ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી કનુ દેસાઈએ ગુરૂવારે વિધાનસભામાં ગુજરાતનું 4.08 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. સ્વભાવિક છે રાજ્યનું બજેટ રજૂ થાય એટલે દરેક ગુજરાતીને ઈચ્છા હોય કે બજેટમાં ગરીબ અને સામાન્ય વર્ગ માટે શું જોગવાઈ છે. ત્યારે જાણીએ ગુજરાતના ગરીબો માટે નીચેની જોગવાઈની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે.
ગરીબો માટે બનશે પાકા ઘર:———
ગરીબ પરિવારોને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા 3 લાખથી વધુ આવાસ બનશે. જેમાં પ્રધાનમંત્રી આવાસ, આંબેડકર આવાસ, પંડિત દિનદયાળ આવાસનો સમાવેશ થાય છે. તથા હળપતિ આવાસ યોજનાની સહાયમાં 1.20 લાખથી વધારીને 1.70 લાખ કરવામાં આવી છે.
યુવાઓ માટે જોગવાઈ:——
રાજ્યની 36 ટકા વસ્તી ધરાવતા યુવાનો માટે બજેટમાં શિષ્યવૃતિ માટે 4,827 કરોડની જાહેરાત, ઉચ્ચ અભ્યાસ માટે 10 જિલ્લમાં 20 સ્થળે સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બનશે. જેમાં 13 હજારથી વધુ યુવાનોને લાભ મળશે.
રાજ્યના ખેડૂતો માટે યોજના:—-
રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે વધુ 2,175 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
કિસાન ક્રેડિટ કાર્ડમાં 4 ટકા વ્યાજ રાહત માટે 1,252 કરોડની જોગવાઈ
લોન ગેરન્ટી તથા તાલીમ માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી
મિની ટ્રેક્ટર, ખાતર તથા અન્ય ઉપકરણો ખરીદવા માટે 1,612 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી.
બજેટમાં નારી શક્તિ માટે યોજના:——
બજેટમાં નારી શક્તિ માટે નવી સખી સાહસ યોજના જાહેર મહિલાઓને સાધન સહાય,લોન ગેરન્ટી તથા તાલીમ માટે 100 કરોડની જોગવાઈ, અમદાવાદ,વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવામાં આવશે.

