Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ, શ્રમ, રોજગાર તથા ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ. બેઠક દરમ્યાન મંત્રીએ જિલ્લામાં વર્ષોથી પેંડિંગમાં રહેલા વિવિધ કામો, રસ્તા, આવાસ, જર્જરિત મકાનો તથા ટાંકી જેવા પ્રશ્નોના તાત્કાલિક નિવારણ માટે અધિકારીઓને કડક તાકિદ કરી હતી. ગેરકાયદેસરના દબાણો તથા બાંધકામોને દૂર કરી અટકેલા કામો તાત્કાલિક ધોરણે શરૂ કરવા અને ધારાસભ્યો દ્વારા રજૂ થયેલા પ્રશ્નોનો નિર્ધારિત સમયમર્યાદામાં યોગ્ય ઉકેલ લાવવા સૂચના આપી હતી. વધુંમાં જિલ્લાના વિકાસકાર્યો સમયમર્યાદામાં પૂર્ણ કરવા કરવા મંત્રીએ તાકીદ કરી હતી. મંત્રીએ જણાવ્યું કે, જિલ્લાના લોકોના હિતમાં એક એક કામ પ્રાથમિકતા સાથે પૂરું થવું જોઈએ,…

Read More

સોનગઢ તાલુકાના મલંગદેવ ફાંટા પાસેથી રૂપિયા 3 લાખની કિંમતનો વિદેશી દારૂ ભરીને ગુજરાતમાં આવતી મારુતિ કાર સાથે બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સોનગઢ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે એએસઆઈ માર્મિક હરેશને ખાનગી રીતે બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર તરફથી આવતી એક મારુતિ કારમાં ગેરકાયદેસર વિદેશી દારૂ ગુજરાતમાં લઈ જવામાં આવી રહ્યો છે. તેવી ચોક્કસ બાતમી મળતા સોનગઢ ફાંટા પાસે વોચ ગોઠવવામાં આવતાં રાત્રે ત્રણ વાગ્યે બાતમી મુજબની કાર આવતા તેને રોકવામાં આવી હતી. બાદમાં કારમાં તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની 2,400 બોટલ મળી આવી હતી, જેની અંદાજે કિંમત 3,00,000 થાય…

Read More

આજકાલની ભાગદોડની લાઈફસ્ટાઈલમાં અનેક યુવાનો અચાનક હાથ ધ્રુજવાની ફરિયાદ કરે છે. ઘણીવાર લોકો તેને થાક, નબળાઈ અથવા ગભરાટ તરીકે નકારી કાઢે છે, પરંતુ વારંવાર અથવા સતત હાથ ધ્રુજારી એ ગંભીર સમસ્યાનું લક્ષણ હોઈ શકે છે. ડોકટરોના મતે, જો નાની ઉંમરે હાથ ધ્રુજારી શરૂ થાય છે, તો તેને એસેન્શિયલ ટ્રેમર નામનો ન્યુરોલોજીકલ ડિસઓર્ડર માનવામાં આવે છે. ત્યારે જાણીએ એસેન્શિયલ ટ્રેમર શું છે. એસેન્શિયલ ટ્રેમર શું છે? એસેન્શિયલ ટ્રેમર એ નર્વસ સિસ્ટમનો એક ડિસઓર્ડર છે જેમાં શરીરના અમુક ભાગો, ખાસ કરીને હાથ, માથું અથવા અવાજ ધ્રુજવા લાગે છે. તે પાર્કિન્સન રોગથી અલગ છે, પરંતુ શરૂઆતના લક્ષણો ખૂબ સમાન છે. સૌથી સામાન્ય લક્ષણ…

Read More

વ્યારા પોલીસ સ્ટેશનમાં પશુ હેરાફેરીના ગુનાઓમાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને તાપી પેરોલ ફર્લો સ્કોર્ડ તથા તાપી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લીધો છે. એ.એસ.આઈ આનંદ ચેમાભાઈ એ.એસ.આઈ જગદીશ જોરારામભાઈને સંયુકત બાતમી મળતા પશુ હેરાફેરીના ગુનામાં નાસતો-ફરતો આરોપી આમીન શકિલ કુરેશીને ઝડપી લીધો હતો. આરોપીની ધરપકડ કરી વધુ તપાસ માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. વ્યારા પોલીસ સ્ટેશનની વધુ તપાસમાં અન્ય પણ ગુનાઓ કબૂલ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કામગીરી કરનાર સ્ટાફ:- પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ એલ.સી.બી પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી.પાંચાણી એ.એસ.આઈ જગદીશ જોરારામભાઈ એ.એસ.આઈ જયેશ લીલકીયાભાઈ હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ દેવસિંહ પોલીસ કોન્સ્ટેબલ રવિંદ્ર મહેન્દ્રભાઈ એ.એસ.આઈ આનંદ ચેમાભાઈ પોલીસ કોન્સ્ટેબલ દિપક સેવજીભાઈ…

Read More

સોનગઢ તાલુકાના વિભાજન કરવા બાબતે અને અભિપ્રાય માટે જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તેનો સોનગઢ તાલુકાના સરપંચો, તાલુકા પંચાયતના સભ્ય, અને જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા વાંધો અને વિરોધ કરવામાં આવ્યો છે. સોનગઢ તાલુકો ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે સોનગઢના વડા મથકથી 50 કિલોમીટરના અંતરે બધા ગામો આવેલા છે. પરંતુ સરકાર જે નવો તાલુકો બનાવવા માગે છે. તે ઉકાઈ સોનગઢને અડીને આવેલું છે. જેનું અંતર આશરે 4થી 5 કિલોમીટર છે. જેથી જનતાને સ્કૂલ-કોલેજ-આરોગ્ય તથા જીવન જરૂરિયાત માટે સોનગઢ આવવું પડે છે. તેથી સોનગઢ તાલુકોનું વિભાજન ન થાય તે માટે વાંધો અને વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સોનગઢ તાલુકાના લોકો દ્વારા વિભાજન…

Read More

પ્રોહીબિશનના ગુનામાં છેલ્લાં બે વર્ષથી વોન્ટેડ આરોપીઓને તાપી SOGએ ઝડપી લીધા છે. એ.એસ.આઈ અજય તેમજ પોલીસ કોન્સ્ટેબલ જયેશને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળતી હતી કે, સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીઓ મનિષ મહેશ ગામીત અને દિનેશ છબીલદાસ પારઘી સોનગઢ શહેરના હાથી ફળીયામાં આવેલા હનુમાન મંદિર પાસે ઉભા છે. તેવી ચોક્કસ માહિતી મળતા SOGની ટીમે બંને આરોપીઓને ઝડપી લીધા હતા. પકડાયેલા શખ્સો પાસેથી એન્ડ્રોઈડ મોબાઈલ જપ્ત કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:- પોલીસ ઈન્સ્પેક્ટર કે.જી લીંબાચીયા એ.એસ.આઈ અજયભાઈ દાદાભાઈ હેડ કોન્સ્ટેબલ હીરેનભાઈ ચીમનભાઈ પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ બલીરામ આ તમામ…

Read More

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે વોટ ચોરી મુદ્દે વધુ એક ખુલાસો કરતા ચકચાર મચી ગયો છે. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સચોટ પુરાવા સાથે વોટચોરીનો દાવો કર્યો હતો. પોતાની ‘વોટર અધિકાર યાત્રા’ પૂર્ણ થયા બાદ રાહુલે દાવો કર્યો હતો કે, અમારો પક્ષ ‘વોટ ચોરી’ મુદ્દે ટૂંક સમયમાં જ ‘હાઈડ્રોજન બોમ્બ’નો ખુલાસો કરશે. મારૂ કામ લોકશાહી પદ્ધતિમાં ભાગ લેવાનો છે. તેની રક્ષા કરવાનું નથી. ભારતના ઈન્સ્ટીટ્યુશન્સ આ કામ કરી રહ્યા નથી. તેથી હું તેમનું કામ કરી રહ્યો છું. મારૂ કામ સત્ય બહાર લાવવાનું છે. ભારતની લોકશાહી હાઈજેક થઈ ગઈ છે. તેને દેશના લોકો જ બચાવી…

Read More

દક્ષિણ ગુજરાતના પૂર્વિય પ્રવેશદ્વાર તરીકે ઓળખાતા તાપી જિલ્લામા પડેલા અનરાધાર વરસાદને કારણે માઈનોર સરફેસ ડેમેજ થવાથી માર્ગોને થયેલુ નુકશાન પૂર્વવત કરવા સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદે વિરામ લેતા જ નુકશાન પામેલા માર્ગોની સુધારણાના કાર્યો તાબડતોબ હાથ ધરાયા છે. મોન્સુન બાદ હાથ ધરાયેલા માર્ગ સુધારણાના આ કાર્યનો પ્રારંભ જિલ્લાના છેવાડાના કુકરમુંડાના વિસ્તારના માર્ગોથી કરવામા આવ્યો છે. અહીં ડામર પેચવર્ક સાથે માર્ગની સરફેસ દુરસ્ત કરી તેને રાહદારીઓ અને વાહન ચાલકો માટે સુગમ્ય બનાવવામા આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે તમામ ક્ષતિગ્રસ્ત માર્ગોના મરામતની આપેલી સૂચના બાદ તાપી જિલ્લાના સ્ટેટ વિભાગ હસ્તક માર્ગો ઉપર ડામર પેચવર્કની કામગીરીનો આરંભ…

Read More

તાપી ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે સ્કોર્પીયો કારમાં દારૂની હેરાફેરી કરનારા શખ્સને ઝડપી લીધો છે. પકડાયેલા શખ્સ પાસેથી 10 લાખથી વધારે કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એ.એસ.આઈ બિપીન રમેશ થતાં હેડ કોન્સ્ટેબલ વિનોદ પ્રતાપને ખાનગી રીતે બાતમી મળી હતી કે “એક કાળા કલરની મહિન્દ્રા સ્કોર્પીયો ગાડી નંબર GJ-15-CP-5124માં એક ઈસમ ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી કપુરા થઈ વાલોડ તરફ જનાર છે” તેવી બાતમી મળતા સ્ટાફના માણસો કપુરા પાસે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી વાળી કાળા કલરની મહિન્દ્ર સ્કોર્પીયો ગાડી આવતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ગાડીને રોકવાનો પ્રયાસ કરતા ગાડી ચાલક ફરાર થયો હતો:- જો કે, આ દરમ્યાન…

Read More

અમદાવાદમાં આવેલી ગુજરાત હાઈકોર્ટે 14 પાનાનું નોટિફિકેશન જાહેર કરી મોટા ધરખમ ફેરફાર કર્યાં છે. નવા નિયમ પ્રમાણે હવે કોઈપણ કેસમાં સિનિયર વકીલો નહીં માંગી શકે મુદત, કેસના મેન્શનિંગ અને મુદત હવેથી જુનિયર વકીલો જ કરી શકશે તેવું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. 45 વર્ષથી ઓછી ઉંમરના વકીલનને સિનિયર વકીલની પદવી નહીં મળે, સિનિયર વકીલની પદવી માટે 45 વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે.હાઈકોર્ટ દ્વારા નામિત સિનિયર વકીલો કેસમાં મુદ્દત માટે નહીં કરી શકે મેન્શનિંગ.. ખાસ કરીને બારમાં 3 વર્ષથી ઓછો અનુભવ ધરાવતા 2થી 3 જુનિયર વકીલોને સિનિયર વકીલોએ સાથે રાખી માર્ગદર્શન કરવું પડશે તેવું ગુજરાત હાઈકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું…

Read More