ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા 28મી ઓક્ટોબરે ઠરાવ કરવામાં આવ્યો હતો કે ભારત સરકારની એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2024- 25 થી ખાનગી ટેકનિકલ ઊંચ શિક્ષણની કોલેજોમાં મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનારા આદિજાતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ બંધ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો કેન્દ્રિયકૃત પ્રવેશ સમિતિ મારફતે સરકારી કોટામાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ બાદ જો સરકારી કોટામાં કોઈ બેઠકો ખાલી રહેતી હોય તો આવી સીટો મેનેજમેન્ટ ક્વોટામાં ટ્રાન્સફર થાય તે મેનેજમેન્ટ કોટા સહિતની આ તમામ સીટો પણ મેનેજમેન્ટ કોટા તરીકે આ હેતુ માટે ગણતરીમાં લેવાશે સરકારના ઠરાવ બાદ સેલ્ફ ફાઇનાન્સ ડિપ્લોમા ઇજનેરી કોલેજ એસોસિએશનથી માંડી ડિગ્રીની ખાનગી કોલેજના એસોસિએશન દ્વારા આ મુદ્દે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. અને ગાંધીનગરમાં અનેકવાર ભારે હંગામો કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શિષ્યવૃતિ શરૂ કરવવા માટે આંદોલન પણ શરૂ થયું હતું. તે છતાં પણ ગુજરાત સરકારે આ મુદ્દે કોઈ છૂટ આપી ન હતી.
શાળા-કોલેજોમાં બીજું સત્ર શરૂ થયા બાદ અને ખાનગી કોલેજઓએ સરકારને પત્ર લખીને વિદ્યાર્થીઓના પ્રવેશ રદ થતા હોય જેથી 2024-25ના વર્ષ માટે છૂટ આપવા રજૂઆત કરી હતી કારણ કે સરકારે ગત વર્ષે પ્રવેશ પ્રક્રિયા પૂરી થયા બાદ અનેક વેકેન્ટ કોટા અને મેનેજમેન્ટ ક્વોટામાં હજારો વિદ્યાર્થીઓના પ્રવેશ થઈ ગયા બાદ આ ઠરાવ કર્યો હતો. આમ ઉગ્ર વિરોધ અને આંદોલન બાદ સરકારે છૂટ આપી દીધી છે. અને ગત વર્ષે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનારા એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને શિષ્યવૃત આપવાનો આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ઠરાવ કરી દેવામાં આવ્યો છે. 2025-26 અને તે પછીના વર્ષો માટે સૂચના અલગ જાહેર કરાશે.