ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીએ 40 જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક કરીને સંગઠનને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું ભર્યું છે. કોંગ્રેસે તેના સંગઠનને મજબૂત બનાવવા માટે જિલ્લા પ્રમુખોને વધુ સત્તા આપવાનો નિર્ણય લીધો છે. જેના માટે ‘સંગઠન નિર્માણ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે હેઠળ 40 જિલ્લા અને શહેર એકમોના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી હતી જેની યાદી રવિવારે જાહેર કરવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027ની તૈયારી
ગુજરાતની મુખ્ય વિપક્ષી પાર્ટી, કોંગ્રેસનું કહેવું છે કે ગુજરાત વિધાનસભાની 2027ની ચૂંટણી માટે પક્ષ તૈયાર થઈ રહ્યો છે. પ્રમુખોની જવાબદારી નક્કી કરવી આ દિશામાં એક મોટું પગલું છે. આ અભિયાન હેઠળ, થોડા મહિનામાં અન્ય રાજ્યોમાં પણ જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અભિયાનમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PCC)ના નિરીક્ષકોની ભૂમિકા મહત્વપૂર્ણ છે.
કોંગ્રેસ સંગઠન મહાસચિવનું નિવેદન:-
કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે, “કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતમાં જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ (ડીસીસી) ના પ્રમુખોની નિમણૂકને તાત્કાલિક અસરથી મંજૂરી આપી છે. આ નિમણૂકો ‘સંગઠન સૃજન’ અભિયાન હેઠળ સઘન સંગઠનાત્મક કવાયતનું પરિણામ છે. બૂથથી જિલ્લા સ્તર સુધી પાર્ટી માળખાને પુનર્જીવિત કરવા માટે શરૂ કરાયેલી ઝુંબેશ પારદર્શક, સમાવેશી અને વિચારધારા આધારિત નેતૃત્વ પસંદગી પર ધ્યાન કેન્દ્રિત કરે છે.”
૪૩ AICC નિરીક્ષકો અને ૧૮૩ PCC નિરીક્ષકોએ કરી ચર્ચ:-
૧૨ એપ્રિલના રોજ, ૪૩ એઆઈસીસી નિરીક્ષકો અને ૧૮૩ પીસીસી નિરીક્ષકોને ગુજરાતના તમામ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી હતી. આ પછી, એઆઈસીસી નિરીક્ષકોએ, પીસીસી નિરીક્ષકો સાથે, તમામ ૨૬ લોકસભા મતવિસ્તાર, ૧૮૨ વિધાનસભા મતવિસ્તાર અને લગભગ તમામ ૨૩૫ બ્લોક કોંગ્રેસ સમિતિઓ સાથે વિચાર-વિમર્શ કર્યો હતો. જે બાદ સંગઠનાત્મક ઇકોસિસ્ટમનું મૂલ્યાંકન કરવા માટે જાહેર સંવાદો, એક-એક બેઠકો અને પ્રેસ કોન્ફરન્સ દ્વારા પાર્ટી કાર્યકરો, નાગરિક સમાજ અને સ્થાનિક સમુદાયો સાથે વાતચીત કરીને આ યાદીની જાહેરાત કરવામાં આવી હતી.