Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

વલસાડ રૂલર પોલીસે સરોડી ગામ નજીક શ્રી સાંઈ આઈમાતા હોટેલમાંથી ગેરકાયદેસર રીતે સંગ્રહિત સામાન જપ્ત કર્યો છે. ગુપ્ત માહિતીના આધારે પોલીસે હોટલ પરિસરમાં દરોડા પાડ્યા હતા. હોટલ પરિસર અને પાછળના રૂમમાંથી ૧૨ લોખંડના સળિયા અને ૬ ચેનલ જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ૮૧ પામ ઓઈલ કેન, એક ઈલેક્ટ્રોનિક ફોર્ક અને પાંચ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. બે ટેન્કર અને એક ટ્રકમાંથી જપ્ત કરાયેલા માલ સહિત જપ્ત કરાયેલા માલની કુલ કિંમત રૂપિયા ૧,૨૯,૫૩,૧૬૮ હોવાનો અંદાજ છે. પાંચ આરોપીઓની ધરપકડ:- આ કેસમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓમાં પુનારામ કોલાજી ચૌધરી (રાજસ્થાન), ભરતભાઈ રેવાભાઈ ભરવાડ (વલસાડ), સાવરિયા દેવકરણ ગુર્જર…

Read More

અમેરિકન બહુરાષ્ટ્રીય રોકાણ બેંક અને નાણાકીય સેવાઓ કંપની જેફરીઝના અહેવાલ મુજબ, ભારતીય માલ પર અમેરિકા દ્વારા 50 ટકાની ડ્યુટી લાદવાનો નિર્ણય ફક્ત વેપાર સંબંધિત નથી, પરંતુ રાજકારણ અને અહંકાર સાથે પણ જોડાયેલો છે. અહેવાલમાં દલીલ કરવામાં આવી છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું આ પગલું મુખ્યત્વે ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષમાં મધ્યસ્થી કરવાની તક ન મળવા બદલ તેમની “વ્યક્તિગત નારાજગી” દ્વારા પ્રેરિત છે. જેફરીઝે નોંધ્યું હતું કે ટ્રમ્પ મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના ચાર દિવસના ટૂંકા લશ્કરી સંઘર્ષ પછી મધ્યસ્થી તરીકે આગળ વધવાની આશા રાખતા હતા. જો કે, ભારત સતત પાકિસ્તાન સાથેના વિવાદોમાં ત્રીજા પક્ષના હસ્તક્ષેપને…

Read More

તાપી સોનગઢના દોણ ગામે આવેલા ગૌમુખ મંદિરે દર્શન માટે આવેલી ત્રણ મહિલાઓ પાણીમાં તણાઈ હતી. જેમાંથી સ્થાનિક લોકોએ બે મહિલાઓને બચાવી લીધી હતી. જ્યારે એક મહિલા પાણીમાં તણાઈ જતા મોત નિપજ્યું હતું. ચોમાસા દરમ્યાન ગૌમુખ મંદિર તેમજ આજુબાજુનો વિસ્તારો નાના-નાના ઝરણાઓથી ખીલી ઉઠે છે. તેમજ અંહી આવેલું ગૌમુખ મંદિર ખૂબજ પ્રખ્યાત હોવાથી મોટી સંખ્યામાં ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાંથી લોકો દર્શન માટે આવતા હોય છે. શુક્રવારે નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી જતા નદીના પાણીમાં નાહવા પડેલી ત્રણ મહિલાઓમાંથી એક મહિલા પાણીમાં તણાઈ ગઈ હતી. ઘટનાની જાણ નવાપુર પોલીસને થતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read More

૨૯ ઑગસ્ટ મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિતે તાપી જિલ્લામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સિનિયર સિટીઝન ક્લબ, સ.ગો. હાઈસ્કુલ વાલોડ તથા જિલ્લાના વિવિધ શાળાઓ-કોલેજોમાં વિવિધ રમતો અને સ્પર્ધાઓ યોજાઈ હતી. જિલ્લા કલેકટર ડૉ. વિપિન ગર્ગ તથા નગરપાલિકા વ્યારાના બાંધકામ સમિતિના ચેરમેન મૃણાલભાઈ જોષી જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજિત કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવી રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડી રમતક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરવા શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે કલેકટરના હસ્તે પ્રથમ ખો ખો વર્લ્ડ કપ પ્રિ-નેશનલ કેમ્પમાં પસંદ થયેલી તાપીની ખેલાડી કુ. પ્રિયા ચૌધરી સહિત જિલ્લાના વિવિધ રમતવીરોને સન્માન…

Read More

વ્યારાના જિલ્લા સેવા સદનમાં આવેલા ઓડિટોરિયમમાં આદિમજૂથની મહિલાઓ માટે સિકલસેલ રોગને નાથવા માટે એક જાગૃતિ અભિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત જનજાતિ સંશોધન અને તાલીમ સંસ્થાન, ગાંધીનગર અને એક્શનએડ કર્ણાટકા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમથી આયોજિત જનજાતીય ગૌરવ વર્ષ-ધરતી આબા જનભાગીદારી અભિયાન અંતર્ગત આદિમજૂથની મહિલાઓનું “સિકલસેલ જાગૃતિ–માર્ગદર્શન અને તપાસ, કુદરતી ખેતી અને POSH કાયદા અંગે જાગૃતિ” માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાપી જિલ્લાના સોનગઢ, ડોલવણ, અને વ્યારા તાલુકાની ૬૦૦થી વધું આદિમજૂથની બહેનો, યુવતીઓ અને ડૉક્ટરની ટીમ તેમજ તજજ્ઞો હાજર રહ્યા હતા. ગુજરાત જનજાતિ સંશોધન અને તાલીમ સંસ્થાનના ડૉ. પ્રવીણ પટેલ, શિશુદીપ હોસ્પિટલ બારડોલીના ડો. જ્યોતિષ પટેલ, જિલ્લા મહિલા અને…

Read More

29 ઓગષ્ટ એટલે રાષ્ટ્રીય ખેલ દિવસ આ દિવસને સુપ્રસિદ્ધ હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિની યાદમાં ઉજવામાં આવે છે. ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ, ફિડ ઈન્ડિયાનો સંકલ્પ અને સમગ્ર ભારતમાં વિવિધ રમતો અને ફિટનેસ પ્રવૃતિઓનો સમાવેશ કરવામાં આવે છે. વર્ષ 2025ની થીમ શાંતિપૂર્ણ અને સમાવિષ્ટ સમાજને બનાવવા માટે રમતગમતને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય ખેલ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સાગબારામાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય પ્રદીપ કોઠારી દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય રમત દિવસ વિશે જાણકારી આપવામાં આવી હતી. ત્યાર બાદ રમતવીર મેજર ધ્યાનચંદને શ્રદ્ધાજંલી આપવામાં આવી હતી. સાથે જ તમામ વિદ્યાર્થીઓ દ્વારા ફીટ ઈન્ડિયાનો સંકલ્પ લેવામાં આવ્યો…

Read More

ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા 118 PSIની બદલી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. રાજ્ય ગૃહ વિભાગ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી અંગે નોટિફિકેશન જાહેર કરીને તમામને જાણકારી આપી દેવામાં આવી છે.

Read More

RSSના વડા મોહન ભાગવતે શતાબ્દી વર્ષ નિમિત્તે દિલ્હીમાં આયોજિત ત્રણ દિવસીય કાર્યક્રમમાં મોટું નિવેદન આપ્યું હતું. મોહન ભાગવતે પત્રકારોના અનેક મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ પ્રશ્નોમાંથી એક જન્મદર પર હતો. આ પ્રશ્નને જવાબ આપતા તેમણે કહ્યું કે તમારે પ્રચારકને આ પ્રશ્ન પૂછવો જોઈતો ન હતો, પરંતુ હવે જ્યારે તમે પૂછ્યું છે, તો હું ભારતના તમામ લોકોને ત્રણ બાળકો પેદા કરવાની સલાહ આપીશ. ત્રણ બાળકો નથી તેઓ લુપ્ત થશે ભાગવતે વધુમાં કહ્યું કે, દુનિયાના બધા શાસ્ત્રો કહે છે કે જેમનો જન્મદર ત્રણ કરતા ઓછો છે, તેઓ ધીમે ધીમે અદૃશ્ય થઈ જાય છે. તો તેને ત્રણથી ઉપર રાખવું જોઈએ. દુનિયાનો દરેક…

Read More

તાપીના સોનગઢ અને ઉકાઈના અલગ-અલગ વિસ્તારોમાં ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.  સૌથી લોકપ્રિય તહેવારની ભક્તો ઉમંગ સાથે ઉજવણી કરી રહ્યા છે. આ તહેવાર, જાહેર પંડાલોમાં વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના થઈ રહી છે. ત્યારે ગણપતિ બાપ્પા મોરિયા બોલી પૂજન, સાથે ફૂલ, સુગંધિત સામાન અને મીઠાઈઓની સાથે ખાસ કરીને મોદક, જે ગણેશજીનો પ્રિય પ્રસાદ છે, તે મુકવામાં આવે છે. આ દસ દિવસ સુધી ચાલતા આ તહેવારનો સમાપન અનંત ચતુર્દશીના દિવસે વિસર્જન સાથે થાય છે. ગણેશ ચતુર્થી સમાજમાં એકતા સાંસ્કૃતિક અભિવ્યક્તિ અને આ તહેવાર લોકોમાં ભક્તિ સાથે સાથે સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ અને સમરસતાનો સંદેશ આપે છે.

Read More

તાપીના ઉકાઇમાં કેવડા તીજ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. હરિતાલિકા તીજ તહેવાર હિંદુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. આ તહેવાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે. “હરિતાલિકા” શબ્દનો અર્થ થાય છે. હરિત (અપહરણ) અને આલિકા (સખી) માન્યતા અનુસાર માતા પાર્વતીની સખીએ તેમનું અપહરણ કરીને તેમને જંગલમાં લઇ જઇ ભગવાન શિવની આરાધના કરવા પ્રેરિત કર્યું હતું. ત્યારબાદ માતા પાર્વતીને ભગવાન શિવ પતિરૂપે પ્રાપ્ત થયા હતા. આ દિવસે સ્ત્રીઓ નિર્જળ વ્રત રાખે છે અને માતા પાર્વતી-શિવજીની પૂજા કરે છે. તેઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્ય, સુખ-સમૃદ્ધિ અને સુખી વૈવાહિક જીવન માટે પ્રાર્થના કરે છે. કુમારી કન્યાઓ પણ…

Read More