Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: samachar shatak
Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અને રશિયનના પ્રમુખ વ્લાદિમીર પુતિન યુદ્ધવિરામ પર ચર્ચા કરવા માટે એક બેઠક યોજવા જઈ રહ્યા છે. ટ્રમ્પે વધુમાં કહ્યું કે હવે આ જવાબદારી યુક્રેનિયન રાષ્ટ્રપતિની છે. ટ્રમ્પે અલાસ્કામાં પુતિન સાથે મુલાકાત બાદ આ વાત કહી. ટ્રમ્પે કહ્યું, ‘ઝેલેન્સકીએ અલાસ્કા વાટાઘાટોને આગળ ધપાવવી જોઈએ અને 3 વર્ષથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે એક કરાર સુનિશ્ચિત કરવો જોઈએ. ઝેલેન્સકીએ સમાધાન કરવું પડશે. રશિયા એક મહાન શક્તિશાળી દેશ છે. ટ્રમ્પે કહ્યું – જો બંને ઇચ્છે છે, તો હું બેઠકમાં હાજર રહીશ અલાસ્કામાં પુતિનને મળ્યા બાદ ટ્રમ્પે કહ્યું, હવે તે રાષ્ટ્રપતિ ઝેલેન્સકી પર નિર્ભર…
તાપીના વ્યારા સ્થિત પોલીસ હેડક્વાર્ટરના પટાંગણમાં આન, બાન અને શાન સાથે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ રાષ્ટ્રધ્વજને ગૌરવભેર સલામી આપીને પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે જિલ્લા સમાહર્તા ડૉ. વિપિન ગર્ગ અને જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ પણ જોડાયા હતા. આ પ્રસંગે મંત્રી હળપતિએ શહીદો અને મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનોને યાદ કર્યા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત@૨૦૪૭”ની પરિકલ્પનાને સાકાર કરવા માટે સૌના સહયોગ માટે અનુરોધ કર્યો હતો. તેમણે ગુજરાતને વિકાસનું રોલ મોડલ ગણાવતાં જણાવ્યું કે, રાજ્યમાં સેમિકંડક્ટર અને એઆઈ જેવા ઊભરતા ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ થઈ રહ્યો છે. ગુજરાત હવે માત્ર ઔદ્યોગિક વિકાસ સુધી…
રાણો રાણાની રીતે કહેનારો કલાકાર દેવાયત ખવડ સામે પોલીસ ફરિયાદ થયા બાદ હવે પોલીસ પકડથી બચવા માટે સંતાઈ ગયો છે. દેવાયત ખવડે ગીર સોમનાથમાં અમદાવાદના યુવક પર હુમલો કરવાનો આરોપ લાગ્યા બાદ દેવાયત ખવડ પોલીસ પકડથી બચવા માટે આમ-તેમ ફરાર થઈ રહ્યો છે. જેથી પોલીસે આરોપી દેવાયતને ઝડપી પાડવા માટે અલગ-અલગ સાત ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ:- ફરાર દેવાયત ખવડને શોધવા માટે પોલીસે સાત ટીમો બનાવી છે. આ ઉપરાંત CCTV, ટેકનિકલ સર્વેલન્સ અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. ગુજરાતી કલાકાર દેવાયત ખવડે અમદાવાદના યુવક પર હુમલો કર્યો હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો…
જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાને લઈને સામૂહિક ઝુંબેશના ભાગરૂપે રાજ્ય સરકારની કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા રાજ્યના ૨૫ જિલ્લાની કુલ ૩૩૨ જેટલી મીઠાઇ, ફરસાણ, ડ્રાયફ્રુટ અને ગિફ્ટ વગેરેની દુકાનોમાં દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ગેરરીતી કરતા કુલ ૧૨૬ એકમો સામે ગુન્હાઓ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને માંડવાળ ફી તરીકે તેમની પાસેથી કુલ રૂ. ૫,૯૧,૫૦૦ રકમ વસૂલ કરવામાં આવી હતી. કાનૂનીમાપ વિજ્ઞાન તંત્રના નાયબ નિયંત્રક, મદદનીશ નિયંત્રક તેમજ ઇન્સપેક્ટરો દ્વારા હાથ ધરાયેલી આ તપાસણી દરમિયાન વજનમાં ઓછું આપીને ગ્રાહકને છેતરવો, વજન કાંટાનું ફેરચકાસણી, મુદ્રાંકન ન કરાવવુ, ખરાઇ પ્રમાણપત્ર પ્રદર્શીત ન કરવુ, પેકર…
સોનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનાઓમાં છેલ્લાં બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કોર્ડ અને લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીને સકંજામાં લીધો છે. તાપી પોલીસના માણસો ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ નીરુભા તથા પોલીસ કોન્સ્ટેબલ હસમુખ વિરજીને સંયુકત અને ખાનગી રીતે બાતમી મળતા આરોપી જય ગાગનદાસ રાજપાલને ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપી સામે પ્રોહીબિશન એક્ટની કલમ -65ઈ,81 મુજબના ગુનાઓમાં સંડોવાયેલો અને નાસતો-ફરતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે. ત્યારે સોનગઢ પોલીસ સ્ટેશનની તપાસમાં અન્ય ખુલાસા થાય તેવી પણ શક્યતા છે. કામગીરી કરનાર પોલીસની ટીમ:- પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એસ.ગોહીલ…
સરકારી વિનિયન કોલેજ ઉમરપાડા ખાતે ઉચ્ચ કક્ષાની શિક્ષણનીતિ તેમજ વહીવટી પદ્ધતિ લાગુ કરવા એ પ્લસ પ્રોફેસરોની ટીમ કર્ણાટક રાજ્યની ૧. હોન્વાર એસ.ડી.એમ કોલેજ તેમજ ૨. કર્ણાટક આર્ટસ,વિજ્ઞાન અને કોમર્સ કોલેજ બીદર ખાતે વિવિધ યુનિવર્સિટીઓની શૈક્ષણિક નીતિ, સંશોધન અભિગમ, પરીક્ષા પદ્ધતિ અને વહીવટી વ્યવસ્થાઓ અંગે મોખરાના મોડલનો અભ્યાસ કરશે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે કોલેજ અને યુનિવર્સિટીઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા ‘લર્નિંગ એન્ડ એક્સપોઝર કમ સ્ટડી ટુર ફોર ફેકલ્ટીઝ’ નામે રાજ્ય સરકારે નવી પહેલ શરૂ કરી છે. આ યોજનામાં કોલેજના પ્રીન્સીપાલશ્રી પ્રો.એસ.જી બાગુલ તેમજ આઈક્યુએસી કો-ઓર્ડીનેટર પ્રો.કે.આર તિવારી સાથે બે સભ્યો પ્રો.આર.એન ગામીત અને પ્રો. સુબોધ ઠાકુર મળી કુલ ચારની ટીમ કર્નાટક રાજ્યની ટોચની A++ ગ્રેડ કોલેજ ની મુલાકાતે…
આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસો ફરી વધી ગયો છે. ફરી એકવાર ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે. આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણીમાં બુધવારે તારીખ તારીખ પડતા હવે 28 ઓગસ્ટ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. ફરિયાદીના સરકારી વકીલે એફિડેવિટ માટે સમય માંગ્યો હોવાથી મુદ્દત પડી છે. હવે 28 ઓગસ્ટે સુનાવણી હાથ ધરાશે ચૈતર વસાવાની અરજી પર તારીખ પડી જતા હવે 28 ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે. પરંતુ વારંવાર તારીખ પડી જતા ચૈતર વસાવાની અરજી પર સુનાવણી થતી નથી. મહત્વનું છે કે,ચૈતર વસાવાને જામીન અપાય…
તાપી જિલ્લાના ઉકાઉ યાંત્રિક પેટા વિભાગના તાત્કાલીન યાયબ કાર્યપાલક ઈજનેર લાંચ લેતા ACBના સકંજામાં આવી ગયો છે. લાંચિયો નાયબ કાર્યપાલક ઈજનેર રવિન્દ્ર ઈશ્વરભાઈ પટેલને ACBએ લાંચ લેતા સકંજામાં લીધો છે. આરોપી રવિન્દ્ર ઈશ્વરભાઈ પટેલે વર્ષ 2021માં એક કોન્ટ્રાક્ટરના 5,74,950 રૂપિયાનું બિલ પાસ કરવા માટે 10 ટકા લેખે 57,500 રૂપિયાની લાંચની માગણી કરી હતી. કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયાની કરી માંગણી:- જે બાદ કોન્ટ્રાક્ટરે 10,000 રૂપિયા આપ્યા અને 20,000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. જો કે, રૂપિયાનો લાલચું ઈજનેર બાકી રૂપિયાની વારંવારમાગણી કરતા કોન્ટ્રાક્ટરે ACBમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ACBએ ગોઠવેલું છટકું નિષ્ફળ નિવડ્યું હતું. પરંતુ વોઈસ રેકોર્ડિંગ સહિતના પુરાવા FSLની તપાસમાં…
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોઢા ગામે 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ અને ધરતી આબા બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ભાવભેર કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે નાનાપોઢા સર્કલ ખાતે સ્થાપિત બિરસા મુંડાની પ્રતિમાને આદિવાસી સંસ્કૃતિ અનુસાર ગામના અગ્રણીઓએ વિધિવત પૂજા-અર્ચના કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પૂજા-અર્ચના પ્રસંગે એ.પી.એમ.સી. ચેરમેન અને નાનાપોઢા ગામના સરપંચ મુકેશભાઈ પટેલ, પૂર્વ ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાવીત, ચિરંજીવી હોસ્પિટલ ડો. દિવ્યેશભાઈ ચૌધરી, ભાજપ પ્રમુખ વિપુલભાઈ ભોયા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અધ્યક્ષ કેતનભાઈ પટેલ ,પોલીસ ઇન્સપેક્ટર બી. આર. બેરા, મંગુભાઈ ગાવીત, લાલુભાઈ ગાવીત,કાળુભાઇ, રઘુભાઈ ગાવીત , નિવૃત્ત અધિક કલેકટર જે.ડી. પટેલ સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. પ્રતિમા પૂજન…
આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ દ્વારા ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તારીખ 9 ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી. આ ઉજવણી અન્વયે તારીખ 11 ઓગસ્ટના રોજ આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ દ્વારા ઉમરપાડા ખાતે આદિવાસીઓની ગરીમાના બચાવ તેમજ કુદરત ના સંરક્ષણ અંગે ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં આદિવાસીઓની સમસ્યાઓની ચિંતાને લઈને તેમજ પર્યાવરણના વિનાશની ચિંતાને મધ્ય નજરે રાખવામાં આવી હતી. આવેદનપત્ર આપી મુખ્ય માંગણીઓ:- ઉમરપાડામાં તલાટીઓની ભરતી કરો તેમજ પંચાયતો પર તલાટીઓની જગ્યા પૂરો વૃદ્ધ સહાય યોજના માપદંડમાં બીપીએલ નાબૂત કર્યા અને તમામ આદિવાસી વૃદ્ધોને સહાય આપો મનરેગા યોજનામાં સામૂહિક કાર્યમાં ધ્યાન આપવામાં…