Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

ઉકાઈ ડેમમાં પાણીની સતત આવક વધતાં ડેમની સપાટી ભયજનકે પહોંચી ગઈ છે… ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ઉકાઈ ડેમમાં સતત પાણીનો વધારો થઈ રહ્યો છે. ઉકાઈ ડેમમાં ડેમમાં 2.77 લાખ ક્યૂસેક પાણીની આવક થવા પામી છે. ડેમમાં પાણીનો સતત વધતાં ડેમમાંથી 1.72 લાખ ક્યૂસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની જળસપાટી 344.34 ફૂટે પહોંચી જ્યારે કે ભયજનક સપાટી 345 ફૂટ છે. ડેમમાંથી પાણી છોડતા તાપી નદી બે વહી રહી છે. સુરતની તાપી નદી બે કાંઠે:- ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક વધતાં ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે સુરત શહેરના તમામ ઓવારા કિનારા પર…

Read More

ઉકાઈ GSECL ઉર્જા નગર GEB કોલોનીમાં નવરાત્રીમાં અનોખા ગરબા રમીને દેશના જવાનોને ઓપરેશન સિંદૂરને સલામી આપવામાં આવી હતી. તારીખ 28 સપ્ટેમ્બર રવિવારે સમગ્ર ગુજરાતમાં નવરાત્રીના સાતમાં દિવસે રાત્રિના 11:00 કલાકે સમગ્ર ગુજરાતમાં એક સાથે સેનાના શોર્યને સમર્થન ઓપરેશન સિંદૂરતા સાથે ગરબા વગાડીને દેશના વીર જવાનોને સલામી આપવામાં આવી હતી. ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ નવરાત્રીના પાવન સાતમા નોરતે ગુજરાતના તમામ ખેલૈયોઓને અને સંચાલકોને શક્તિ આરાધના કરી અને સંયુક્ત થઈને દેશના સૈનિકોને ઓપરેશન સિંધોર માટેના ગરબા વગાડવાની અપીલ કરી હતી. નવરાત્રિના નવ દિવસમાં અંબાની શક્તિની ઉપાસનાનો તહેવાર છે. અને આપણા સૈનિકોએ શક્તિ અને વિજયના સાચા પ્રતીક છે. આ અનોખા ગરબામાં ઉકાઈ પોલીસ…

Read More

સોનગઢ નગરમાં નવરાત્રીના પાવન પર્વે બ્રાહ્મણ ફળિયાના ઐતિહાસિક ગરબા આજે પણ અવિરત ચાલી રહ્યા છે. વર્ષોથી ચાલતી આ અનોખી પરંપરા એવાં છે કે જે ક્યારેય બંધ થયા નથી. ગામના લોકો માટે આ ગરબા માત્ર ભક્તિનો કાર્યક્રમ નથી, પરંતુ સંસ્કૃતિ, એકતા અને ઓળખનો પ્રતીક છે. આ ઐતિહાસિક ગરબાની પરંપરા વર્ષોથી વનરાજભાઈ વ્યાસના પરિવાર દ્વારા સંભાળી રાખવામાં આવી છે. પેઢી દર પેઢી આ પરંપરા આજે સુધી શ્રદ્ધા અને સમર્પણ સાથે આગળ ધપાવવામાં આવી રહી છે. વર્ષ 2025ના નોરતા પર્વે આ ગરબાનું આયોજન વિશાલભાઈ દવે, ગોવિંદાભાઈ દવે, સાગરભાઈ વ્યાસ, બાઉલભાઈ વ્યાસ, શ્યામભાઈ દવે, હિમાંશુભાઈ દવે તેમજ મંડળના યુવાનો અને મહિલા મંડળના સહકારથી કરવામાં…

Read More

તાપી જિલ્લાના ઉચ્છલ સુમુલ ડેરીના હોલમાં મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વક્તવ્યમાં જણાવ્યું કે સ્વદેશી બનાવટનું વધારેમાં વધારે ઉપયોગ કરવો, મહાત્મા ગાંધીએ સ્વદેશી વિશે જેવી રીતે લોકોને પ્રોત્સાહન આપ્યા હતા. મન કી બાત કાર્યક્રમની સાથે રક્તદાન શિબિરનું પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં લક્ષ્મીબેન ખુશાલભાઈ પટેલ રક્તદાન કેન્દ્ર, જનક સ્મારક હોસ્પિટલ કંપાઉન્ડ કાનપુરા વ્યારાને કુલ 53 બોટલ જુદાજુદા ગ્રૂપનું લોહી એકત્રિત કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરમાં નિઝર 172 વિધાન સભાના ધારાસભ્ય જયરામ ગામીતે જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના મન કી બાત કાર્યક્રમના ભાગરૂપે રક્તદાન શિબિરનું સુમુલ શિતકેન્દ્ર ખાતે આયોજન કરવામાં આવ્યું. તેમાં ઉચ્છલ તાલુકાના નવયુવાનોએ પોતપોતાના…

Read More

સોનગઢ તાલુકાનું વિભાજન કરી ઉકાઈને નવો તાલુકો જાહેર કરવામાં આવ્યો છે. ઉકાઈ તાલુકામાં દુમદા ગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી દુમદા ગામના લોકો દ્વારા દુમદા ગામને સોનગઢ તાલુકમાં જ રાખવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી. દુમદા ગામ સોનગઢ શહેરને અડીને આવેલું હોવાથી તેમજ સોનગઢથી બે કિલોમીટરના અંતરે આવેલું હોવાથી લોકોને અવર-જવર તથા ધંધા રોજગાર અને સરકારી કામકાજ તથા પોલીસ સ્ટેશનને લાગતી કામગીરી સરળ રહે છે. આ ઉપરાંત સમય અને આર્થિક રીતે પૈસાનો બચત થતી હોવાથી દુમદા ગામને ઉકાઈ તાલુકામાં નહી પણ દુમદા ગામને સોનગઢ તાલુકામાં રાખવામાં આવે તે માટે રજુઆત કરાઈ છે. જો દુમદા ગામને ઉકાઈ તાલુકામાં સમાવેશ…

Read More

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી અંગે વાત કરતા કહ્યું કે, આજે ખેલૈયાઓને નહીં નડે વરસાદનું વિઘ્ન.. એટલે કે, ખેલૈયાઓ માટે આજે વાતવરણ સાનુકૂળ બની રહેશે તેવી આગાહી કરી છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા નહીંવત રહેવાની શક્યતા છે. રવિવારે વરસાદથી અનેક ગરબા આયોજનો રદ કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરતા વધુમાં કહ્યું કે, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં કેટલાક શહેરોનો સમાવેશ થાય છે જેમ કે, જૂનાગઢ, જામનગર, પોરબંદરના ભાગોમાં પડી શકે વરસાદ આ ઉપરાંત કચ્છના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદના એંધાણ જોવા મળી…

Read More

દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજિત એશિયા કપ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું છે. ભારતીય ટીમે નવમી વખત એશિયન ચેમ્પિયનશિપ જીતી. આ વખતે ભારતની જીતના હીરો તિલક વર્મા હતો. ભારતની જીતથી રાષ્ટ્રપતિ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક નેતાઓએ ભારતીય ટીમને જીત બદલ અભિનંદન આપ્યા હતા. રાષ્ટ્રપતિએ શું કહ્યું ? રાષ્ટ્રપતિએ ટ્વિટર પર પોસ્ટ કરતા લખ્યું, “એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને મારા હૃદયપૂર્વક અભિનંદન. ટીમે ટુર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યો નથી, રમતમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. હું ઈચ્છું છું કે ટીમ ઈન્ડિયા ભવિષ્યમાં પણ આવા જ પરિણામો સાથે જીતતી રહે.” વડાપ્રધાન મોદીનું…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા “એક પેડ માં કે નામ” ના સૂત્રને સાર્થક કરતા સામાજીક વનીકરણ વિભાગ સુરત દ્વારા આયોજિત તાલુકા કક્ષાનો 76મો વન મહોત્સવની ભવ્ય ઊજવણી ઉચ્છલ તાલુકાના માણેકપુર ITIમાં કરવામાં આવી હતી. ઉચ્છલ રેન્જના આરએફઓ નેહાબેન થકી આવેલાં મહેમાનોનું ભાવભેર સ્વાગત કર્યું હતું. અને જણાવ્યું હતું કે, આપણે સૌ સંકલ્પ લઈએ કે આપણી ધરતીને વૃક્ષો વાવી હરિયાળી બનાવીએ કે જેથી આવનાર સમયમાં આપણે સૌ સ્વસ્થ રહી શકીએ. આ કાર્યક્રમમાં 172 વિધાન સભાના ધારાસભ્ય જયરામ ગામીત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વૃક્ષો થકી જ જીવન છે વૃક્ષો વાવી તેનું જાળવણી કરી તેને ઉપજાઉ બનાવવી જોઈએ. અને itiના યુવા પેઢીને દરેકના…

Read More

તાપીના સીંગપુર ગામની પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 26 સપ્ટેમ્બર 2025ના રોજ કેન્દ્ર કક્ષાના વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સીંગપુર કેન્દ્રમાં સમાવિષ્ટ 15 શાળાઓના બાળકોએ ભાગ લીધો હતો. સી.આર.સી સાહેબ યાકુબ ગામીત સરપંચ સંગીતાબેન ગામીત દૂધ ડેરીના પ્રમુખ રમેશભાઈ ગામીત ખેતીવાડીના પ્રમુખ અરવિંદાબેન માજી ડેરી પ્રમુખ બાબલાભાઈ ડેપ્યુટી સરપંચ સંજયભાઈ ગામીત માજી તાલુકા પંચાયત સભ્ય જયંતીભાઈ ગામીત આ ઉપરાત ગામના વડીલો એસ.એમ.સી.ના સભ્યો તથા શિક્ષકો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ વિજ્ઞાન મેળામાં વિભાગ 1 માં પ્રાથમિક શાળા સીંગપુર વિભાગ 2 માં પ્રાથમિક શાળા મોટીખેરવાણ વિભાગ-3 માં પ્રાથમિક શાળા વાડીભેંસરોટ વિભાગ-4 માં પ્રાથમિક…

Read More

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના અંતરિયાળ ખુરદી ગામના પ્રાકૃતિક ખેડૂત રમેશભાઈ દિવાનજીભાઈ ગામીત ડાંગરની ખેતી કરીને તાપી જિલ્લાના ધરતીપૂત્રો માટે માર્ગદર્શક બન્યા છે. રમેશભાઈએ પ્રાકૃતિક ખેતીના ઉત્સાહભેર ફાયદા જણાવતા કહ્યું હતું કે આજે રાસાયણિક ખાતર-દવાઓના વપરાશથી રોગોનું પ્રમાણ વધ્યુ છે ત્યારે આપણે સૌ ધરતીપૂત્રોએ પ્રાકૃતિક ખેતી અપનાવી માનવજીવન તંદુરસ્ત બનાવવાની પહેલ કરવી જોઈએ. દેશના વડાપ્રધાનનું આહવાન પ્રાકૃતિક ખેતી છે તેમજ આપણાં રાજ્યપાલ પણ અવાર-નવાર વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈને લોકોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરે છે. જે ખરેખર સરાહનીય છે. ત્યારે તમામ ખેડૂતોએ તેમના જનઅભિયાનને વધાવીને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરવી જ જોઈએ. ખુરદી ગામમાં રમેશભાઈએ પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી એવી ગીર ગાયનો…

Read More