Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

કપરાડા તાલુકાના નાનાપોઢા ખાતે આવનારી 9મી ઓગસ્ટે ઉજવાનાર વિશ્વ આદિવાસી દિવસ અને ધરતી આબા બિરસા મૂંડાની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીને ધ્યાનમાં રાખીને પૂર્વ આયોજન માટે વિશાળ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠક કપરાડા ધારાસભ્ય જીતુ ચૌધરીની આગેવાનીમાં યોજાઈ હતી, જેમાં તાલુકા અને જિલ્લામાંથી અનેક અગ્રણીઓ અને સમાજસેવી વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં આગેવાનોની હાજરી:- આ આયોજનસભામાં વલસાડ જિલ્લા કારોબારી અધ્યક્ષ મિતેશ પટેલ, નાનાપોઢા સરપંચ અને એ.પી.એમ.સી. પ્રમુખ મુકેશ પટેલ, પારડી તાલુકા ભાજપ પ્રમુખ પુનિત પટેલ, કપરાડા તાલુકા ભાજપ પ્રમુખ વિપુલ ભોયા, પારડી તાલુકા ભાજપ મહામંત્રી રાજુ આહીર, કપરાડા તાલુકા ભાજપ મહામંત્રી મંગુભાઈ ગાંવિત, પૂર્વ પ્રમુખ રમેશ ગાંવિત, ડૉ. દિનેશ ખાંડવી,…

Read More

તાપી ક્રાઈમ બ્રાન્ચની ટીમે કિયા કંપનીની સેલટોસ કારમાં દારૂની હેરાફેરી કરતા આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. એ.એસ.આઈ બીપીન રમેશ અને હોડ કોન્સ્ટેબલ લેબજી પરબતજીને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વ્યારા તાલુકાના સરૈયા ગામ તરફથી એક સફેદ કલરની કિયા સેલટોસ કારમાં ઈગ્લિશ દારૂનો જથ્થો ભરી વ્યારા તરફ એક શખ્સ આવી રહ્યો છે. તેવી બાતમી મળતા વ્યારા શહેરના પાનવાડીથી મિશનનાકા તરફ જતા નહેરના રોડ પરના ભાટપુર જવાના ત્રણ રસ્તા પાસેથી આરોપીને પકડી પાડી કારમાં ચેક કરતા કારની પાછળની સીટના ભાગે તથા સીટ પર ખાખી કલરના પુઠ્ઠાના બોક્ષમાં તથા છુટી બાટલીઓ અલગ-અલગ બ્રાંડની ભારતીય બનાવટનો ઈગ્લિંશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.…

Read More

તાપી જિલ્લાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વ્યારા દ્વારા ૧ ઓગષ્ટ ૨૦૨૫ના રોજ ધોરણ ૧થી ૫ના (ગુજરાતી માધ્યમ) વિદ્યાસહાયકો માટે નિમણુંક પત્રો એનાયત કરવાનો વિશેષ સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા અને વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ કોંકણી વિશેષ ઉપસ્થિત રહી તાપી જિલ્લાના વિવિધ પ્રાથમિક શાળાઓ માટે ૩૭ જેટલા પંસદગી પામેલા નવનિયુક્ત વિદ્યાસહાયકોને નિમણુંક પત્રો એનાયત કર્યા હતા. આ અવસરે ધારાસભ્ય મોહન કોકણીએ નવનિયુક્ત શિક્ષકોને શાળા અને બાળકોના ભવિષ્ય ઘડતર માટે મહત્વની ભૂમિકા નિભાવાની શુભેચ્છાઓ પાઠવી હતી. ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારના પ્રયાસોની પ્રશંસા કરી શિક્ષકોને સમાજનું ભવિષ્ય ઘડવાનું પવિત્ર કાર્ય નિષ્ઠાપૂર્વક કરવા આહ્વાન કર્યું હતું.જિલ્લા પંચાયત…

Read More

સુરત જિલ્લામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ વસવાટ કરે છે અને આ સમાજ ખેતી અને પશુપાલન પર વધુ નિર્ભર હોય છે. ખાસ કરીને ચોમાસાની ઋતુ એટલે ખેડૂતો માટે ઉમંગનો સમય અને આ સમયે ખેડૂતો મોટા પ્રમાણમાં ખેતી કરતા હોય છે. અને ખેતીના વધુ ઉપજ લાવા માટે ખાતરની જરૂર પડતી જ હોય છે. ત્યારે આ સમયે સુરત જિલ્લામાં ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં ચિંતામાં મૂકાય ગયા છે. ખેડૂતોના સહયોગી સાથી તરીકે શનિવારે માંડવી કોંગ્રેસ સમિતિ દ્વારા ખાતરના અછતને કારણે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. માંડવી કોંગ્રેસ સમિતિ દ્વારા શનિવારે માંડવી બસ સ્ટેશનથી ખાતરને શ્રદ્ધાંજલિ આપી થાળી વગાડી વિરોધ પ્રદર્શન કરી પ્રાંત કચેરીએ આવેદનપત્ર…

Read More

સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનાઓમાં છેલ્લાં પાંચ વર્ષથી નાસતા ફરતો અને વોન્ટેડ આરોપીને તાપી લોકલ ક્રાઈમ બ્રાંચ અને તાપી પેરોલ ફર્લો સ્કોર્ડ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી દિપક ઉર્ફે રાજુ મચ્છીન્દ્ર કાનહરકરની બાતમી હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ નિરૂભા અને પોલીસ કોન્સ્ટેબલ હસમુખને મળતા ભેજાબાજ શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. પકડાયેલા શખ્સ સામે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો હોવાની માહિતી મળી હતી. હાલ તો પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. કામગીરી કરનાર ટીમ:- પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ LCB પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી પાંચાણી હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભેસિંહ હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ નિરૂભા પોલીસ કોન્સ્ટેબલ હસમુખ વિરજી પોલીસ કોન્સ્ટેબલ ધનંજય…

Read More

વાપીથી વ્યારા સુધીનો 130 કિલોમીટરનો નેશનલ હાઈવે 56ને વિકસાવવાનો પ્રોજેક્ટને સરકારે રદ કરવાનો નિર્ણય લીધો છે. ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વના પાર-તાપી-નર્મદા રિવર લિંક યોજનાની મંજૂરી સામે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજે ઉગ્ર આંદોલન કરતાં સરકારે આ પ્રોજેક્ટને સ્થગિત કરવાની જાહેરાત કરી દીધી છે. આ ઉપરાંત વાપી-શામળાજી નેશનલ હાઈવે 56ને ફોરલેન બનાવવાની જાહેરાત થઈ હતી. આ પ્રોજેક્ટ સામે પણ આદિવાસી સામજે ભારે વિરોધ કર્યો હતો અને એક ઈંચ જમીન નહીં આપીએ તેવા સુત્રો સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. સતત વિરોધના કારણે સરકારે આ પ્રોજેક્ટને સ્થગિત કરી દીધો છે. થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે પારડી-કપરડા ફોરલેન માટે 800 કરોડની મંજૂરી આપી…

Read More

ગાંધીનગર ખાતે મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતા હેઠળ મત્સ્યોદ્યોગ પ્રભાગની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્યમાં આગામી તારીખ ૧૫મી ઓગસ્ટથી શરુ થઇ રહેલી માછીમારીની નવી સીઝનને ધ્યાને લઈને માછીમારોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તેવા શુભ આશય સાથે મંત્રી શ્રી રાઘવજી પટેલે આ બેઠકમાં વિવિધ મુદ્દે ગહન ચર્ચા અને યોજનાકીય પ્રગતિની સમીક્ષા કરી હતી. જેમાં મત્સ્યોદ્યોગ વિભાગના સચિવ સંદીપકુમાર અને મત્સ્યોદ્યોગ કમિશનર વિજય ખરાડી સહિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં માછીમારી બોટમાં મરીન ડીઝલ ઓઇલનો ઉપયોગ શરૂ કરવા અંગે નીતિગત ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં રાજ્ય સરકાર દ્વારા માછીમારોને આપાતી ડીઝલ સબસીડી માટે નવા ડીઝલ કાર્ડ…

Read More

9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ટૂંક સમયમાં જ આવી રહ્યો છે આ દિવસે વિશ્વના સમગ્ર આદિવાસી સમુદાયના લોકો વિશ્વ આદિવાસી દિવસને ધામધૂમથી ઉજવતા હોય છે. જેની ઉજવણી દક્ષિણ ગુજરાતમાં  વસતો આદિવાસી સમાજ ધૂમધામથી ઉજવે છે. ત્યારે વિશ્વ આદિવાસી દિવસના ભાગરૂપે આદિવાસી સમુદાયના લોકોનું જીવન ધોરણ ઉચું આવે અને વિકાસને પંથે અન્ય સમુદાય સાથે ખબાથી ખોબો મેળવીને ચાલે તે માટે ગુજરાત સરકાર દ્વારા નવો ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના ભાગરૂપે આદિવાસી સમાજને આર્થિક મદદરૂપે કેટલીક રકમ પૂરી પાડે છે જેમાં 2024ના વર્ષે અંદાજિત 10,000 લાખ જેટલી રકમ પૂરી પાડવામાં આવી હતી. જ્યારે હવે વિશ્વ આદિવાસી દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે ૮-ગોળધા…

Read More

ગુજરાત રાજય ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળ પહેલી  ઑગસ્ટના રોજ તમામ પ્રકારની કામગીરી બંધ રાખશે તેવા નિર્ણય સંદર્ભે કપરાડા તાલુકાના વીસીઈ કર્મચારી દ્વારા ટીડીઓને 31 જુલાઈના રોજ આવેદન પાઠવામાં આવ્યું. ગુજરાત રાજય પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળ તા.01/08/2025ના રોજ એક દિવસ વીસીઈ દ્વારા કરવામાં આવતી તમામ પ્રકારની કામગીરી બંધ રાખી ઈ ગ્રામ સોસાયટીના શોષણ સામે વિરોધ નોંધવવા માટે જણાવેલ છે. કારણ કે વીસીઇની માંગણીઓને લઈ વારંવાર રજુઆત કરવા છતા પણ સરકાર દ્વારા અને ઈ ગ્રામ સોસાયટી દ્વારા વીસીઇની માંગણીઓનું નિરાકરણ ના કરતા ફરી એક વાર ન્યાય મેળવવા માટે ગુજરાત રાજયના તમામ વીસીઈ ભાઈ-બહેનો વીસીઈને લગતી તમામ પ્રકારની કામગીરી એક દિવસ બંધ…

Read More

આજકાલ મોટા ભાગના આર્થિક લેવડ-દેવડના વ્યવહારો UPI ઓનલાઈન દ્વારા થઈ રહ્યા છે. અને જો તમે પણ ગુગલ-પે, ફોન-પે અથવા UPIથી પેમેન્ટ કરો છો તો આ સમાચાર તમારા માટે છે. કારણ કે, 1 ઓગસ્ટથી UPI વપરાશકર્તાઓ માટે ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. તાજેતરમાં, IMF દ્વારા એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતના UPI વ્યવહારો અમેરિકા અને ચીનને પણ પાછળ છોડી દીધા છે. દરમિયાન, UPI OTPથી બેલેન્સ ચેક અને ટ્રાન્ઝેક્શન ઇતિહાસમાં મોટા ફેરફારો કરવા જઈ રહ્યું છે. UPIમાં 1 ઓગસ્ટથી પાંચ મોટા ફેરફારો:- UPIમાં 1 ઓગસ્ટ, 2025થી પાંચ મોટા ફેરફારો કરવા જઈ રહ્યું છે. આમાં બેલેન્સ…

Read More