દેશના લોકો જ બચાવી…