Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR),નવી દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું એકમાત્ર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. આ કેંન્દ્ર ખાતે ૨૧ જુલાઇ, ૨૦૨૫ થી ૨૩ જુલાઇ, ૨૦૨૫ દરમ્યાન નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડૉ. ઝેડ. પી. પટેલની પ્રેરણા અને માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એચ. આર. શર્માના માર્ગદર્શન હેઠળ “Mastering Presentation Skills: A Path for Professional Excellence” વિષય ઉપર વિસ્તરણ શિક્ષણ સંસ્થા, આણંદ (EEI, Anand) અને કેવિકે વ્યારા (તાપી) ના સંયુક્ત ઉપક્ર્મે ત્રિ-દિવસિય ઇન-સર્વિસ તાલીમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. સદર તાલીમમાં જીલ્લા ખેતીવાડી વિભાગ-તાપી, આત્મા-તાપી, ગુજરાત નેચરલ ફાર્મિંગ બોર્ડ અને કેવિકેના કુલ…
રમત-ગમત ક્ષેત્રે આદિવાસી યુવાન-યુવતિઓ ઉત્કૃષ્ઠ યોગદાન આપી રહ્યા છે. રાજ્ય સરકારે ખેલ મહાકુંભનું આયોજન કરીને ગ્રામીણ ક્ષેત્રોના ખેલાડીઓને બહાર લાવવાનો અભિગમ કાબેલીદાદ છે. રાજ્યના આદિવાસી વિસ્તારના અનેક રમતવીરો પોતાનું કૌશલ્ય રજુ કરી સિધ્ધિઓના સિંહાસન ઉપર પહોંચવા થનગનાટ અનુભવે છે. હાલમાં જ જર્મનીના રહાઈન રૂહર ખાતે ૧૬ જુલાઈથી ૨૭ જુલાઈ સુધી FISU WORLD UNIVERSITY GAMESનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારત દેશની વોલીબોલ ટીમમાં ગુજરાતમાંથી એકમાત્ર તાપી જિલ્લાની મીનલબેન સોહાન ગામીતની અપોઝિટ હિટર તરીકે પસંદગી થતા આદિવાસી સમાજ અને તાપી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગૌરવ અને આનંદની લાગણી અનુભવાઈ હતી. આદિવાસી સમુદાય ખેતી-પશુપાલન સાથે સંકળાયેલુ છે. નવી પેઢી ખેતી-પશુપાલનની સાથે શિક્ષણ…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને રંજાડતા અને ધાક ધમકીઓ આપીને કનડગત કરતા અસામાજિક તત્વોને કડક હાથે ડામી દેવા પોલીસ અને રાજ્યના જિલ્લાઓના વહિવટી તંત્રને સ્પષ્ટ દિશા નિર્દેશો આપ્યા છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ખોટી પ્રવૃત્તિઓ કરનારાઓ અને લોકોને હેરાન કરનારા અસામાજિક તત્વોમાં પોલીસનો ડર રહે તેવી કડકાઈથી પોલીસે કામગીરી કરવી પડે. મુખ્યમંત્રીએ જુલાઈ-૨૫ના રાજ્ય સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં એક ગ્રામીણ નાગરિકનો પોતાના ખેતરમાં જવાનો રસ્તો માથાભારે તત્વોએ બંધ કરી દઈને તેને માર મારવાની કરેલી રજૂઆતનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા આવા દિશા નિર્દેશો આપ્યા હતા. તેમણે સંબંધિત જિલ્લા કલેકટર અને પોલીસ અધિક્ષકને તાત્કાલિક અસરથી આ ગ્રામીણ નાગરિકને પોલીસ બંદોબસ્ત આપીને…
તાપી જિલ્લાના કલેક્ટર ડૉ. વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને ગુરૂવારે કલેક્ટર કચેરીના સભાખંડમાં આગામી ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન અને ૧૫ ઓગસ્ટ-સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંગેના આગોતરા આયોજન માટે મહત્વપૂર્ણ સંયુક્ત બેઠક યોજાઈ હતી. જિલ્લા સ્તરના અધિકારીઓ અને વિવિધ શાખાઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં બંને કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. ડૉ.વિપિન ગર્ગે આ બંને પ્રસંગોની ઉજવણીમાં વધુમાં વધુ નાગરિકો ઉપસ્થિત રહે તે માટે રચનાત્મક સૂચનો આપી દરેક વિભાગ દ્વારા કરવાની થતી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ કાર્યક્રમો માટે જવાબદારીઓનું વિભાજન તેમજ સંકલન સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. તેમજ કાર્યક્રમોમાં આરોગ્ય, સ્વચ્છતા, સુરક્ષા, ટ્રાફિક નિયયમન, પીવાનું પાણી, વીજળી, એલઇડી સ્ક્રિન, મંડપ સહિતની આનુશાંગિક…
રશિયા-યુક્રન યુદ્ધ વચ્ચે વધુ બે દેશો વચ્ચે ભયંકર યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે. થાઇલેન્ડે તાજેતરમાં કંબોડિયાના વિવાદિત લશ્કરી ઠેકાણાઓ પર F-16 ફાઇટર જેટનો ઉપયોગ કરીને લશ્કરી કાર્યવાહી કરી હતી. થાઇ ક્ષેત્રમાં ભારે ગોળીબાર અને રોકેટ હુમલો થયો ત્યારે આ પગલું લેવામાં આવ્યું હતું. થાઇ સેનાના નાયબ પ્રવક્તા રિચા સુકસુવાનને સ્પષ્ટપણે કહ્યું હતું કે અમે યોજના મુજબ લશ્કરી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. આ દરમિયાન, F-16 વિમાનોમાંથી કંબોડિયાના પ્રદેશમાં એક લશ્કરી ઠેકાણાને નષ્ટ કરી દીધો હતો. આ સમયે થાઇલેન્ડે દાવો કર્યો છે કે કંબોડિયા સાથે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન 9 લોકો માર્યા ગયા છે. આ પહેલીવાર નથી કે બંને દેશો…
હજુ તો અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને લોકો ભુલ્યા નથી. આ બધાં વચ્ચે ગુરુવારે વધુ એક પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર રશિયન પેસેન્જર વિમાન ગુમ થયું હતું, પરંતુ હવે એક અપડેટ પ્રાપ્ત થયું છે કે વિમાન ક્રેશ થયું છે. આ પેસેન્જર વિમાનમાં અંદાજે 50 લોકો સવાર હતા. અંગારા એરલાઇન્સની ફ્લાઇટ ચીનની સરહદે આવેલા અમુર પ્રદેશના ટિંડા શહેર તરફ જઈ રહી હતી, પરંતુ તેનો એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક અધવચ્ચે જ તૂટી ગયો હતો. હવે રશિયન મીડિયાએ દાવો કર્યો છે કે વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. રશિયાનું An-24 પેસેન્જર વિમાન ટિંડા એરપોર્ટ પર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું…
ગુજરાતમાં ફરી એકવાર ACBએ લાંચિયા કર્મચારીને સકંજામાં લીધો છે. મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો, માણસા તાલુકા પંચાયતમાંથી ACBએ લાંચિયા કર્મીને ઝડપી લીધો હતો. વર્કસ મેનેજરની જવાબદારી સંભળતો કર્મચારીએ આવાસ યોજનાનો હપ્તો એકાઉન્ટમાં જમા કરવા માટે રૂપિયા 3500ની લાંચ માગી હતી. આવાસ યોજનામાં મકાન મંજૂર થયા બાદ પૈસા એકાઉન્ટમાં જમા કરવા માટે રૂપિયા માંગ્યા હતા. રૂપિયા 50 હજારનો હપ્તો જમા કરવા માટે ફરિયાદી પાસેથી 3500ની લાંચ માંગી હતી. કર્મચારી રૂપિયાની માગણી કરતા ફરિયાદીએ ACBને જાણ કરતા ACBએ આરોપીને રંગે હાથે ઝડપી લીધો છે. હાલ તો ACBએ આરોપી ઝંખિત રાવળને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી. આરોપીએ અગાઉ પણ કોઈની પાસેથી…
ચોમાસાની ઋતુ દરમિયાન રાજ્યના ખેડૂતો દ્વારા જોર-શોરથી ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રાજ્યના ખેડૂતોએ વાવણી માટે બિયારણ, સારા ઉત્પાદન માટે ખાતર અને રોગ-જીવાતના વ્યવસ્થાપન માટે જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે વિશેષ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. રાજ્યની ખેતી નિયામક કચેરીના જણાવ્યા અનુસાર ખેડૂતોએ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓ માત્ર અધિકૃત લાયસન્સ અથવા પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઇપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય ખેતી માટે જરૂરી ઇનપુટોની ખરીદી કરવી નહી. જેથી, છેતરપિંડીથી બચી શકાય. લાયસન્સ-પરવાનો…
કપરાડા તાલુકાની ઓઝરડા બારી ફળિની પ્રાથમિક શાળામાં તાજેતરમાં દિવાસાના પવિત્ર તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનોએ પરંપરા અને સંસ્કૃતિના અનોખા પર્વને ભક્તિભાવપૂર્વક ઉજવ્યો હતો. આ ઉજવણીનો મુખ્ય આકર્ષણ શાળાના બાળકો દ્વારા જાતે બનાવેલી રંગબેરંગી ઢીંગલીઓ અને ઢીંગલાઓ હતા. જે પૂજન બાદ વોકળામાં વહેતા મૂકવામાં આવ્યા હતા. દિવાસો જે મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગોમાં ઉજવાતો એક લોકપ્રિય તહેવાર છે, તે પરંપરાગત રીતે શ્રાવણ માસના આરંભ પહેલાં આવતી અમાસના દિવસે ઉજવાય છે. આ તહેવાર વનરાજી અને પ્રકૃતિની પૂજા સાથે સંકળાયેલો છે, અને એવું માનવામાં આવે છે કે આ દિવસે ધરતીમાંથી નીકળતી વનસ્પતિને પૂજવાથી ધન-ધાન્યમાં વૃદ્ધિ…
ફરી એકવાર સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી કરોડો રૂપિયાની દાણચોરી ઝડપાઈ ગઈ છે. દુબઈથી આવેલા દંપતી પાસેથી અંદાજે 25.27 કરોડનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો, અત્યાર સુધીમાં રાજ્યમાંથી પકડાયેલી સોનાની સૌથી મોટી 10 દાણચોરીમાંથી એક દાણચોરી માનવામાં આવે છે. દુબઈથી આવેલા દંપતીએ બેગમાં કપડા નીચે અને ફૂટવેરમાં સોનું છૂપાવ્યું હોવાની માહિતી મળી રહી છે. એર ઈન્ડિયાની એક્સપ્રેસ ફ્લાઈટમાં આવ્યું હતું પરિવાર સોનાની દાણચોરી કરતું પરિવાર એર ઈન્ડિયાની એક્સપ્રેસ ફ્લાઈટમાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે. એર ઇન્ટેલિજન્સ યુનિટને શંકા જતા પતિ-પત્નીની તપાસ કરતા તેમની પાસેથી કરોડો રૂપિયાનું સોનું મળી આવ્યું છે. દંપતી પાસેથી…