નસવાડી પોલીસે રણજીત ઉર્ફે રંગો વિનુભીલ અને વિપીન કચરાભાઈ ભીલ નામના શખ્સોને ઝડપી લીધા છે. પકડાયેલા બંને શખ્સોએ ગઢબોરીયાદ ગામે રહેતી દશરીબેન ભીમાભાઈ ભીલની કરપીણ હત્યા કરી હતી. ઘાતકી હત્યા કર્યાં બાદ આરોપીઓએ મૃતક દશરીબેને પગમાં પહેરેલા ચાંદીના કડાં માટે દશરીબેનના બંને પગ કાપી નાખ્યા હતા.અને અંદાજે એક કિલો વજન વાળા ચાંદીના કડાં લઈને ફરાર થયા હતા. આરોપીઓને એમ હતું અમે હત્યાની ઘટનાને અંજામ આપીશું અને ફરાર થઈ જઈશું પણ આ ઘટના બનતા પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી. પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ કરતા આરોપીઓને ઝડપી લીધા હતા.
આરોપીઓની પૂછપરછ કરતા જણાવ્યું કે, બેજાબાજોએ ચાંદીના કડાં નર્મદાના નામલપુર ગામે વેચવા માટે છુપાવીને રાખ્યા હતા. આ શખ્સોએ ફાઇનાન્સ માંથી ઈકો ગાડી લોન પર લીધી હતી.લોનના હપ્તા ચઢી જતા તેઓએ લૂંટનો ઇરાદો બનાવ્યો હતો અને છેલ્લાં એક માસથી મહિલાને મોતને ઘાટ ઉતારી લૂંટ કરવાનો પ્લાન ઘડતા હતા.પરંતુ પોલીસે હાલ તો મૃતક દશેરીબેનની હત્યા કરનાર હત્યારાએને ઝડપી પાડી જેલમાં ધકેલી દીધા છે.

