Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
તા.૦૮/૦૯/૨૦૨૫ થી તા.૧૦/૦૯/ ૨૦૨૫ સુધીના પંદરમી ગુજરાત વિધાનસભાના સાતમા સત્ર દરમિયાન સભાગૃહની કુલ-૦૩ બેઠકો મળી. સત્ર દરમિયાન વિધાનસભાએ કુલ- ૧૫ કલાક ૫૬ મિનિટ કામ કર્યુ. સત્ર દરમિયાન કુલ-૫૩ માનનીય સભ્યઓએ ચર્ચામાં ભાગ લીધો. સત્ર દરમિયાન કુલ-૦૭ સ્વર્ગસ્થ મહાનુભાવોના અવસાન અંગે ગૃહમાં શોકદર્શક ઉલ્લેખો કરવામાં આવ્યા અને સ્વ. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માનમાં સભાગૃહ મુલત્વી રાખવામાં આવ્યુ. વધુમાં, ગુજરાત વિધાનસભાની પ્રણાલી અનુસાર વિધાનસભાના પ્રથમ માળે આવેલ પોડીયમ ખાતે સ્વ. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની છબીનું અનાવરણ કરવામાં આવેલ છે તથા ઉક્ત અનાવરણ વિધિમાં માન. મુખ્યમંત્રી, માન. અધ્યક્ષ, સ્વ વિજયભાઇ રૂપાણીના પરિવારજનો તેમજ માન. ધારાસભ્યશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. સત્ર દરમિયાન સભાગૃહમાં…
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચિખલદાના યુવા સરપંચ રીપીનભાઈ ગામીતે ડિજિટલ યુગમાં વિકાસની નવી રાહ ચીંધી છે. તેઓએ વિવિધ સરકારી યોજનાઓની માહિતીને લોકો સુધી પહોંચાડવા ઇન્સ્ટાગ્રામ રીલ્સનો અસરકારક રીતે ઉપયોગ કરી લોકોના જીવનમાં રીયલ બદલાવ લાવી રહ્યા છે. તેઓએ માત્ર ૭૦ જ દિવસમાં ૨૦ જેટલા ટૂંકા વિડીયો એટલે કે રીલ્સ અપલોડ કરી ૧૧.૫૦ લાખ લોકો સુધી પહોંચ્યા છે. માઈક કે મંચ કરતા ઇન્સ્ટાગ્રામ વધુ શક્તિશાળી :- રીપીન ગામીત રીપીનભાઈ કહે છે કે મારા માટે માઈક કે મંચ કરતા ઇન્સ્ટાગ્રામ વધુ શક્તિશાળી સાબિત થયું છે. સરપંચ બન્યા પછી લોકો વિવિધ યોજનાઓની માહિતી માટે સતત પૃચ્છા કરતાં, જેમાંથી માહિતી આપતા વિડીયો બનાવવાની પ્રેરણા…
મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા સોનગઢ નગરમાંથી દોઢ લાખથી વધારે કિંમતનો વિદેશી દારૂ પકડી પાડવામાં આવ્યો છે. સોનગઢ પોલીસ સ્ટેશનના માણસો સોનગઢ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ અનિલ રામચંદ્ર પાખરેને ખાનગી રીતે બાતમી મળતા તેમણે તેમની ટીમ સાથે સોનગઢ નગરમાંથી અંદાજે દોઢ લાખથી વધારે રૂપિયાનો વિદેશી દારૂ અને મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઘટનામાં લિસ્ટેડ બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો. સોનગઢ નગરની બાતમીવાળી જગ્યાએ પહોંચતા ઘરમાં વગર પાસ પરમીટે ગેરકાયદે રીતે પુઠ્ઠાના બોક્ષમાં તથા પ્લાસ્ટિકની કોથળીઓમાં અલગ-અલગ બ્રાંડની ભારતીય બનાવટનો વિદેશી દારુ તથા બિયરના ટીન આમ કુલ ૧,૧૭૬ જે કુલ ૨૫૦ લિટર ૦૮૦ મીલી હોવાનું માનવમાં આવે…
વ્યારા પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનાના વોન્ટેડ આરોપીને તાપી SOGએ ઝડપી લીધો હતો. તાપી જિલ્લામાં ગુનો આચરી ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે SOGના કેટલાક માણસો તપાસમાં હતા ત્યારે એ.એસ.આઈ રાજેન્દ્ર યાદવરાવ અને હેડ કોન્સ્ટેબલ શરદ વળવીને ખાનગી રાહે બામતી મળતા વ્યારા પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનામાં સંડોવાયેલા અને વોન્ટેડ આરોપી સુનિલ મોહન વસાવેને નિઝર આર.જી.પટેલ હાઈસ્કૂલના બસ સ્ટેશન પાસેથી અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશન સોંપી દેવામાં આવ્યો છે. કામગીરી કરનાર પોલીસ અધિકારી:- પોલીસ ઈન્સ્પેક્ટર કે.જી.લીંબાચીયા, SOG એ.એસ.આઈ. રાજેન્દ્ર યાદવરાવ હેડ કોન્સ્ટેબલ કમલેશ કૃષ્ણાં વળવી હેડ કોન્સ્ટેબલ શરદ સુરતજી વળવી આ તમામ SOG શાખના માણસોએ વોન્ટેડ આરોપીને ઝડપી…
અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને એશિયા કપના આયોજકો પર નિશાન સાધ્યું છે. અફઘાનિસ્તાન ટીમને ગ્રુપ Bમાં રાખવામાં આવી છે અને તેની બધી મેચો અબુ ધાબીમાં રમાશે, પરંતુ રાશિદ ખાન ગુસ્સે છે કે તેની ટીમના રહેવાની વ્યવસ્થા દુબઈમાં કરવામાં આવી છે, જ્યારે તેની મેચો અબુ ધાબીમાં રમાશે. ટુર્નામેન્ટની શરૂઆત અફઘાનિસ્તાનની મેચથી થવા જઈ રહી છે, જેમાં તેનો મુકાબલો હોંગકોંગ સાથે થશે. એશિયા કપ 2025 શરૂ થતાં પહેલાં એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આમાં રાશિદ ખાને કહ્યું હતું કે દુબઈમાં રહેવું યોગ્ય નથી અને ટીમની મેચો અબુ ધાબીમાં યોજાય છે. શેખ ઝાયેદ સ્ટેડિયમ (અબુ ધાબી)થી દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમનું અંતર 100 કિલોમીટરથી વધુ છે.…
ક્રાંતિવીર જનનાયક બિરસા મુન્ડાની ૧૫૦મી જન્મ જયંતી સમગ્ર દેશમાં ઉજવામાં આવી હતી. જળ, જંગલ અને જમીનના રક્ષણ માટે અને અંગ્રેજ સરકારના દમણના વિરોધમાં ‘ઉલગુલાન’ આંદોલનથી ચારસો કિલોમીટરના વિસ્તારમાં ઝારખંડ અને બિહારમાં યુક્તિપૂર્વક આદિવાસીઓને એકત્ર કરીને આઝાદીની ચળવળ ચલાવી હતી. તથા સ્થાનિક જમીનદારોના શોષણનો વિદ્રોહ પૂર્વક સામનો કરીને બિરસા આદિવાસીઓના ભગવાન થઈ ગયા. અંગ્રેજ સરકાર સામે થયેલાં આંદોલનોમાં ઈતિહાસ પ્રસિદ્ધ આંદોલન હતું. સાહિત્ય સેતુ, વ્યારા તથા સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,સોનગઢના સંયુકત ઉપક્રમે યોજાયેલા કવિ સંમેલનમાં પ્રકૃતિ,પર્યાવરણ, જમીન અને જળ વિષયક કાવ્યો પ્રસ્તુત કરીને શ્રોતાઓને રસ તરબોળ કરીને કાવ્યમય બનાવી દીધા. તથા આઝાદીના સંગ્રામમાં ક્રાંતિવીર બિરસા મુન્ડાના યોગદાન વિશેની ઐતિહાસિક જાણકારી…
તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાનગરપાલિકા સ્થાપિત સિનિયર સીટીઝન કલબ ખાતે તાપી સાથે ગાઢનો નાતો ધરાવતા સંગીત વિશારદ અને સુપ્રસિધ્ધ ગાયક પ્રા.રાકેશ દવે (એમ.એસ.યુનિવર્સીટી), વડોદરાના અવાજમાં સિનિયર સીટીઝન ગૃપ આયોજીત સંગીત સંધ્યા યોજાઈ હતી. વ્યારાનગરના સિનિયર સીટીઝનો દ્વારા સામાજીક કાર્યો જેવા કે મડીકલ કેમ્પ, યોગા,ભજન/ગરબા સ્પર્ધા,જન્મદિન ઉજવણી, સ્વચ્છતા અભિયાન જેવી સેવાકીય પ્રવૃત્તિઓ નિયમિત કરવામાં આવે છે. વધુમાં હાલમાં રાજ્ય સરકાર દ્વારા મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાનમાં પણ સહભાગી થઈ સિનિયર સીટીઝનો દ્વારા સમયાંતરે રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. તે પૈકી તા.૦૮/૦૯/૨૦૨૫ના રોજ સાંજે ૪-૦૦ કલાકે વ્યારાનગરજનો સહિત સિનિયર સીટીઝનો માટે એક યાદગાર સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાપી જિલ્લા સાથે…
રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક મેધ મહેર થઇ છે. રાજ્યના ૧૩૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં કપરાડા તાલુકામાં ૧૦ ઈંચ, પોશીના,ધરમપુર તાલુકામાં ૬-૬ ઈંચ , રાધનપુર, ઉમરગામ, ભચાઉ, લાખણી, તલોદ અને પાલનપુર તાલુકામાં ૪-૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો અનુસાર આજે તા. ૭ મી સપ્ટેમ્બરના રોજ સવારે છ કલાકે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન સાણંદ, કડી, બોટાદ, સંતરામપુર, સતલાસણા, દાંતા, પડધરી, વાવ, ધાનેરા, પાટણ, પારડી, ભિલોડા, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, ઉમરપાડા અને મોડાસા મળી કુલ ૧૫ તાલુકાઓમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોધાયો છે. આ ઉપરાંત મહેસાણા, ટંકારા, બાયડ…
સોનગઢ શહેર તેમજ આજુબાજુના ગામોમાં ગણેશોત્સવના દસ દિવસ બાદ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભાવિકો ગણપતિ બાપ્પાના મોરચામાં જોડાય હતા. ગણપતિ બાપ્પા મોરિયા ના જયઘોષથી આખું ગામ ગુંજી ઉઠ્યું હતું. વિસર્જન દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો. વિસર્જન યાત્રા દરમિયાન માત્ર ભક્તિભાવ અને આનંદ જ નહીં, પરંતુ અન્ય ધર્મના લોકોને પણ સન્માન અપાય તે અત્યંત જરૂરી છે. ગામમાં વિવિધ ધર્મના લોકો સાથે-સાથે રહે છે. તેથી કોઈની ધાર્મિક લાગણી દુભાય નહીં તે પોલીસ તથા આયોજકો બંનેની જવાબદારી બની રહે છે. મોરચાના માર્ગ પર જો અન્ય ધર્મના…
સોનગઢમાં આદિવાસી સમાજ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સોનગઢ સર્કિટ હાઉસથી સેવા સદન સુધી યોજવામાં આવી હતી. રેલીમાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને સોનગઢ તાલુકા પંચાયતના માજી પ્રમુખ યુસુફ ગામીતના અધ્યક્ષ સ્થાને તેમજ હાઇડ્રો પ્રોજેક્ટ સઘર્ષ સમિતિની આગેવાનીમાં યોજવામાં આવી હતી. થોડા સમય પહેલા સાતકાશી ગામ પાસે હાઈડ્રો પંપ સ્ટોરેજ યોજના માટે જમીનના સર્વે અને માપણી કરવા માટે અધિકારીઓ પહોંચ્યા હતા. તેનો સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિકો દ્વારા ભારે વિરોધ કરતા પોલીસતંત્ર દ્વારા એક્સપાયરી ડેટવાળા ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા. તેના વિરોધમાં મંગળવારે સોનગઢમાં આદિવાસી સમાજ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં…