Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

તાપી ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ક્રેટા કારમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે.એ.એસ.આઈ બીપીન અને હેડ કોન્સ્ટેબલ લેબજીને ખાનગી રીતે બાતમી મળી હતી કે, મહારાષ્ટ્રના નવાપુર તરફથી એક સફેદ કલરની ક્રેટા કાર જેનો નંબર GJ-08-CC-5529માં ઈગ્લીશ દારૂનો જથ્થો ભરી કાર વ્યારા તરફ આવી રહી છે. તેવી બાતમીના આધારે પેટ્રોલીંગમાં હતા ત્યારે વ્યારા ટીચકપુરા બાયપાસ હાઈવે રોડ પર પહોચતા હકીકત વાળી ક્રેટા કાર પાસ થતા તેનો પીછો કરતા ક્રેટાનો ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. કારમાં અંદર તપાસ કરતા ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો અંદાજે 13,8,000નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે મુદ્દામાલ જપ્ત કરી ફરાર થયેલા ક્રેટા…

Read More

કાકરાપાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી રામદેવ હોટલ પર પાર્ક કરેલી ટ્રકમાંથી ડીઝલની ચોરી કરનાર આરોપીઓને તાપી લોકલ ક્રાઈમ બ્રાંચ તથા તાપી પેરોલ ફર્લો સ્કોર્ડે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા. થોડા સમય પહેલા કાકરાપાર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) મુજબનો ગુનો નોધાયો હતો. રાત્રીના સમયે કટાસવાણ ગામની સીમમાં આવેલી રામદેવ હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલા બે ટ્રેલરમાંથી કોઈ અજાણ્યા ઈસમો 410 લીટર ડીઝલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે બનાવ અંગે LCB શાખાના હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ પ્રતાપભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી અગાઉ ડીઝલ ચોરીના ગુનામાં પકડાયેલો આરોપી અશ્વિન ઉર્ફે ડેબો નવીનભાઈ ગામીત સંડોવાયેલ છે. તેવી ચોક્કસ બાતમીના આધારે…

Read More

જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરો છો અને ઘણીવાર જરૂર કરતાં વધુ સામાન ટ્રેનમાં લઈ જાવ છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે.. કારણ કે રેલવેએ સ્પષ્ટતા કરી છે કે ટ્રેન મુસાફરી દરમિયાન નિર્ધારિત સામાન મર્યાદા કરતાં વધુ સામાન લઈ જવા બદલ મુસાફરો પાસેથી વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે. આનો અર્થ એ છે કે હવે હવાઈ મુસાફરીની જેમ રેલ મુસાફરી માટે સામાનના નિયમો વધુ કડક બનશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આ મહત્વપૂર્ણ માહિતી શેર કરી હતી. ટ્રેન મુસાફરી માટે સામાન મર્યાદા અંગેના પ્રશ્નના જવાબમાં, રેલવે મંત્રીએ સમજાવ્યું કે મુસાફરો પાસે પહેલાથી જ…

Read More

સુરતમાં ભાગ્યલક્ષ્મી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા મંગળવારે ખટોદરાના SMC કમ્યુનિટી હોલ ખાતે ભાગ્યલક્ષ્મી ક્રેડિટ કો-ઓપરેટિવના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અંદાજે 1000 જેટલા સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે મહિલા સભ્યો વચ્ચે નાણાકીય જાગૃતિ અંગેની મહત્વપૂર્ણ શૈક્ષણિક પહેલ રજૂ કરવામાં આવી હતી. ખાસ કરીને “બચત જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે વ્યક્તિને નાણાકીય સ્થિરતા, સુરક્ષા અને ભવિષ્ય માટે તૈયારી મેળવવામાં મદદ કરે છે” આ સંદેશ આપતા સોસાયટીએ બચત કેવી રીતે શરૂ કરવી તે અંગેની વ્યવહારુ સલાહ આપી હતી. જેમાં આવકના 20થી30 ટકાની બચત કરો. અનિચ્છનીય ખર્ચો ટાળો, લાંબા ગાળાના રોકાણનો વિચાર…

Read More

તાપી જિલ્લાના ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ખાતે મંગળવારે સવારે ૧૦:૩૦ કલાકે ક્લોરિન પ્લાન્ટમાં અચાનક ગેસ લીકેજની ઘટના સર્જાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પ્લાન્ટના કુલિંગ વોટર સાઇટના ટોપ વાલ્વમાંથી ઝેરી ક્લોરિન ગેસ લીકેજ થતાં બે કર્મચારીઓ ગેસની ઝપેટમાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ પ્લાન્ટ ઓપરેટરે ઇન્ટરનલ ઇમરજન્સી ટીમને માહિતગાર કરી હતી. જે.કે. પેપર મિલની ટીમ પણ જરૂરી સંસાધનો સાથે ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાં જિલ્લા વહીવટી તંત્ર તથા આપત્તિ વ્યવસ્થાપનએ NDRF ની ટીમને ત્વરિત જાણકારી આપી હતી. બંને ટીમ ત્વરિત ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. જવાનોએ ગેસની ઝપેટમાં આવેલા બે પૈકી એક કર્મચારીને પ્રાથમિક સારવાર આપી…

Read More

ભારત સરકારના I4C (Indian Cyber Crime Coordination Centre), નવી દિલ્હી તરફથી મ્યુલ બેંક એકાઉન્ટોની પ્રાપ્ત થયેલી માહિતીના આધારે, સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એન.એસ.ચૌહાણ તથા પોલીસ ઈન્સ્પેક્ટર આઈ.ડી.દેસાઈ નાઓના તાબામાં ટીમ દ્વારા વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી. જે તપાસ દરમિયાન સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા ના એકાઉન્ટ નં.00000033323283975 નું ખાતુ મળી આવેલ હોય, જેમા ૬૦,૦૦૦ રૂપિયા ફ્રોડ રકમ જમા થયેલાની વિવિધ રાજ્યોમાં ૨ સાયબર ફ્રોડ ફરિયાદો થયેલ હોવાનુ માલુમ પડતા વિશેષ તપાસ હાથ ધરતા તે અકાઉન્ટ નિખીલ અનુપભાઇ ચૌવ્હાણ રહે.સોનગઢ, શિવાજીનગર તા.સોનગઢ જી.તાપીનું હોવાનુ માલુમ પડેલ.જે એકાઉન્ટની તપાસમાં જણાયેલ કે, તેઓ રોશની કોમ્પ્લેકસમાં “નક્ષ ટ્રેડર્સ” નામની ઓફિસમાં માર્ચ-૨૦૨૫ થી નોકરી કરતા…

Read More

ઓપરેશન કારાવાસ અંતર્ગત નવસારી જિલ્લાના નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનાનો નવસારી સબ જેલમાંથી ફરાર થયેલો કાચા કામના આરોપીને વ્યારા સુગર ફેક્ટરી પાસેથી પેરોલ ફર્લો સ્કોડ તાપી થતા લોકલ ક્રાઈમ બ્રાંચ તાપીએ ઝડપી લીધો છે. આરોપીએ પોતાના જામીન ભરાવા માટે તારીખ 05/11/2025થી 26/11/2025 દિન-20ના વચગાળાના જામીન ઉપર ગયો હતો. ત્યાર બાદ આરોપીએ 26/11/2025ના રોજ નવસારી સબ જેલમાં હાજર થવાનું હતું. પરંતુ આરોપી હાજર થયો ન હતો. જેની તપાસ તજવીજ ચાલુ હતી દરમ્યાન પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ કોન્સ્ટેબલ રાહુલ દિંગબર અને પોલીસ કોન્સ્ટેબલ દિપક સેવજીભાઈ બાતમીના આધારે આરોપીને ઝડપી લીધો હતો. અને વધારે તપાસ માટે નવસારી સબ જેલને સોંપી દેવામાં…

Read More

ચંદેરિયા વાઇટ હાઉસ ખાતે ગરીબોના મશિહા આધુનિક બિરસા અને ઝઘડિયાના માજી ધારાસભ્ય આદરણીય છોટુ વસાવા સાહેબના આદેશ અનુસાર ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની અધ્યક્ષતામા ગુજરાત રાજ્ય, જીલ્લા, અને તાલુકાના નવનિયુક્ત BTP અને BTSATS (ભારત ટ્રાયબલ સંવિધાન આદિવાસી ટાઈગર સેના)ના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત BTP પ્રદેશ અધ્યક્ષ તરીકે સુરેશભાઈ બલ્લુભાઈ પટેલ, ભરૂચ જિલ્લા BTP પ્રમુખ તરીકે ચંપકભાઈ વસાવા, જિલ્લા મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, જિલ્લા BTP ઉપ પ્રમુખ તરીકે અશ્વિનભાઈ પટેલ, વિનેશભાઈ વસાવા, નેત્રંગ તાલુકા પ્રમુખ BTP પ્રમુખ પ્રદિપભાઈ વસાવા, વાલીયા BTP પ્રમુખ તરીકે રૂપેશભાઈ વસાવા, ઝઘડિયા BTP પ્રમુખ તરીખે, વિજયભાઈ વસાવા, ભરૂચ જીલ્લા BTS ATS પ્રમુખ તરીકે મિતેશ ભાઈ…

Read More

ગુજરાતના બધા જ તાલુકાઓનો સમ્યક અને સમતોલ વિકાસ થાય તેવા વિકાસલક્ષી અભિગમ સાથે આ વિકાસશીલ તાલુકાઓ પણ લાંબા અને ટૂંકા ગાળાના વિકાસ આયોજનથી ઝડપભેર સર્વાંગી વિકાસ સાધી શકે તે માટે માનવ વિકાસ સૂચકાંકના 44 સામાજિક અને આર્થિક નિર્દેશાંકોના આધારે વિકાસશીલ તાલુકાઓ જાહેર કરવાની પરંપરા છે. આ નવા વિકાસશીલ તાલુકાઓને વિકાસ કામો માટે વિકાસશીલ તાલુકા યોજના અંતર્ગત વાર્ષિક રૂ. 2 કરોડ તથા આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો(ATVT)-વિકાસશીલ તાલુકા યોજના અન્વયે વાર્ષિક રૂ. 1 કરોડ; એમ સમગ્રતયા કુલ 3 કરોડ રૂપિયાની વાર્ષિક ગ્રાન્ટ વિકાસ કામો માટે મળશે. મુખ્યમંત્રીએ પ્રગતિ અને વિકાસની સતત હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં જરૂરિયાત અનુસાર તાલુકા વિભાજન કરીને નવા 17…

Read More

ડાંગના સુબીરમાં ગુરુવારે પોલીસ વિભાગ અને વન-વિભાગ દ્વારા ગેરકાયદે દબાણ પર કાર્યવાહી કરી દુકાન તોડી પાડવામાં આવી છે. આ બધાં વચ્ચે મોટો સવાલ એ છે કે, ડિમોલિશનની કામગીરી દરમ્યાન માત્ર એક દુકાન તોડી પાડવામાં આવતા સ્થાનિક અને જવાબદાર તંત્ર સામે મોટા સવાલો ઉભા થયા છે. કારણ કે, સુબીર તાલુકામાં અંદાજે 20-25 દુકાનો દબાણમાં છે. પરંતુ તંત્રએ માત્ર એક દુકાનના માલિકને ટાર્ગેટ કરીને તેની દુકાન તોડી પાડતા કાર્યવાહી કરનાર તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે. દબાણ દૂર કરનારા તંત્ર સામે સવાલ:- તંત્રએ માત્ર એક જ દુકાન કેમ દૂર કરી ? એક જ દુકાન માલિકને કેમ ટાર્ગેટ કરવામાં આવ્યો ? શું…

Read More