Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
દિલ્હીના લાલ કિલ્લા પાસે એક કારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે આ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ કારમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે અન્ય ત્રણ વાહનો પણ લપેટમાં આવી ગયા હતા. દિલ્હી પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જોકે પોલીસે હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. 10 ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચ્યા દિલ્હી ફાયર વિભાગે જણાવ્યું હતું કે, “લાલ કિલ્લા નજીક વિસ્ફોટ જેવો અવાજ થયો હોવાના અહેવાલ ફાયર વિભાગને મળ્યા હતા. દસ ફાયર એન્જિન ઘટનાસ્થળે…
ગુજરાત ATS દ્વારા ફરી એકવાર દેશમાં મોટા હુમલાની ઘટનાઓને અંજામ આપનાર પાપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ગુજરાતનું પાટનગર ગણાતા, અડાલજ નજીકથી શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરતાં ત્રણ શખસોને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની ટીમે ઝડપી લીધા હતા. પકડાયેલા ત્રણેય શખસો નવા આતંકી મોડ્યુલ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. ત્રણેય ભેજાબાજ યુપીથી ગુજરાત આવ્યા હતા. તેમની પાસેથી 3 પિસ્તોલ, 30 કારતૂસ અને કેમિકલ મળી આવ્યું છે. યોગ્ય માહિતી મળતા વોચ ગોઠવાઈ હતી:- ગુજરાત ATSની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક શખસો આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને તેઓ રાજ્યમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. તેવી ચોક્કસ માહિતી મળી હતી. જે…
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ ખેડૂતો પાસેથી રૂ. ૧૫,૦૦૦ કરોડથી વધુ મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદીનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના પગલે રવિવારથી ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો રાજ્યવ્યાપી શુભારંભ થયો છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રવિવારે ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવીને ખરીદી માટેના સમગ્ર આયોજનની તલસ્પર્શી માહિતી મેળવી હતી તેમજ ખરીદી વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કર્યું હતું. તદુપરાંત, કૃષિ મંત્રીએ વેચાણ કરવા આવેલા વિવિધ ખેડૂતો સાથે સહજ ભાવે પ્રત્યક્ષ સંવાદ પણ કર્યો હતો. આ સંવાદ દરમિયાન ખેડૂતોએ બજાર કરતા પણ વધુ ભાવે જણસીની ખરીદી કરવાના ખેડૂત હિતલક્ષી નિર્ણયની સરાહના કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારનો…
ગુજરાતમાં જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ હેઠળ સંશોધકો 11 જિલ્લાઓના 31 આદિવાસી સમુદાયોમાંથી ડીએનએ નમૂનાઓ એકત્રિત કરીને એક ડેટાબેઝ બનાવી રહ્યા છે, જે આ જૂથોમાં આનુવંશિક રોગોના નિદાન અને સારવારને સુધારવામાં મદદ કરશે. નાણાકીય વર્ષ 2025-26માં, ગુજરાત સરકારે “આદિવાસી વસ્તી માટે રેફરન્સ જીનોમ ડેટાબેઝનું નિર્માણ” પ્રોજેક્ટને મંજૂરી આપી હતી જેથી એક વ્યાપક જીનોમ ડેટાબેઝ બને અને હાલના ડેટામાં રહેલો તફાવત દૂર થાય. આ પ્રોજેક્ટ ભારત સરકારના બાયોટેક્નોલૉજી વિભાગના જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટના સહયોગથી હાથ ધરવામાં આવી રહ્યો છે. આદિવાસી સમુદાયના સ્વાસ્થ્ય માટે જીનોમ વિજ્ઞાનનો ઉપયોગ કરવામાં ગુજરાત અગ્રેસર ગુજરાતમાં જીનોમ સંશોધનને વેગ આપવા માટે GBRC ખાતે આધુનિક સુવિધાઓ છે, જેમાં લોંગ-રીડ સિક્વન્સર સહિત…
કમોસમી વરસાદથી ગુજરાતમાં મોટા ભાગના ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું. ખેતી પાકમાં નુકસાન થયા બાદ ખેડૂતોએ વિરોધનો સૂર શરૂ કર્યો હતો. આ બધાં વચ્ચે ગુજરાત સરકારે 10 હજાર કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કર્યું હતું. પરંતુ આ રાહત પેકેજનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કરેલા રાહત પેકેજને કોંગ્રેસે મજાક સમાન ગણાવ્યું છે. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પાક નુકસાની મુદ્દે નિવેદન:- કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પાક નુકસાની મુદ્દે નિવેદન આપતા કહ્યું કે, સહાય પેકેજના નામે ખેડૂતોની ક્રૂર મજાક કરવામાં આવી છે. “16 હજાર ગામડાઓ વચ્ચે માત્ર રૂપિયા 10 હજારનું રાહત પેકેજ યોગ્ય…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે સર્જાયેલા અસાધારણ સ્થિતિમાં ખેતી પાકોને થયેલા નુકસાનમાંથી ખેડૂતોને ઝડપભેર બેઠા કરવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું આશરે 10 હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે. રાજ્ય સરકારે ધરતીપુત્રો પર આવી પડતી કુદરતી આફતોની હરેક વિપદામાં તેમની પડખે સંપૂર્ણ સહાનુભૂતિ સાથે ઉભા રહીને ખેતી પાકોના નુકસાન સામે ઉદારતમ સહાય પેકેજ વખતો વખત આપેલા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોના હિતો માટે જે અનેકવિધ કલ્યાણકારી પગલાઓ લીધા છે તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કિસાન હિતકારી અભિગમથી સતત આગળ ધપાવી રહ્યા છે. આ વર્ષે તાજેતરમાં થયેલા કમોસમી વ્યાપક વરસાદથી ખેડૂતોના ઉભા પાકને કાપણી…
બિહારમાં વિધાનસભા 2025ની ચૂટણી ખૂબ જ રસપ્રદ રહે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. બિહારનીની ચૂંટણીની દેશમાં ચર્ચા થતી હોય છે. બિહારમાં EBC વર્ગ રાજ્યની કુલ વસ્તીના 36.01% હિસ્સો ધરાવે છે, જે કોઈપણ રાજકીય પક્ષનું નસીબ ચમકાવી શકે છે. આ બધાં વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બિહારમાં પણ વોટ ચોરીનો આરોપ લગાવ્યો છે. હરિયાણાની ચૂંટણીના પુરાવાઓ રજૂ કરી કરી રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે. ફેક અને બ્લર ફોટાનો ઉપયોગ કરી ફેક વોટર્સ ઊભા કર્યાં હોવાની માહિતી રાહુલ ગાંધીએ જાહેર કરી છે. રાય વિધાનસભા વિસ્તારમાં એક મહિલાએ 10 બૂથ પર મત આપ્યા હોવાની માહિતી આપી.બ્રાઝિલની મોડેલે 22 અલગ-અલગ નામથી મત આપ્યા હતા.હરિયાણામાં…
તાપી LCBના પોલીસ કોન્સ્ટેબલ વિનોદ પ્રતાપને ખાનગી રીતે બાતમી મળી હતી કે વ્યારામાંથી ચોરાયેલી બાઈક સિંધી ફળિયાના એક ઈસમ પાસે છે જે માહિતીના આધારે સિંગી ફળિયામાં જઈ તપાસ કરતા ઇસમ અને તેના સાગરિત પાસેથી એક મોબાઈલ અને ચોરીની હોન્ડા ગાડી મળી આવી હતી. જેથી પોલીસે આરોપીની અટક કરી મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસ વડા જે. એન. દેસાઈએ વણઉકેલ્યા ગુના ઉકેલવા સૂચના આપી હતી. જે સૂચના આધારે એલસીબી પીઆઇ ડી. એસ. ગોહિલ અને એન. જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી.વ્યારા ની એક મોટર સાયકલ ચોરી કરનાર ઇસમ સિંગી ફળિયામાં રહેતા હોય છે. જે માહિતીના…
ગુજરાતમાં પડી રહેલા માવઠાંને કારણે સરકારી અંદાજ પ્રમાણે દસ લાખ હેક્ટરથી વધુ વાવતેર વિસ્તારમાં ખેતી પાકોને નુકસાન થયું છે. મહત્તમ નુકસાન કપાસ અને મગફળી અને ડાંગર જેવા પાકોમાં થયું હોવાથી રાજ્યના ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. આ બધાં વચ્ચે માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત સરકાર ટૂંક સમયમાં ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરશે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે રવિવારે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે…
ગુજરાતના નવા મંત્રીઓને જિલ્લાના વહીવટ માટે કામગીરી સોંપવામાં આવી.. DyCM હર્ષ સંઘવીને ગાંધીનગર અને વડોદરાના પ્રભારી બનાવામાં આવ્યા છે.. જ્યારે કનુ દેસાઈને સુરત અને નવસારીના પ્રભારી બનાવામાં આવ્યા.. તો આ તરફ જીતુ વાઘાણીને રાજકોટ અને અમરેલીના પ્રભારી બનાવામાં આવ્યા.. આ ઉપરાંત રાજ્યના બીજા મંત્રીઓને પણ જિલ્લાઓના પ્રભારી બનાવાયા છે.. ખાસ કરીને કેબિનેટ મંત્રીઓને 3 જિલ્લાઓનો પ્રભાર સોપવામાં આવ્યો છે. જ્યારે રાજ્ય કક્ષાના મંત્રીઓને જિલ્લાનો પ્રભાર સોપવામાં આવ્યો છે. ગુજરાતમાં સુવ્યવસ્થિત વહીવટ ચાલે તેના માટે જવાબદારી સોંપવામાં આવી. સાથે જ રાજ્ય કક્ષના રમત-ગમ્મત મંત્રી ડૉ.જયરામ ગામીતને ડાંગ જિલ્લાના પ્રભારી બનાવમાં આવ્યા છે. જ્યારે રમેશ ભુરાભાઈ કટારાને પંચમહાલ જિલ્લાના પ્રભારી બનાવ્યા છે.
