Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
તાપી જિલ્લાના ભાજપ સંગઠનમાં આંતરિક જૂથવાદ સામે આવતા ચારેકોર આ વિષય ચર્ચાનો મુદ્દો બન્યો છે. તાપી જિલ્લા ભાજપના સંગઠનની રચના પહેલા જૂથવાદ સામે આવ્યો છે. ભાજપ પ્રદેશ યુવા મોરચાના મંત્રી સામે ભાજપમાં જ રોષ જોવા મળી રહ્યો છે. પ્રમુખ સૂરજ દેસાઈ પર પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સત્તાના નશામાં ચૂર પ્રદેશ યુવા મોરચાના મંત્રી કાર્યકર્તાઓને પણ ધમકી આપતો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તાપી જિલ્લા ભાજપ પ્રમુખ સમક્ષ રજૂઆત:- વાલોડ તાલુકાના ભાજપ સંગઠન પ્રમુખે સૂરજ દેસાઈ વિરુદ્ધ રજૂઆત કરી છે. આ રજુઆત તાપી જિલ્લા ભાજપ પ્રમુખ સમક્ષ કરાઈ છે. 50થી વધુ હોદ્દેદારો અને…
તાપી SOGએ સોનગઢ પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી લીધો છે. પોલીસ સબ ઈન્સ્પેક્ટર એન.પી.ગરસીયા તથા એ.એસ.આઈ રાજેન્દ્ર યાદવરાવ હેડ કોન્સ્ટેબલ શરદ સુરજી વળવી પોલીસ કોન્સ્ટેબલ વિપુલ રમણ, નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસમાં હતા. આ દરમ્યાન એ.એસ.આઈ રાજેન્દ્ર યાદવરાવ તથા હેડ કોન્સ્ટેબલ શરદ સુરજી વળવીને સંયુક્ત રીતે ખાનગી બામતી મળી હતી કે, સોનગઢ પોલીસ સ્ટેશનના NDPS એક્ટ 8(સી) 20(બી)(2)(બી) 29 મુજબના કામે સંડોવાયેલો વોન્ટેડ આરોપી તાલીફશા મુસાશા ફકીર વ્યારાના મગદુમનગર દાદજી સર્કલ પાસે ઊભેલો હોવાની બાતમીના આધારે વ્યારા મગદુમનગર દાદાજી સર્કલ પાસેથી ભેજાબાજ શખ્સ અને વોન્ટેડ આરોપી તાલીફશા મુસાશા ફકીરને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીની વધારે તપાસ માટે…
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ એક એવો માણસ છે જેના પર અનેક ગુના નોંધાયેલા છે. લોરેન્સ એક ગેંગસ્ટર છે. લોરેન્સ જેલમાં હોવા છતાં, કોઈપણ સંડોવણી વિના કરોડો રૂપિયાનો માલિક છે. તેની પૈતૃક જમીન ફક્ત કરોડોની છે. તેના પિતા કાયદા અમલીકરણ અધિકારી હતા, પરંતુ તેનો પુત્ર ભારતનો સૌથી ખતરનાક ગેંગસ્ટર છે. તમે જેલમાં બોલિવૂડ સેલિબ્રિટી જેવો શરીર બનાવતા તેના ફોટા જોયા હશે. તે જેલની અંદર શર્ટલેસ ફોટોશૂટ માટે પણ પોઝ આપે છે. તેનું શરીર એવું છે કે આ ગેંગસ્ટરની સરખામણીમાં પ્રખ્યાત કલાકારો પણ ફિક્કા પડી જાય છે. પરંતુ આ ગેંગસ્ટર વિશે સૌથી મહત્વપૂર્ણ સત્ય એ છે કે તે એક ગુનેગાર છે જેણે ઘણા…
ટીમ ઈન્ડિયાના બે સૌથી મોટા સ્ટાર બેટસમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા છે. બંનેએ મેદાન પર પોતાની બેટિંગથી લાખો લોકોના દિલ જીતી લીધા છે, પરંતુ જ્યારે કમાણીની વાત આવે છે, ત્યારે વિરાટ કોહલી હજુ પણ પ્રભુત્વ ધરાવે છે. મળતી માહિતી અનુસાર કોહલીની કુલ સંપત્તિ આશરે ₹1050 કરોડ હોવાનો અંદાજ છે, જ્યારે રોહિત શર્માની કુલ સંપત્તિ ₹214 થી ₹230 કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે. આનો અર્થ એ છે કે બંને સ્ટાર્સની કમાણી વચ્ચે લગભગ પાંચ ગણો તફાવત જોવા મળી રહ્યો છે. વિરાટ કોહલીની કમાણી પર નજર કરીએ:- વિરાટ કોહલી હવે માત્ર ક્રિકેટનો ખેલાડી નહીં પણ એક વૈશ્વિક બ્રાન્ડ બની ગયો છે.…
ઉકાઈ પોલીસ સ્ટેશનના બોરીસવાર ગામે ફિલ્ટર-પ્લાંટના ગોડાઉનમાંથી મોટર અને કેબલની ચોરી તેમજ સોનગઢ પોલીસ સ્ટેશનની હદમાં થયેલા કેબલ ચોરીના આરોપીઓને સોનગઢ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટના પર નજર કરીએ તો, તારીખ 7/10/25ના રોજ ફરિયાદી તેમજ અન્ય ખેતરમાં બોરમાં લગાવેલી સબમર્શીબલ મોટરોના કેબલ વાયરોની ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે ગુનો ઉકેલવા માટે સોનગઢ પોલીસ સ્ટેશનના I/C પોલીસ ઈન્સ્પેક્ટર આઈ.ડી.દેસાઈ દ્વારા સૂચના આપવામાં આવી હતી. સૂચના અને માર્ગદર્શન મુજબ હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ ભુપતભાઈ, હેડ કોન્સ્ટેબલ ધર્મેશ ફતેસિંગભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ જીણાભાઈ પેટ્રોલિંગમાં હતા ત્યારે ઉપરોક્ત ગુનાનો આરોપી રાણીઆંબા રેલ્વે ફાટક પાસે આવવાની હકીકત મળતા પોલીસ સ્ટાફના મિત્ર…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.૧ જુલાઈ, ૨૦૨૫થી આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ કર્મયોગી હિતકારી નિર્ણય અંતર્ગત સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૫ ટકાનો વધારો કરવામાં આવેલ છે. આ મોંઘવારી ભથ્થાની ૩ માસની એટલે કે ૧ જુલાઈ ૨૦૨૫ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીની તફાવતની રકમ એક હપ્તામાં ચૂકવવામાં આવશે.આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના,…
સોનગઢની ઐતિહાસિક કાજબા નદી પર શિવાજીનગર અને પરોઠ હાઉસ વિસ્તારને જોડતો તેમજ મહાદેવ મંદિર સુધી સરળ અવરજવર માટે બનાવેલો કોઝવે કમ ચેકડેમ છેલ્લા પાંચ વર્ષથી બંધ હાલતમાં છે. સ્થાનિક રહીશોએ આ રસ્તો અવરજવર માટે ફરીથી ખુલ્લો કરાવવા નગરપાલિકામાં ફરીયાદ નોંધાવી છે. અને તંત્ર સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો છે. કાયમી રહેવાસીઓને રોકવામાં આવતી દીવાલ તોડવામાં ના આવે તો ત્યાંના કાયમી રહેવાસીઓ એક સાથે મળી મામલતદાર સાહેબ સાથે કલેકટર સાહેબને આવેદન પત્ર આપવા જરૂર જશે. કોઝવે બનાવવાનો હેતુ શું હતો? સ્થાનિક રહેવાસી અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિજય બાબુરાવ પાવસેના જણાવ્યા અનુસાર, આ કોઝવે 2013-14માં મંજૂર કરવામાં આવ્યો હતો. તેનો મુખ્ય હેતુ શિવાજીનગર…
મહારાષ્ટ્ર અને કર્ણાટકની એક-એક બેઠકમાંથી વોટ ચોરી શોધી કાઢ્યા બાદ સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલા મુદ્દાને અસરકારક રીતે જનતા સમક્ષ લઈ જવા માટે કોંગ્રેસ પાર્ટીએ કમર કસી છે. આ બધાં વચ્ચે તાપી જિલ્લાના ૨૪ વડપાડા-નેસુ જિલ્લા પંચાયત સમાવિષ્ટ વિવિધ ગામો જેમ કે ભીંતબુદ્રુક, માણેકપુર, સુંદરપુર, જુની કાચલી ભીંતખુર્દ વડપાડાભીંત રાવજીબુંદા, વડપાતલ હરીપુર, વડદેખુર્દ, કમલાપુર, જામલી, મોગલબારા, સસા, લીંબાસોટી, પેથાપુર, નુરાબાદ, ખાબદા, બાબરઘાટ, મોવલીપાડા, વડપાડા નેસુ ગામોમાં રાહુલ ગાંધીજીની આ ઝુંબેશને સમર્થન આપવા લોકો પાસે સહી કરાવી જાગૃત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને લોકોને વોટ ચોરી મુદ્દે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉચ્છલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ગામીત, તાપી…
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી જી.એમ.ડી.સી મેદાનના, કન્વેકશન હોલમાં ગુજરાત રાજ્યના વિચરતી વિમુક્ત જન જાતિના સમુદાયની ગુજરાતમાં કુલ વસ્તી,1 કરોડને 25 લાખ લોકો છે. જેમાં બજાણિયા,વાદી,વણઝારા જોગી,ઓડ,રાવળદેવ,ચામઠા દેવીપૂજક, બાફણ, છારા વગેરે જાતિઓનો સમાવેશ થાય છે. આ જાતિના ઇતિહાસ મુજબ આ વિચરતી વિમુક્ત જનજાતિ માટે અંગ્રેજ સરકારે 1871માં ક્રિમિનલ ટ્રાઈબસ કાયદો દાખલ કરેલો હતો. જે કળો કાયદો ભારત દેશ આઝાદ થયા પછી 5 વર્ષને 16 દિવસ પછી નાબૂદ થયેલ જેથી ગુનાહિતના કાયદાને લીધે બંધારણીય હક્ક અધિકારથી વંચિત આ સમુદાય રહી ગયેલા હતા. આઝાદીના હવે 79 વર્ષ પછી સમાજમાં શિક્ષણ સાથે જાગૃતતા આવતાં આ સમુદાયના લોકો સરકાર સમક્ષ શિક્ષણ ક્ષેત્રે.. સામાજિક ક્ષેત્રે.. રાજ્ય ક્ષેત્રે..સરકારમાં…
તાપી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શાકભાજીની આડમાં દારૂની હેરાફેરી કરનારા બે ભેજાબાજ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની વિગત વાર વાત કરીએ તાપી ક્રાઈમ બ્રાન્ચના માણસો દ્વારા પોતાના અંગત બાતમીદારો રોકેલ હોય જેના ભાગ રૂપે એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારાથી સોનગઢ અને ઉચ્છલ હાઇવે રોડ ઉપર ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે એ.એસ.આઇ.બીપીનભાઈ રમેશભાઇ તથા લેબજીભાઇ પરબતજીભાઇ નાઓને ખાનગી રીતે સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, “મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર તરફથી એક બોલેરો પીકપ ટેમ્પો નં.RJ-27-GC-7843માં પાછળના ભાગે શાકભાજીની આડમાં ઇંગ્લીશદારૂનો જથ્થો ભરી નવાપુરથી વ્યારા તરફ આવી રહ્યો છે. તેવી યોગ્ય બાતમી મળતા સોનારપાડા ગામની સીમમા પીકપ ગાડી રોકી…
