Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

સ્વાતંત્ર્ય સેનાની જન નાયક ધરતીઆબા બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિતે ભવ્ય અને દિવ્ય ઉજવણી ભરૂચ જિલ્લાના નેત્રંગમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પોતાના પહેરવેશમાં સભા સ્થળે હાજર રહ્યા હતા. ડ્રોન શોટ્સનો વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ:- https://twitter.com/AamAadmiParty/status/1989928484383404061 અત્યારે એક સોશ્યિલ મીડિયામાં એક વીડિયો ખૂબજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં લાખો લોકો ચૈતર વસાવાની સભામાં આવ્યા હોય તેવા દ્રશ્યો સાફ-સાફ દેખાઈ રહ્યા છે. મહત્વનું છે કે, આ કાર્યક્રમમાં તાપી, નવસારી, ભરૂચ, સુરત, છોટાઉદેપુર, પંચમહાલ સહિત અન્ય રાજ્યના લોકો પણ મોટી સંખ્યમાં હાજર…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનજાતિય ગૌરવ દિવસ અને ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિના પવિત્ર અવસરે દેવમોગરા માતાના મંદિરે દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.પીએમ મોદીએ દેવમોગરા માતાના દર્શન કરી ધન્યતા અનુભવી. દેવમોગરા માતા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વસતા આદિવાસી સમુદાયના લોકો દેવમોગરા માતાને પાંડોરી માતા કુલદેવી તરીકે પૂજતા હોય છે. દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે નર્મદામાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આદિવાસી ગૌરવ દિવસના આ શુભ પ્રસંગે, સમગ્ર રાષ્ટ્ર આપણી માતૃભૂમિની ગરિમાના રક્ષણમાં તેમના અજોડ યોગદાનને આદરપૂર્વક યાદ કરે છે. વિદેશી શાસનના અન્યાય સામે તેમનો સંઘર્ષ અને બલિદાન આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહેશે…

Read More

તાપી LCB અને પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમે વ્યારા શહેરમાંથી મોપેડ ચોરી કરનાર શખ્સને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. LCBનાના હેડ કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ અને અન્ય પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે પોલીસ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ રસીકસિંહ અને વિનોદ ગોકળભાઈને ખાનગી સૂત્રો પાસેથી ચોક્કસ માહિતી મળી હતી કે, વ્યારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુ.ર.નં. 11824001252198/2025 (ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) હેઠળ) મોપેડ ચોરીનો આરોપી વ્યારા સ્ટેશન રોડ વિસ્તારમાં આંટાફેરા મારી રહ્યો છે. તેવી માહિતી મળતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આરોપીને સકંજામાં લીધો હતો. પોલીસ પકડમાં આવેલા આરોપીનું નામ અક્ષય બાબુલાલ ભગુરે છે. આર્થિક તંગી હોવાથી ચોરી કરતો:- પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે…

Read More

બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી ભવ્ય જીત બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ મુખ્યાલય પહોંચ્યા. તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ હતા. મુખ્યાલય પહોંચ્યા પછી, પીએમ મોદીએ બિહારી શૈલીમાં ગમછા લહેરાવી કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. બિહાર ચૂંટણીમાં ઐતિહાસિક વિજયની ઉજવણી કરતા, ભાજપના કાર્યકરો અને નેતાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કર્યું અને તેમનો આભાર માન્યો. પીએમ મોદીએ બિહારી શૈલીમાં ગમછા લહેરાવીને બિહારના લોકોને એનડીએની જીતનો સંદેશ આપ્યો. https://twitter.com/ANI/status/1989325664307270012 પીએમ મોદીનું કાર્યકર્તાઓને સંબોધન:- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ “છઠી મૈયાના નારા સાથે સંબોધનની શરૂઆત કરી. કહ્યું, “આ પ્રચંડ વિજય, આ અતૂટ શ્રદ્ધા, બિહારના…

Read More

દેશભરમાં જનનાયક બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત ‘જનજાતિય ગૌરવયાત્રા’નો શુભારંભ થયો છે. આ ઉજવણી વચ્ચે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં બિરસા મુંડાની એક પણ પ્રતિમા ન હોવાને લઈને સ્થાનિક યુવાનોમાં દુઃખ વ્યક્ત કર્યું છે. યુવાનોએ માંગ ઉઠાવી છે કે ગરૂડેશ્વર નજીક અક્તેશ્વર ચોકડી પાસે તેમજ કેવડિયામાં જનનાયક બિરસા મુંડાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે. બિરસા મુંડા આદિવાસી સમાજના મહાન નેતા અને બ્રિટિશ વિરોધી આંદોલનના પ્રતીક તરીકે ઓળખાય છે. તેમની 150મી જન્મજયંતીના પ્રસંગે કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જનજાતિય ગૌરવયાત્રા મુખ્ય આકર્ષણ છે. જોકે, નર્મદા જિલ્લાના આ વિસ્તારમાં આદિવાસી વસ્તીની બહુલતા હોવા છતાં બિરસા મુંડાની પ્રતિમા ન…

Read More

દિલ્લી બ્લાસ્ટ કેસમાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો, ડૉ. મુજમ્મિલની પૂછપરછમાં સૌથી મોટો ખુલાસો થયો છે.. આતંકીઓનું પ્લાનિંગ 26 જાન્યુઆરીએ લાલકિલ્લા પર હુમલાનું હતું ષડયંત્ર હતું. ડૉ. મુજમ્મિલ અને ડૉ. ઉમરે કરી હતી લાલ કિલ્લાની અનેકવાર રેકી..જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં કરી હતી રેકી..મુજમ્મિલના ફોનના ડંપ ડેટાથી મળી જાણકારી. આતંકી અનેકવાર દિલ્લી આવી ચૂક્યો હતો હિરાસતમાં આવેલો આતંકી મુજમ્મિલના ફોનની તપાસ કરતા સૌથી મોટો પર્દાફાશ થયો છે.આ વર્ષે અનેકવાર દિલ્લી આવ્યો હતો આતંકી મુજમ્મિલ..મુજમ્મિલના ફોનમાં મળી દિલ્લીના અનેક વિસ્તારોની તસવીરો..વિસ્ફોટને અંજામ આપવાના ભાગરૂપે વારંવાર દિલ્લીની લીધી હતી મુલાકાત.પોલીસ તપાસના ધમધમાટ વચ્ચે ચોંકાવનારા ખુલાસા આવ્યા સામે.. જે કાર બ્લાસ્ટમાં વાપરવામાં…

Read More

તાપીના ડોલવણ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને તાપી ક્રાઈમ બ્રાન્ચની ટીમે સકંજામાં લીધો છે.એ.એસ.આઈ ધર્મેશ મગનભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ રોનક સ્ટીવનસનને ખાનગી રીતે બાતમી મળતા નવસારી જીલ્લાના ટાઉન વિસ્તારમાથી ડોલવણ પોલીસ સ્ટેશન પાર્ટ.સી.ગુ.ર.નં-11824009240772/2024 પ્રોહીબિશનની કલમ 65ઈ,98(2) મુજબના ગુનાના કામે સંડોવાયેલ અને નાસતો-ફરતો વોન્ટેડ આરોપી જાવિદ હુશેન અબ્દુલ રહેમાન શેખની ઝડપી લીધો હતો. કામગીરી કરનાર ટીમ:- પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી.પાંચણી એ.એસ.આઈ ધર્મશભાઈ મગનભાઈ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભેસિંહ પોલીસ કોન્સ્ટેબલ રોનક સ્ટીવનસન પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ રસિકસિંહ આ તમામ તાપી ક્રાઈમ બ્રાન્ચના માણસોએ આ કાર્યવાહી કરી હતી. અને છેલ્લાં કેટલાક સમયથી પ્રોહીબિશનના ગુનામાં ફરાર શખ્સને ઝડપી પાડી જેલમાં ધકેલી…

Read More

ગૂજરાત વિદ્યાપીઠની ગ્રામજીવન સ્વાવલંબન યાત્રાનો વલસાડ જિલ્લાના ધરમપુર અને પારડી તાલુકામાં 10 નવેમ્બર સોમવારે સવારે શુભારંભ થયો હતો. જેમાં ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગના સેવકો, ગૂજરાત વિદ્યાપીઠના વિવિધ વિભાગોમાં હાલમાં અભ્યાસ કરતાં વલસાડ જિલ્લાના વિદ્યાર્થીઓ, ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ વિદ્યાર્થીઓ, અને સ્થાનિક સંસ્થા ‘લોકમંગલમ્’ના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્વાવલંબન યાત્રાનો શુભારંભ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ દ્વારા કરાવવામાં આવ્યો. તેમણે સ્વદેશી અને સ્વાવલંબનનો મહિમા વર્ણવતું પ્રવચન કરીને પદયાત્રીઓનો જુસ્સો વધાર્યો હતો અને શુભેચ્છાઓ પાઠવી હતી.સમગ્ર દિવસ દરમિયાન પદયાત્રીઓએ વિવિધ શાળાઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. ગૂજરાત વિદ્યાપીઠના સેવકોએ અને વિદ્યાર્થીઓએ ગૂજરાત વિદ્યાપીઠનો ઇતિહાસ અને વર્તમાન, ગૂજરાત વિદ્યાપીઠ સ્નાતક સંઘની શતાબ્દી, સરદાર…

Read More

ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉચ્છલ તાલુકાના માણેકપુરમાં પટેલ ફળિયા ખાતે રહેતા ૭૦ વર્ષીય દલપતભાઈ રત્નાભાઈ ગામીતના ઘરે પરંપરાગત આદિવાસી ભોજનનો સ્વાદ માણ્યો. આ પ્રસંગે આચાર્ય દેવવ્રતજીએ દેશી જુવારના રોટલા અને ચુલા પર બનેલા આદિવાસી વ્યંજનોને આરોગી આ ખોરાક ખુબજ આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ હોવાનું જણાવ્યું હતું આ તકે જિલ્લા કલેક્ટર ડો. વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા, રાજયપાલના પરિસહાયક બલરામ મીના, પોલીસ અધિક્ષક જશુભાઈ દેસાઈ, તેમજ અન્ય અધિકારીઓએ પણ રાજ્યપાલ સાથે ભોજન ગ્રહણ કર્યું હતું.

Read More

ગાંધીનગરના અડાલજ પાસેથી ઝડપાયેલા આતંકવાદીઓની પૂછપરછમાં સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે.. પકડાયેલા તમામ આતંકીઓના પાકિસ્તાન સાથે કનેક્શન હોવાનું પર્દાફાશ થયો છે..મહત્વનું છે કે, UPના આતંકી આઝાદ અને સુહેલને પાકિસ્તાન હેન્ડલર સુફિયાન ટાસ્ક આપતો હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. આતંકી અહેમદને પાકિસ્તાન હેન્ડલર અબુ ખદીજાએ બેગ લેવાનું ટાસ્ક આપ્યું હતું. ભેજાબાજ આતંકીઓ ટેલીગ્રામ દ્વારા હેન્ડલરના સંપર્કમા રહેતા હતા. દેશના દુશ્મન આતંકીઓએ ભારતમાં ISIS અને ISKPના અનેક સ્લીપર સેલ સક્રિય હોવાનું ખુલાસો કર્યો છે. આતંકીઓ બીજી વખત ગુજરાત આવ્યા અને રોકાયા હતા:- ATSની પકડમાં આવેલા બન્ને આતંકીઓએ અગાઉ એક લાખ રૂપિયા ભરેલી બેગ રાજસ્થાન હનુમાન ગઢ પાસેથી મેળવીને કલોલ હાઈવે…

Read More