Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
વ્યારા પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનાના વોન્ટેડ આરોપીને તાપી SOGએ ઝડપી લીધો હતો. તાપી જિલ્લામાં ગુનો આચરી ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે SOGના કેટલાક માણસો તપાસમાં હતા ત્યારે એ.એસ.આઈ રાજેન્દ્ર યાદવરાવ અને હેડ કોન્સ્ટેબલ શરદ વળવીને ખાનગી રાહે બામતી મળતા વ્યારા પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનામાં સંડોવાયેલા અને વોન્ટેડ આરોપી સુનિલ મોહન વસાવેને નિઝર આર.જી.પટેલ હાઈસ્કૂલના બસ સ્ટેશન પાસેથી અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશન સોંપી દેવામાં આવ્યો છે. કામગીરી કરનાર પોલીસ અધિકારી:- પોલીસ ઈન્સ્પેક્ટર કે.જી.લીંબાચીયા, SOG એ.એસ.આઈ. રાજેન્દ્ર યાદવરાવ હેડ કોન્સ્ટેબલ કમલેશ કૃષ્ણાં વળવી હેડ કોન્સ્ટેબલ શરદ સુરતજી વળવી આ તમામ SOG શાખના માણસોએ વોન્ટેડ આરોપીને ઝડપી…
અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને એશિયા કપના આયોજકો પર નિશાન સાધ્યું છે. અફઘાનિસ્તાન ટીમને ગ્રુપ Bમાં રાખવામાં આવી છે અને તેની બધી મેચો અબુ ધાબીમાં રમાશે, પરંતુ રાશિદ ખાન ગુસ્સે છે કે તેની ટીમના રહેવાની વ્યવસ્થા દુબઈમાં કરવામાં આવી છે, જ્યારે તેની મેચો અબુ ધાબીમાં રમાશે. ટુર્નામેન્ટની શરૂઆત અફઘાનિસ્તાનની મેચથી થવા જઈ રહી છે, જેમાં તેનો મુકાબલો હોંગકોંગ સાથે થશે. એશિયા કપ 2025 શરૂ થતાં પહેલાં એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આમાં રાશિદ ખાને કહ્યું હતું કે દુબઈમાં રહેવું યોગ્ય નથી અને ટીમની મેચો અબુ ધાબીમાં યોજાય છે. શેખ ઝાયેદ સ્ટેડિયમ (અબુ ધાબી)થી દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમનું અંતર 100 કિલોમીટરથી વધુ છે.…
ક્રાંતિવીર જનનાયક બિરસા મુન્ડાની ૧૫૦મી જન્મ જયંતી સમગ્ર દેશમાં ઉજવામાં આવી હતી. જળ, જંગલ અને જમીનના રક્ષણ માટે અને અંગ્રેજ સરકારના દમણના વિરોધમાં ‘ઉલગુલાન’ આંદોલનથી ચારસો કિલોમીટરના વિસ્તારમાં ઝારખંડ અને બિહારમાં યુક્તિપૂર્વક આદિવાસીઓને એકત્ર કરીને આઝાદીની ચળવળ ચલાવી હતી. તથા સ્થાનિક જમીનદારોના શોષણનો વિદ્રોહ પૂર્વક સામનો કરીને બિરસા આદિવાસીઓના ભગવાન થઈ ગયા. અંગ્રેજ સરકાર સામે થયેલાં આંદોલનોમાં ઈતિહાસ પ્રસિદ્ધ આંદોલન હતું. સાહિત્ય સેતુ, વ્યારા તથા સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,સોનગઢના સંયુકત ઉપક્રમે યોજાયેલા કવિ સંમેલનમાં પ્રકૃતિ,પર્યાવરણ, જમીન અને જળ વિષયક કાવ્યો પ્રસ્તુત કરીને શ્રોતાઓને રસ તરબોળ કરીને કાવ્યમય બનાવી દીધા. તથા આઝાદીના સંગ્રામમાં ક્રાંતિવીર બિરસા મુન્ડાના યોગદાન વિશેની ઐતિહાસિક જાણકારી…
તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાનગરપાલિકા સ્થાપિત સિનિયર સીટીઝન કલબ ખાતે તાપી સાથે ગાઢનો નાતો ધરાવતા સંગીત વિશારદ અને સુપ્રસિધ્ધ ગાયક પ્રા.રાકેશ દવે (એમ.એસ.યુનિવર્સીટી), વડોદરાના અવાજમાં સિનિયર સીટીઝન ગૃપ આયોજીત સંગીત સંધ્યા યોજાઈ હતી. વ્યારાનગરના સિનિયર સીટીઝનો દ્વારા સામાજીક કાર્યો જેવા કે મડીકલ કેમ્પ, યોગા,ભજન/ગરબા સ્પર્ધા,જન્મદિન ઉજવણી, સ્વચ્છતા અભિયાન જેવી સેવાકીય પ્રવૃત્તિઓ નિયમિત કરવામાં આવે છે. વધુમાં હાલમાં રાજ્ય સરકાર દ્વારા મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાનમાં પણ સહભાગી થઈ સિનિયર સીટીઝનો દ્વારા સમયાંતરે રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. તે પૈકી તા.૦૮/૦૯/૨૦૨૫ના રોજ સાંજે ૪-૦૦ કલાકે વ્યારાનગરજનો સહિત સિનિયર સીટીઝનો માટે એક યાદગાર સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાપી જિલ્લા સાથે…
રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક મેધ મહેર થઇ છે. રાજ્યના ૧૩૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં કપરાડા તાલુકામાં ૧૦ ઈંચ, પોશીના,ધરમપુર તાલુકામાં ૬-૬ ઈંચ , રાધનપુર, ઉમરગામ, ભચાઉ, લાખણી, તલોદ અને પાલનપુર તાલુકામાં ૪-૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો અનુસાર આજે તા. ૭ મી સપ્ટેમ્બરના રોજ સવારે છ કલાકે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન સાણંદ, કડી, બોટાદ, સંતરામપુર, સતલાસણા, દાંતા, પડધરી, વાવ, ધાનેરા, પાટણ, પારડી, ભિલોડા, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, ઉમરપાડા અને મોડાસા મળી કુલ ૧૫ તાલુકાઓમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોધાયો છે. આ ઉપરાંત મહેસાણા, ટંકારા, બાયડ…
સોનગઢ શહેર તેમજ આજુબાજુના ગામોમાં ગણેશોત્સવના દસ દિવસ બાદ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભાવિકો ગણપતિ બાપ્પાના મોરચામાં જોડાય હતા. ગણપતિ બાપ્પા મોરિયા ના જયઘોષથી આખું ગામ ગુંજી ઉઠ્યું હતું. વિસર્જન દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો. વિસર્જન યાત્રા દરમિયાન માત્ર ભક્તિભાવ અને આનંદ જ નહીં, પરંતુ અન્ય ધર્મના લોકોને પણ સન્માન અપાય તે અત્યંત જરૂરી છે. ગામમાં વિવિધ ધર્મના લોકો સાથે-સાથે રહે છે. તેથી કોઈની ધાર્મિક લાગણી દુભાય નહીં તે પોલીસ તથા આયોજકો બંનેની જવાબદારી બની રહે છે. મોરચાના માર્ગ પર જો અન્ય ધર્મના…
સોનગઢમાં આદિવાસી સમાજ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સોનગઢ સર્કિટ હાઉસથી સેવા સદન સુધી યોજવામાં આવી હતી. રેલીમાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને સોનગઢ તાલુકા પંચાયતના માજી પ્રમુખ યુસુફ ગામીતના અધ્યક્ષ સ્થાને તેમજ હાઇડ્રો પ્રોજેક્ટ સઘર્ષ સમિતિની આગેવાનીમાં યોજવામાં આવી હતી. થોડા સમય પહેલા સાતકાશી ગામ પાસે હાઈડ્રો પંપ સ્ટોરેજ યોજના માટે જમીનના સર્વે અને માપણી કરવા માટે અધિકારીઓ પહોંચ્યા હતા. તેનો સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિકો દ્વારા ભારે વિરોધ કરતા પોલીસતંત્ર દ્વારા એક્સપાયરી ડેટવાળા ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા. તેના વિરોધમાં મંગળવારે સોનગઢમાં આદિવાસી સમાજ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં…
દેશમાં GSTના ફક્ત બે સ્લેબ હશે, 5% અને 18%. આનાથી સાબુ, શેમ્પૂ, એસી, કાર જેવી આવશ્યક વસ્તુઓ સસ્તી થશે. GST કાઉન્સિલની 56મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે દૂધ, રોટલી, પીત્ઝા બ્રેડ સહિતની ઘણી ખાદ્ય ચીજો GST મુક્ત રહેશે. હેલ્થ અને જીવન વીમા પર પણ ટેક્સ ફ્રી કરવામાં આવ્યા છે. લક્ઝરી વસ્તુઓ અને તમાકુ ઉત્પાદનો પર 40% GST લાદવામાં આવશે. આ સ્લેબ નવરાત્રિના પહેલા દિવસથી એટલે કે 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. આ ફેરફારોનો હેતુ સામાન્ય માણસને જરૂરી ચીજવસ્તુઓ સસ્તી બનાવવા, આરોગ્ય સંબંધિત વસ્તુઓ પર કર ઘટાડવા અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર કર વધારીને…
ભાજપની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ભલે વિકાસની મોટી-મોટી વાતો કરતી હોય પરંતુ આદિવાસી વિસ્તારમાં હજુ પણ વિકાસ નથી થયો. તેનું ઉત્તમ ઉદાહરણ શુક્રવારે જોવા મળ્યું. કારણ કે ઉકાઈ જુથગ્રામ પંચાયતમાં આવતું પાથરડા ગામના રહેવાસી નિલેશ વસંજીભાઈ કોટવાળિયાનું શુક્રવારના દિવસે માંદગીના કારણે અવસાન થયું હતું. જેમની અંતિમ ક્રિયા કરવા માટે આદિમ જૂથના કબ્રસ્તાન પર લઈ જતી વખતે ભારે સંધર્ષ અને મુશ્કેલી વેઠવાનો વારો સ્થાનિકોને આવ્યો હતો. અંહી પીપળા નદી પર વર્ષોથી પુલનો અભાવ હોવાથી અને કબ્રસ્તાન નદીની પેલી પાર હોવાથી અંતિમ ક્રિયા કરવા માટે ખૂબ મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. કબ્રસ્તાન સુધી પહોંચવામાં ભારે હાલાકી:- પરિવારના સભ્ય અને સ્થાનિક લોકો…
ઉકાઈ ડેમના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા ઉકાઈ ડેમના જળ સ્તરમાં વધારો થયો હતો. ડેમમાં જળસ્તરની સપાટી વધતાં ડેમની 12 બારીઓ 7 ફૂટ ખોલવામાં આવી હતી. ખાસ કરીને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ પડતા ઉકાઈ ડેમમાં પાણીનો વધારો થતો હોય છે. શુક્રવારે ઉકાઈ ડેમની જળ સપાટી 337.90 નોંધવામાં આવી હતી. ઉકાઈ ડેમમાં 1 લાખ 63 હજાર ક્યુસેક પાણીની આવક થઈ હતી. જેની ડેમમાંથી 1 લાખ 63 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ડેમમાં પાણીનો જળસ્તર સતત વધતા તાપી નદીના કિનારા વિસ્તારના ગામડાઓમાં રહેતા લોકોને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું હતું.
