Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

ગુજરાત સરકારનાં રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓવિભાગ, ગાંધીનગર તેમજ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ,ગાંધીનગર આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,તાપી દ્રારા સંચાલિત “જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૨૦૨૫-૨૬”નું આયોજન કરવામાં આવનાર છે. આ સ્પર્ધામાં (૧) અ વિભાગ- ૦૭ થી ૧૦ વર્ષ સુધીના (૨) બ વિભાગ- ૧૦ થી ૧૩ વર્ષ સુધીના અને (૩) ખુલ્લો વિભાગ – ૦૭ થી ૧૩ વર્ષ સુધીના એમ ૦૩(ત્રણ) વયજુથનાં સ્પર્ધકો ભાગ લઈ શકશે. સ્પર્ધકની ઉંમર તા.૩૧/૧૨/૨૦૨૪ની સ્થિતિ એ ગણવાની રહેશે. બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં અ અને બ વિભાગમાં (૧) વક્તૃત્વ, (૨) નિબંધ લેખન, (૩) ચિત્રકલા, (૪) સર્જનાત્મક કારીગરી, (૫) લગ્નગીત, (૬) લોકવાદ્ય…

Read More

પંચમહાલના ગોધરામાંથી એક કરૂણ ઘટના સામે આવી છે. અંહી રહેણાંક મકાનમાં આગ લાગતા 4 લોકોના મોત થયા છે. આગના બનાવમાં એક જ પરિવારના 4 સભ્યોના કરૂણ મોત થતાં ચકચાર મચી ગયો છે. માતા-પિતા અને બે પુત્રના આગના બનાવમાં મોત થયા છે.પરિવારના બંને પુત્રમાંથી એક પુત્રની આજે સગાઈ હતી. ગોધરાની વૃંદાવન નગર-2 સોસાયટીમાં દુ:ખદ ઘટના બની હતી. સોફામાં લાગેલી આગના કારણે રૂમમાં ભરાયો હતો ધુમાડો.ગુંગળામણથી ચારેય લોકોના મોત નિપજ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે. ઘટનામાં જ્વેલર્સના વ્યવસાય સાથે જોડાયેલા કમલ દોશીનો પરિવાર હોવાનું સામે આવ્યું.. જેમાં કમલ દોશી તેમના…

Read More

દર વર્ષે ૨૧ નવેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. ભારત જેવા વિશાળ દરિયાઈ સીમા ધરાવતા દેશ માટે આ દિવસનું વિશેષ મહત્વ છે, અને તેમાંય જ્યારે વાત ગુજરાતની હોય, ત્યારે આ ઉજવણી વધુ ‘ગૌરવપૂર્ણ’ બની જાય છે.દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય હોવાથી ગુજરાતને ભારતના મત્સ્ય ઉદ્યોગનું ‘પાવરહાઉસ’ માનવામાં આવે છે. મત્સ્ય ઉત્પાદનના ક્ષેત્રે ગુજરાત આજે દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે છે, જ્યારે કુલ માછલી ઉત્પાદનમાં છઠ્ઠું સ્થાન ધરાવે છે. આટલું જ નહીં, ગુજરાતની ફ્રોઝન શ્રિમ્પ (ઝીંગા), રિબન ફિશ, કટલ ફિશ અને સ્ક્વિડની માંગ ચીન, યુરોપ, અમેરિકા…

Read More

સુરત રેન્જ આઈજી દ્વારા નિઝર ડિવિઝનનું વાર્ષિક ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. 22/03/2024થી નિઝર ડિવિઝન નવું ખોલવામાં આવ્યું હતું. જેનું પ્રથમ વાર્ષિક ઈન્સ્પેક્શન પ્રેમ વીર સિંહ સુરત વિભાગ દ્વારા તારીખ 19/11/2025ના રોજ કરવામાં આવ્યું હતું. આઈપીએસ પ્રેમ વીર સિંહ કુકરમુંડા ખાતે રાત્રી રોકાણ કરી ઈન્સ્પેક્શનનું કાણ પૂર્ણ કર્યું હતું. જે બાદ તાપી જિલ્લા પોલીસના અધિકારીઓ સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ વિરોધી પ્રવૃતિઓ કરતા ઈસમો અને હથિયાર ધારા, એન.ડી.પી.એસ. એક્ટ, એક્સપ્લોઝિવ એક્ટ, બનાવટી ચલણી નોટના કેસ, ટાડા,પોટા, મકોકા તેમજ યુ.એ.પી.એ જેવા કેસો તથા પેટ્રોલિયમ ધારાના કેસોમાં સંડોવાયેલા આરોપીઓ તથા ભૂતકાળમાં આચરેલા ગુનાઓનું રિવ્યુ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાયબર…

Read More

સોનગઢ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કમલ 303(2) મુજબનો ગુનો રજીસ્ટર થયો હતો. જે કામને લઈ એલ.સી.બી અને પેરોલ ફર્લો સ્ક્વોર્ડના તમામ પોલીસના માણસોએ પોતાના ખાગની બાતમીદારો રોકેલા હતા. સાથે સીસીટીવી તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભેસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ રસીકસિંહ તથાં પોલીસ કોન્સ્ટેબલ વિનોદ ગોકળભાઈ નાઓને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી હતી કે, ઉપરોક્ત ગુનાનો આરોપી વ્યારા શહેરના જુના બસ સ્ટેન્ડ પાસે હાજર છે. જેવી યોગ્ય બાતમી મળતા વ્યારા જુના બસ સ્ટેન્ડ પાસેથી આરોપી અરબાઝ બસીર અને તેનો મિત્ર શેહબાઝ સઈદ શેખની અટકાયત કરી હતી. જે બાદ પૂછપરછ કરતા…

Read More

અમદાવાદની સાબરમતી જેલમાં ફરી એકવાર કેદીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. ગુજરાત ATS દ્વારા થોડા સમય પહેલા ગાંધીનગરના અડાલજ વિસ્તારમાંથી ત્રણ કેદીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આતંકીઓમાં ડૉ. અહેમદ સૈયદ, આઝાદ અને સોહિલ સાબરમતી જેલમાં અત્યારે કેદમાં છે. આ દરમ્યાન અન્ય કેદીઓએ આ ત્રણેય આતંકીઓને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આતંકી અહેમદને મોઢા અને શરીર પર ઈજાઓ:- સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો, આતંકી અહેમદને મોઢા અને શરીરના અન્ય ભાગે ઈજાઓ થતાં તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં ડૉક્ટરોએ આતંકીની સારવાર કર્યાં બાદ ફરી તેમને સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.…

Read More

સ્વાતંત્ર્ય સેનાની જન નાયક ધરતીઆબા બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિતે ભવ્ય અને દિવ્ય ઉજવણી ભરૂચ જિલ્લાના નેત્રંગમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પોતાના પહેરવેશમાં સભા સ્થળે હાજર રહ્યા હતા. ડ્રોન શોટ્સનો વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ:- https://twitter.com/AamAadmiParty/status/1989928484383404061 અત્યારે એક સોશ્યિલ મીડિયામાં એક વીડિયો ખૂબજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં લાખો લોકો ચૈતર વસાવાની સભામાં આવ્યા હોય તેવા દ્રશ્યો સાફ-સાફ દેખાઈ રહ્યા છે. મહત્વનું છે કે, આ કાર્યક્રમમાં તાપી, નવસારી, ભરૂચ, સુરત, છોટાઉદેપુર, પંચમહાલ સહિત અન્ય રાજ્યના લોકો પણ મોટી સંખ્યમાં હાજર…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનજાતિય ગૌરવ દિવસ અને ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિના પવિત્ર અવસરે દેવમોગરા માતાના મંદિરે દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.પીએમ મોદીએ દેવમોગરા માતાના દર્શન કરી ધન્યતા અનુભવી. દેવમોગરા માતા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વસતા આદિવાસી સમુદાયના લોકો દેવમોગરા માતાને પાંડોરી માતા કુલદેવી તરીકે પૂજતા હોય છે. દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે નર્મદામાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આદિવાસી ગૌરવ દિવસના આ શુભ પ્રસંગે, સમગ્ર રાષ્ટ્ર આપણી માતૃભૂમિની ગરિમાના રક્ષણમાં તેમના અજોડ યોગદાનને આદરપૂર્વક યાદ કરે છે. વિદેશી શાસનના અન્યાય સામે તેમનો સંઘર્ષ અને બલિદાન આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહેશે…

Read More

તાપી LCB અને પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમે વ્યારા શહેરમાંથી મોપેડ ચોરી કરનાર શખ્સને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. LCBનાના હેડ કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ અને અન્ય પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે પોલીસ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ રસીકસિંહ અને વિનોદ ગોકળભાઈને ખાનગી સૂત્રો પાસેથી ચોક્કસ માહિતી મળી હતી કે, વ્યારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુ.ર.નં. 11824001252198/2025 (ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) હેઠળ) મોપેડ ચોરીનો આરોપી વ્યારા સ્ટેશન રોડ વિસ્તારમાં આંટાફેરા મારી રહ્યો છે. તેવી માહિતી મળતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આરોપીને સકંજામાં લીધો હતો. પોલીસ પકડમાં આવેલા આરોપીનું નામ અક્ષય બાબુલાલ ભગુરે છે. આર્થિક તંગી હોવાથી ચોરી કરતો:- પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે…

Read More

બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી ભવ્ય જીત બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ મુખ્યાલય પહોંચ્યા. તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ હતા. મુખ્યાલય પહોંચ્યા પછી, પીએમ મોદીએ બિહારી શૈલીમાં ગમછા લહેરાવી કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. બિહાર ચૂંટણીમાં ઐતિહાસિક વિજયની ઉજવણી કરતા, ભાજપના કાર્યકરો અને નેતાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કર્યું અને તેમનો આભાર માન્યો. પીએમ મોદીએ બિહારી શૈલીમાં ગમછા લહેરાવીને બિહારના લોકોને એનડીએની જીતનો સંદેશ આપ્યો. https://twitter.com/ANI/status/1989325664307270012 પીએમ મોદીનું કાર્યકર્તાઓને સંબોધન:- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ “છઠી મૈયાના નારા સાથે સંબોધનની શરૂઆત કરી. કહ્યું, “આ પ્રચંડ વિજય, આ અતૂટ શ્રદ્ધા, બિહારના…

Read More