Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
વ્યારા તાલુકાનું નાનકડું પરંતુ વિકાસપ્રેમી ગામ ચિખલદા આજે તાપી જિલ્લાના ગૌરવનું કેન્દ્ર બની ગયું છે. ગામના યુવા, ઉર્જાવાન અને ટેક્નોલોજીપ્રેમી સરપંચ રીપીન ગામીતને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તરફથી મળેલો અભિનંદન પત્ર માત્ર એક સન્માન નથી, પરંતુ ગ્રામ્ય નેતૃત્વ, નવોત્થાન અને ડિજિટલ સુશાસનનું જીવંત પ્રમાણ છે. આ પ્રસંગે રીપીન ગામીતે વિનમ્રતા દર્શાવતા જણાવ્યું કે,મારા દરેક પ્રયાસ પાછળ તાપી જિલ્લાના માહિતી ખાતાનો મહત્ત્વપૂર્ણ સહકાર છે. ખાસ કરીને સહાયક માહિતી નિયામક સુમિત ગોહિલના માર્ગદર્શન વગર આટલા ટૂંક સમયમાં લોકપ્રિય બનવું શક્ય નહોતું. તેમણે વધુમાં ઉમેર્યું કે પહેલાં તેમના ચાર હજાર જેટલા ફૉલોઅર્સ હતા, પરંતુ માહિતી ખાતાના સહયોગ બાદ તેમની લોકપ્રિયતા અને ફૉલોઅર્સ અનેક…
શ્રીલંકામાં તબાહી મચાવ્યાં બાદ હવે દિતવાહ વાવાઝોડું તેજીથી ભારત તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર વાવાઝોડું 30મી નવેમ્બરે તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાઇ શકે છે. વાવાઝોડાના કારણે શ્રીલંકામાં ભારે તારાજી સર્જાઈ છે. મૃત્યુઆંક વધીને 123 પહોંચ્યો છે જ્યારે હજારો લોકો બેઘર થયા છે. પુડુચેરીમાં રેડ એલર્ટ જારી ચક્રવાત દિતવાહ ભારતીય દરિયાકાંઠે નજીક આવતાં પુડુચેરીમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્રે તમામ વિભાગોને સતર્ક રહેવાની સૂચના આપી છે અને લોકોને બિનજરૂરી રીતે બહાર ન નીકળવાની સલાહ આપી છે. મત્સ્યઉદ્યોગ વિભાગે માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી પણ આપી છે. અરાક્કોનમથી 60 સભ્યોની બચાવ ટીમ પુડુચેરી…
ફિલિપ વસાવા, ઉમરપાડા મિશન લાઈફ સેમિનાર અને વિવિધ પ્રવૃત્તિઓ અંતર્ગત તારીખ 28/11/2025ના રોજ બારડોલીની જે. એમ.પટેલ સાર્વજનિક હાઈસ્કૂલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારના મુખ્ય અતિથિ તરીકે ગીતાબેન જે. ભામાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આહારમાં મીલેટસના મહત્વ અને તેના મૂલ્યવર્ધન વિશે વિસ્તૃત માહિતીથી લોકોને માહિતગાર કર્યાં હતા. કાર્યક્રમમાં સખી મંડળીની બહેનો, icdsની બહેનો અને મિશન મંગલમ્ સ્ટાફ હાજર રહ્યો હતો. icdsની બહેનો દ્વારા વિવિધ વાનગીઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મિશન લાઈફ કાર્યક્રમમાં આવેલા તમામ લોકોએ મીલેટસ્ આધારિત બનાવેલી અલગ-અલગ પ્રકારની વાનગીઓનો સ્વાદ માણી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો.
તાપી જિલ્લાના સરૈયા–બંધારપાડા–ટેમ્કા માર્ગ, જે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ્સ તાપી હેઠળનો મહત્વનો સ્ટેટ હાઇવે છે, તેની ૨૧.૫૦ કિમી લંબાઈમાં ૭થી ૧૦ મીટર સુધી વાયડનિંગ અને રિસરફેસિંગનું કાર્ય હાલમાં ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. આ રોડ સરૈયાથી બંધારપાડા થકી સોનગઢ તથા ટેમ્કા, બરડીપાડા, મહાલ, શબરિધામ જેવા વિસ્તારોને જોડતો અત્યંત અગત્યનો માર્ગ છે. સાથે જ ડાંગ અને તાપી જીલ્લાને પણ આ માર્ગ સીધો સાંકળે છે. આ માર્ગનું વિકાસ કાર્ય પૂર્ણ થવાથી સરૈયા, ધમોડી, ગતાડી, ગાળકૂવા, બંધારપાડા, ઘોડચીત, બેડપાડા, મોંઘવાણ, મૈયાલી, સાંઢકુવા, વડપાડા, બોરકુવા, સાતશીલા, કાલાઘાટ, આમલગુંડી, ગુનખડી, ટાપરવાડા અને ટેમ્કા જેવા ગામોના મળીને આશરે 35,000 થી વધુ લોકોને સીધો લાભ…
નવું વર્ષ આવે તે પહેલાં જ, બાબા વાંગાની ભવિષ્યવાણીઓ વિશે ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. બાબા વાંગાને બાલ્કન ક્ષેત્રના નોસ્ટ્રાડેમસ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વભરમાં તેમની ભવિષ્યવાણીઓ માટે જાણીતા, બલ્ગેરિયન બાબા વાંગા દ્વારા 2026 માટે કરવામાં આવેલી ઘણી આગાહીઓ વાયરલ થઈ રહી છે. આ આગાહીઓ સોનાના ભાવને પણ સ્પર્શે કરી રહી છે. બાબા વાંગાની સોનાના ભાવ પરની આગાહી ભારતમાં 10 ગ્રામ સોનાની કિંમત આશરે ₹125,000 સુધી પહોંચી ગયા છે. બાબા વાંગાની વાયરલ આગાહી અનુસાર, વૈશ્વિક આર્થિક ફેરફારો 2026માં નાણાકીય કટોકટી પેદા કરી શકે છે, જે પરંપરાગત બેંકિંગ પ્રણાલીને અસર કરી શકે છે. આ કટોકટી બેંકિંગ કટોકટી, ચલણના મૂલ્યોમાં નબળાઈ અને…
તાપી જિલ્લાના કુકરમુંડા ખાતે આવેલા શેઠ એસ.કે.કાપડિયા વિદ્યાલયમાં ડી.વાય.એસ.પી ઓફિસ નિઝર દ્વારા વિધાર્થીઓ સાથે સંવાદ અને વિદ્યાર્થી એવરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં નિઝરના DySP આઈ.એન.પરમાર તથા કિરણ પાડવી તેમની સાથે અન્ય પોલીસ કર્મચારીઓએ ટ્રાફિક જાગૃતિ અંતર્ગત ટ્રાફિકના નિયમો પાળવા તથા બાળકોને ટુ-વ્હીલર પર હેલ્મેટ પહેરવા અને પહેરાવવા માટે ભારપૂર્વક અનુરોધ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાયબર ક્રાઇમના વિવિધ સ્વરૂપોની છણાવટ કરી તેમાંથી કેવી રીતે બચી શકાય તેની વિગતવાર ચર્ચા કરી હતી. પોક્સો એક્ટ અંતર્ગતની વિવિધ જોગવાઈઓની પણ વાત કરવામાં આવી હતી. પોલીસમાં કેવી રીતે ભરતી થવાઈ તેની પણ જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે પોલીસની…
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિદ્યાર્થીઓને સાથે રાખીને ગાંધીનગર બિરસા મુંડા ભવન ખાતે જઈ આદિવાસી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની શિષ્યવૃતિ ફરી શરૂ કરાવવા માટે માંગ કરી હતી. તેમણે જણાવ્યું કે, ઉચ્ચ અભ્યાસક્રમો માટે ભારત સરકારની પોસ્ટ મેટ્રિકની શિષ્યવૃતિની યોજનામાં 25 ટકા રાજ્ય સરકાર અને 75 ટકા કેન્દ્ર સરકાર તરફથી શિષ્યવૃતિની વર્ષોથી ચાલતી આ યોજના ઓક્ટોબર-2024માં ભાજપની સરકારે એક પરિપત્ર બહાર પાડીને બંધ કરી દેતા અંદાજે 60,000 જેટલા વિદ્યાર્થીઓના અભ્યાસ પર ખરાબ અસર પડી હતી.તે પછી આપ દ્વારા રજૂઆત કરાતા સરકારે આ યોજના ફરી શરૂ કરવાની જાહેરાત કરી પરંતુ આજદિન સુધી તેનો અમલ થયો નથી. હવે આ યોજના શરૂ નહી થાય…
અયોધ્યામાં મંગળવારે એક ઐતિહાસિક ક્ષણ જીવંત થઈ. શ્રી રામ જન્મભૂમિ મંદિરની ટોચ પર ધર્મધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ શુભ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન રામને હાથ જોડીને પ્રણામ કર્યા હતા. અભિજીત મુહૂર્ત દરમિયાન વૈદિક મંત્રોના જાપ અને ધ્વજારોહણથી સમગ્ર રામનગરી ઉત્સવના વાતાવરણમાં ડૂબી હતી. દરમ્યાન પીએમ મોદીએ કહ્યું કે, અયોધ્યા શહેર ભારતની સાંસ્કૃતિક ચેતનામાં વધુ એક વળાંક જોઈ રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજવંદન ઉજવણીની આ ક્ષણ અનોખી અને અસાધારણ છે. આ ધર્મધ્વજ ફક્ત એક ધ્વજ નથી. તે ભારતીય સંસ્કૃતિના પુનર્જાગરણનો ધ્વજ છે. આ ધ્વજ સંઘર્ષ દ્વારા સર્જનની ગાથા છે, સદીઓ જૂના સપનાઓનું મૂર્ત સ્વરૂપ છે, સંતોના આધ્યાત્મિક અભ્યાસ…
બોલિવૂડના પીઢ અભિનેતા ગણાતા ધર્મેન્દ્રનું સોમવારે 89 વર્ષની વયે નિધન થયું છે.ધર્મેન્દ્ર બોલિવૂડમાં હી-મેનના નામથી પ્રખ્યાત હતા. તેમના નિધનથી સિનેમા જગતમાં શોકની લહેર પ્રસરી છે. ધર્મેન્દ્ર છેલ્લાં લાંબા સમયથી બીમાર હતા. ધર્મેન્દ્રની મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. હાલમાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને ઘરે જ તેમની સારવાર ચાલી રહી હતી. ધર્મેન્દ્રની યાદગાર રહી સફર ધર્મેન્દ્રનો જન્મ 8 ડિસેમ્બર, 1935ના રોજ પંજાબમાં થયો હતો. 65 વર્ષના ફિલ્મી કરિયરમાં તેમણે 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું અને હિન્દી સિનેમા જગતમાં અનેક હિટ ફિલ્મો આપી. 1960માં દિલ ભી તેરા હમ ભી તેરે ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. આઈ મિલન…
તાપી નિઝરના રૂમકીતળાવમાંથી બોગસ ડૉક્ટરને એલોપેથિક દવાના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો છે. શખ્સ પાસેથી જપ્ત કરાયેલી વસ્તુની કિંમત 29,341 થાય છે. તાપી જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા બોગસ ડૉક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેવો ઘાટ ઘડાયો છે. કારણ કે તાપી જિલ્લામાંથી અનેક વાર બોગસ ડૉક્ટરો ઝડપાઈ આવતા હોય છે. આ બધાં વચ્ચે નિઝરના રૂમકીતળાવ ગામેથી વધુ એક બોગસ ડૉક્ટર ઝડપાયો છે. બાતમીના આધારે ઝડપાયો નકલી ડૉક્ટર:- એસ.ઓ.જી શાખાના માણસો નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોગસ ડૉક્ટરને ઝડપી પાડવા માટે પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ હીરેન ચીમન તથા પોલીસ કોન્સ્ટેબલ જયેશ બલીરામને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, રૂમકીતળાવ ગામે શિવજી…
