Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
તાપીના ખેડૂતો માટે આમ આદમી પાર્ટી દ્વારા હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતની ખેતીવાડી બજારોમાં ખેડુતો સાથે કોઈપણ પ્રકારનો અન્યાય કે ભેદભાવ થતો હોય તે માટે તાપી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લાના ખેડૂતો માટે 9104918196 જાહેર કરવામાં આવ્યો છે. તાપી જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તાપીના વ્યારા માર્કેટ ખાતે હેલ્પ લાઇન નંબરના બેનરો લગાવવા આવ્યા છે. તારીખ ૩૧ના રોજ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ અને પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન સાહેબ કદડા પ્રથાના વિરોધમાં અને ખેડૂતોને પાકોના ટેકાના ભાવ મળે તે માટે સુરેન્દ્રનગર ખાતે કિસાન મહાપંચાયતમાં…
અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિધાન સભા પરિસરમાં સરદાર સાહેબની પ્રતિમા ને અને વિધાન સભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી સહિત મહાનુભાવોએ પણ સરદાર સાહેબને પુષ્પાંજલિ આપી હતી. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી પ્રસંગે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેવડિયા એકતા નગર ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી-SOU’નું નિર્માણ કરાવીને શ્રેષ્ઠ અંજલિ અર્પણ કરી છે. આપણે સરદાર સાહેબની યાદમાં તેમના જન્મદિવસ તા. ૩૧…
ગુજરાતમાંથી ચોમાસાએ વિધિવત રીતે વિદાય લીધી હતી. બાદમાં ફરી કમોસમી વરસાદ શરૂ થતાં રાજ્યની જનતા ભારે મુશ્કેલીનો સમાનો કરી રહી છે. તેમાંય ખાસ કરીને રાજ્યના ખેડૂતો સતત મુશ્કેલીનો સામાનો કરી રહ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ભારે પવન સાથે ખાબકી શકે છે ધોધમાર વરસાદ, હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં અંદાજે 20 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું. હવામાન વિભાગે આજે નીચેના જિલ્લાઓમાં આપી છે આગાહી:- હવામાન વિભાગે આજે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં ઓરેન્જ ઍલર્ટ..દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, ભરૂચમાં યલો એલર્ટ..વડોદરા, પંચમહાલ, દાહોદ, નર્મદા, છોટા ઉદેપુરમાં યલો એલર્ટ..સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ…
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટોકરવા ગામે આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, રાજ્યકક્ષા મંત્રી ડો.જયરામભાઈ ગામીત, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, પૂર્વ પ્રમુખ સૂરજભાઈ વસાવા સહિતના પદાધિકારીઓએ કમોસમી વરસાદથી ડાંગરના પાકના ક્ષતિગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મંત્રીઓએ મહિલા ખેડૂતના ખેતરની મુલાકાત લઈ પાકમાં થયેલા નુકશાન અંગેની વિગત મેળવી હતી અને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોની સાથે છે અને હંમેશા મદદરૂપ થવા કટીબધ્ધ છે. આ મુલાકાત દરમિયાન મહાનુભાવોએ ટોકરવા ચૌક ખાતે ભગવાન બિરસામુંડાની પ્રતિમાને ફૂલમાળા અર્પણ કરી હતી. મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલીયા, પ્રાંત અધિકારી સંદીપ ગાયકવાડ, સહિત તાલુકા અને જિલ્લા સ્તરના અધિકારીઓએ, ટોકરવા ગામના…
રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના કિસ્સાઓમાં વાહનચાલકોને ઇસ્યુ થયેલા ઇ-ચલણ પેટે દંડની રકમની ભરપાઈ કરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બનાવવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં અને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસના સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ભારતીય સ્ટેટ બેંક (SBI) સાથે કરાયેલા MoU અંતર્ગત Bharat Bill Payment System (BBPS) મારફતે વિવિધ ઓનલાઇન માધ્યમો દ્વારા દંડની રકમ ચૂકવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં વર્ષ ૨૦૨૩થી “One Nation One Challan” એપ્લિકેશનના માધ્યમથી વાહનચાલકોને દંડની રકમ ઓનલાઇન ચૂકવવાની સુવિધા ઉપલબ્ધ હતી, જેમાં વાહન ચાલકો દંડની રકમ નેટ બેંકિંગ,…
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે નર્મદા ઘાટ પર ગઇકાલે (27 ઓક્ટોબર) નવીનીકરણની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતાં અક્તેશ્વર ગામના ત્રણ સ્થાનિક શ્રમિકના ભેખડ ધસી પડતા દટાઈ જવાથી મૃત્યુ થયા હતા. જેને પગલે ગરૂડેશ્વર રેફરલ હોસ્પિટલ ખાતે પરિવારજનોના ભારે આક્રોશથી વાતાવરણ ગરમાયું હતું. પરિસ્થિતિની ગંભીરતા જોઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના સ્થાનિક નેતાઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ તમામ પક્ષના નેતાઓની મધ્યસ્થી બાદ મૃતક દીઠ 50 લાખની સહાયની જાહેરાત કરાતાં મામલો થાળે પડ્યો હતો. બીજી તરફ, આ દુર્ઘટનામાં બેદરકારી દાખવવા બદલ પોલીસે એજન્સી અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ FIR નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ મામલે તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે…
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈ મોટી આગાહી કરવામાં આવી છે. અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતા ગુજરાતમાં આગામી 4થી 6 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. બે દિવસ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ, સુરત, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ જેવા જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહી કરતા રાજ્યના ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. કારણ કે અત્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગર કાપવાની સિઝિન પૂરજોશમાં ચાલી રહી છે. તેવા સમયે વરસાદની આગાહી કરતા ખેડૂતો ચિંતામાં મૂકાય ગયા છે. સોનગઢ તાલુકાના મોટા ભાગના ખેડૂતોનો પાક પલળી ગયો:- સોનગઢ તાલુકાના મોટ-ભાગના…
ગુજરાતના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગોરા ગામના આદિવાસી ખેડૂતોની જમીન વહીવટી તંત્ર દ્વારા કોઈપણ વળતર આપ્યા વિના સંપાદન કરવામાં આવી હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે એક ખેડૂતે 15 દિવસથી અનાજનો ત્યાગ કરી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું, જેની હાલત બગડતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વહીવટી તંત્રે તેમના ઊભા પાકમાં JCB લગાવીને પાકને નુકસાન પહોંચાડ્યું અને નવા પ્રોજેક્ટની કામગીરી શરૂ કરી દીધી. સ્થાનિક આદિવાસી ખેડૂતોનું કહેવું છે કે જ્યારે પણ દેશના વડાપ્રધાન 31 ઓક્ટોબરે કેવડિયાની મુલાકાતે આવે છે, ત્યારે ગુજરાત સરકાર અને વહીવટી તંત્ર તેમની ખેતીલાયક જમીનો વળતર વિના સંપાદિત કરી…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસ આવી રહ્યા છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ પહેલા નર્મદા જિલ્લાના ગરુડેશ્વરમાં નર્મદા ઘાટ નજીક ચાલી રહેલા નવીનીકરણની કામગીરી દરમ્યાન મોટી દુર્ઘટના ઘટી છે. અંહી ઘાટનું કામ ખૂબજ ઝડપથી ચાલી રહ્યું હતું આ દરમ્યાન અચાનક ભેખડ ધસી પડતા ત્રણ સ્થાનિક શ્રમિકો દટાઈ જતા ત્રણેય શ્રમિકાનો કરૂણ મોત નિપજ્યા છે. દુર્ઘટનામાં અક્તેશ્વર ગામના ત્રણ શ્રમિકો દટાયા હતા, તેમના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ભેખડ ધસી પડતા દટાઈ ગયેલા શ્રમિકોની યાદી 1. શૈલેષભાઇ કનુભાઈ તડવી 35 વર્ષ રહે. અક્તેશ્વર(નીચલું ફળિયું) 2. દિલિપભાઈ ભાણાભાઈ તડવી 47 વર્ષ રહે. અક્તેશ્વર(નીચલું ફળિયું) 3. રોહિતભાઈ રણછોડભાઈ તડવી 45 વર્ષ રહે.…
ગુજરાતના મંત્રીમંડળમાં ફેરબદલ કરાયા હતાં. જે રીતે મંત્રીમંડળની રચના કરાઈ છે તેના પરથી એક વાત એ સામે આવે છે કે, ભાજપ હાઇકમાન્ડે માલેતુજાર ધારાસભ્યોને મંત્રી બનાવ્યાં છે. નવા મંત્રીમંડળમાં કુલ 26 પૈકી 23 મંત્રીઓ કરોડપતિ છે. પ્રત્યેક મંત્રીની સરેરાશ મિલ્કત 11.2 કરોડ રૂપિયા છે. ઈન્ડિયન ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને શિક્ષણમંત્રી રીવાબા જાડેજા સૌથી વધુ પૈસાદાર મંત્રી છે. મંત્રીમંડળમાં 90 ટકા મંત્રીઓ કરોડપતિ ADRએ એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં નવા મંત્રીમંડળ વિશે રસપ્રદ તારણ બહાર પાડવામાં આવ્યા છે. 90 ટકા મંત્રીઓની મિલકત એક કરોડથી વધુ છે. જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા સૌથી ધનિક મંત્રી છે જેમની 97.35 કરોડની સંપત્તિ…
