Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલી શુભમ રેસિડેન્સીમાં સોમવારે એક અત્યંત દુઃખદ ઘટના બની હતી. અંહી માત્ર 12 વર્ષના એક વિદ્યાર્થીએ નવમા માળેથી કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. મૃતક વિદ્યાર્થીનું નામ અવનીશ સુશીલભાઈ તિવારી છે. જે વિદ્યાર્થી ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. અવનીશના માતા-પિતાએ પરીક્ષા ચાલતી હોવાથી વિદ્યાર્થીને વાંચવા-ભણવા બાબતે ઠપકો આપ્યો હતો. જે વાતનું વિદ્યાર્થીને માઠું લાગી જતાં તેણે આપઘાત કરી લીધો હતો. ઉધના વિસ્તારના શુભમ રેસીડેન્સીમાં બન્યો બનાવ વિદ્યાર્થી અવનીશે શુભમ રેસિડેન્સીના નવમા માળેથી મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આપઘાતની…
ભારતીય સ્ટાર ક્રિકેટર રોહિત શર્માને ODI કેપ્ટનશીપમાંથી દૂર કરીને એક સાહસિક પગલું ભર્યું છે. શુભમન ગિલને 50 ઓવરના ફોર્મેટની કમાન સોંપવામાં આવતા આ પગલાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. લોકો આ નિર્ણયથી પણ આશ્ચર્યચકિત છે કારણ કે થોડા મહિના પહેલા જ ભારતે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ફાઇનલમાં તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ટીમ પસંદગી બાદ, રોહિત શર્માનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે જેમાં તે 2027 ODI વર્લ્ડ કપમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરે છે. મારું લક્ષ્ય 2027 વર્લ્ડ કપમાં રમવાનું છે:- રોહિત શર્માએ ICC 2024 T20 વર્લ્ડ કપ જીત્યા પછી આ…
પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદને કારણે, શનિવારે રાત્રે દાર્જિલિંગમાં સાત ભૂસ્ખલનની ઘટના બની હતી. મિરિક-સુખિયાપોખરી રોડ પરનો ટેકરીનો એક ભાગ તૂટી પડ્યો, જેના કારણે અનેક ઘરો ધરાશાયી થયા હતા. જેના કારણે અત્યાર સુધીમાં તેર લોકોના મોત થયા છે. ભૂસ્ખલનને કારણે રસ્તા પર કાટમાળના કારણે બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો છે. આસપાસના અનેક વિસ્તારોમાં વાહનોની અવરજવર અને સંદેશાવ્યવહાર ખોરવાઈ ગયો છે. મિરિકમાં એક લોખંડનો પુલ પણ તૂટી પડ્યો છે. ભારે વરસાદને કારણે તિસ્તા નદીમાં પૂર આવ્યું છે. તિસ્તાબજાર નજીક બાલુખોલામાં પૂરને કારણે સિલિગુડીને સિક્કિમ અને કાલિમપોંગ સાથે જોડતો હાઇવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. દાર્જિલિંગ શહેરનો શહેરના ઘણા ભાગો સાથે સંપર્ક પણ…
ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે શનિવારે જગદીશ પંચાલની સત્તાવાર જાહેરાત અને પદગ્રહણ સમારોહ કમલમમાં યોજાયો હતો. જગદીશ પંચાલનું કાર્યકરોએ ગાંધીનગરમાં ઢોલ-નગારા સાથે તેમનું સ્વાગત કર્યું હતું. નરોડા પાટિયા ખાતે પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશ મકવાણાએ જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કર્યું હતું. આ ઉત્સાહભર્યા માહોલમાં ભાજપની મહિલા કાર્યકરોએ ગરબે ઘૂમીને ખુશી વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેમણે કેમ્પ હનુમાન મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યાંથી કમલમ્ પહોંચ્યા હતા અને અહીં ભાજપ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જગદીશ પંચાલે ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખનો હોદ્દો સંભાળ્યો હતો. પદગ્રહણ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઈન્ચાર્જ કે. લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ,…
સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતો વોન્ટેડ આરોપીને તાપી લોકલ ક્રાઈમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એ.એસ.આઈ જયેશ લીલકીયા અને પોલીસ કોન્સ્ટેબલ રવિંદ્ર મહેન્દ્રને સંયુક્ત રીતે બાતમી મળતા આરોપી વિજય ઉર્ફે વિજુ ગગનદાસ રાજપાલને સોનગઢના નવા આર.ટી.ઓ ચેક પોસ્ટ પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે. પકડાયેલા શખ્સ સામે પ્રોહીબિશન એક્ટની કલમ 65ઈ, 81 મુજબના ગુનામાં સંડોવાયેલો હતો. આરોપીની વધુ તપાસ અને કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:- પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ એ.એસ.આઈ જગદીશ જોરારામ એ.એસ.આઈ જયેશ લીલકીયા હેડ કોન્સ્ટેબલ અનિરૂધ્ધસિંહ દેવસિંહ પોલીસ કોન્સ્ટેબલ રવિંદ્ર મહેન્દ્રભાઈ પોલીસ કોન્સ્ટેબલ…
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સિરપ પીવાથી 11 માસૂમ બાળકોના મોત થયાના અહેવાલો સામે આવ્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મોટો ખુલાસો કર્યો છે. મંત્રાલયે કહ્યું છે કે, કફ સિરપના સેમ્પલોની તપાસ કરવામાં આવ્યા બાદ, તેના એક પણ સેમ્પલમાં ડાયથિલીન ગ્લાયકોલ (DEG) કે એથિલીન ગ્લાયકોલ (EG) જેવા જોખમી કેમિકલ મળ્યા નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC), રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાન સંસ્થાન (NIV) અને કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠન (CDSCO)ની સંયુક્ત ટીમે ઘટનાસ્થળે જઈને અનેક સેમ્પલ એકઠા કર્યા હતા. આ સેમ્પલોની તપાસ કરાયા બાદ તેમાં કોઈપણ કફ સિરપમાં ડીઈજી કે ઈજી ન હોવાની પુષ્ટિ થઈ છે. આ એવા કેમિકલ…
ગુજરાત સરકારે બાળકોના સશક્ત ભવિષ્ય માટે ‘દૂધ સંજીવની યોજના’ અમલી બનાવી છે. આ યોજના લાખો બાળકો માટે જીવનદાયી બની છે. ખાસ કરીને ગરીબ અને અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ અપાતી દૂધ સંજીવની તેમને રોગો સામે લડવાની શક્તિ અને શ્રેષ્ઠ શિક્ષણ મેળવવા માટે જરૂરી ઊર્જા પૂરી પાડે છે. બાળ સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતી આ યોજના, ગુજરાતના આદિવાસી બાળકો માટે આશીર્વાદ બની રહી છે. યોજના હેઠળ અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૯,૭૫,૧૦૩ બાળકોને લાભ આપવામાં આવ્યો છે. સરકારી અને અનુદાનિત શાળાઓમાં અભ્યાસ કરતાં લાખો વિદ્યાર્થીઓને દરરોજ પોષણથી ભરપૂર દૂધ આપવામાં આવે છે. આ યોજના થકી બાળકો તંદુરસ્ત રહી ભણતરમાં વધુ ધ્યાન આપી…
ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. જગદીશ પંચાલ બન્યા નવા ભાજપના પ્રદેશ પ્રમુખ.. જગદીશ પંચાલ અમદાવાદ શહેરના નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના તેમજ પ્રોટોકોલ મંત્રી હતા જગદીશ વિશ્વકર્મા. પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરતા સમયે જગદીશ વિશ્વકર્માની સાથે તેમના 10 ટેકેદારો પણ હાજર રહેશે. કોણ છે જગદીશ પંચાલ? જગદીશભાઇ ઇશ્વરભાઇ પંચાલ 46-નિકોલ મતવિભાગ (અમદાવાદ શહેર) વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ 12 ઓગસ્ટ, 1973ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. તેમણે એસ.વાય.બી.એ., એમ.બી.એ. ઇન માર્કેટીંગનો અભ્યાસ કરેલો છે. તેઓ ટેક્સટાઇલ મશીનરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ વાંચન-સ્વિમિંગ, બેડમિન્ટન અને સમાજ સેવાનો શોખ ધરાવે છે. ભૂપેન્દ્ર પટેલની…
તાપી જિલ્લાના ઉકાઈ ખાતે દશેરાના પાવન પર્વ તેમજ ગાંધી જયંતિના શુભ દિને ગુરુવારે સોનેરી દિવસ ઉગ્યો હતો. અહીંના અંતરિયાળ વિસ્તારના આદિવાસી લોકો માટે રાજ્ય સરકારે તાપી જિલ્લાના આઠમાં તાલુકા તરીકે ઉકાઈ તાલુકાને જાહેર કર્યો હતો. જેનો વિધિવત પ્રારંભ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અને પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને લોકાર્પણ સમારોહ ઉકાઈ (જુનુ જલ ભવન) ખાતે યોજાયો હતો. સૌ તાપીવાસીઓ માટે આજનો દિવસ ઐતિહાસિક સંભારણું બન્યો હતો. મંત્રી મુકેશભાઈ પટેલે સૌને દશેરાની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવરાત્રના પ્રથમ દિવસે દેશવાસીઓને GST માં ઘટાડો કરીને ભેટ આપી છે. જેનાથી અનેક પ્રકારના ટેક્ષમાં ઘટાડો થશે. તેમજ…
તાપીના ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરકચ્છ ગામના નહેર ફળિયામાંથી જુગારીઓને તાપી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી અંદાજે 97,390નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટના પર નજર કરીએ તો, હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ મહોબતસિંહને ખાનગી રીતે બાતમી મળી હતી કે, ઉમરકચ્છ ગામના નહેર ફળીયામાં આવેલા હરસીંગ લાલસીંગ ચૌધરીના ઘરનની આગળના ભાગે ખુલ્લી જગ્યામાં કેટલાંક ઈસમો ગોળકુંડાળુ કરી પૈસાથી ગંજી પાનાનો જુગાર રમે છે. તેવી બાતમી મળતા પોલીસ ઈન્સ્પેક્ટર એસ.પી.સોઢા એલ.સી.બી.તાપી થતા પેરોલ -ફર્લો સ્કોર્ડ તાપીના માણસો બાતમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરતા આરોપી લસીંગ ચૌધરી, જીગ્નેશ દુર્લભ પટેલને ઝડપી લીધા હતા. પકડાયેલા શખ્સો પાસેથી જપ્ત કરેલી…
