Author: samachar shatak

Stay updated with the latest news from India and around the world. Samachar Shatak brings you breaking headlines, current affairs, politics, sports, entertainment & more – all in one place.

ઉમરપાડા તાલુકો દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં સ્થિત છે આ તાલુકામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ નિવાસ કરે છે આદિવાસી સમાજ વર્ષોથી પોતાની અલગ વેશભૂષા સંસ્કૃતિ અને જીવનશૈલીથી વિશેષ નીવડી આવે છે. અને આજ આદિવાસી સમુદાયની ઓળખ એટલે કે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ આ દિવસે વિશ્વના દરેક આદિવાસી સમાજના લોકો ધામધૂમથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરતા હોય છે. ત્યારે વર્ષ 2025 ના રોજ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઉમરપાડા તાલુકાના આદિવાસી સમાજ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવી હતી.ઉમરપાડા તાલુકા મથકે ઉજવવામાં આવેલ વિશ્વ આદિવાસી દિવસમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી જેમાં લોકો આદિવાસી સંસ્કૃતિની વેશભૂષામાં તેમજ ક્રાંતિકારીઓની ઓળખ…

Read More

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં 9મી ઓગસ્ટ 2025ના રોજ, વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમાજ દ્વારા અક્તેશ્વર બિરસા મુંડા ચોકડી ખાતે પરંપરાગત વાજિંત્રો અને પહેરવેશ સાથે આ દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. આ પ્રસંગે ગરૂડેશ્વર તાલુકાના આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે સમાજની સાંસ્કૃતિક વિરાસત અને અધિકારોના રક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો. આદિવાસી સમુદાયે પોતાની પરંપરાગત વેશભૂષા અને વાદ્યો સાથે રેલીનું આયોજન કર્યું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો. આ ઉજવણીએ આદિવાસી સંસ્કૃતિની વૈવિધ્યતા અને સમૃદ્ધિને ઉજાગર કરી. આ કાર્યક્રમ દ્વારા આદિવાસી સમાજે પોતાની ઓળખ, પરંપરા અને પર્યાવરણ સાથેના ગાઢ સંબંધોની ઉજવણી કરી. આગેવાનોએ આદિવાસીઓના હક્કો, શિક્ષણ,…

Read More

તાપી ઉચ્છલના બાબરઘાટ ખાતે ભગવાન બિરસામુંડાની ૧૫૦મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. આ પ્રસંગે ૧૭૨ વિધાનસભા મતવિસ્તારના ૫.૩૮ કરોડના ૩૬ વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભગવાન બિરસા મુંડાને વંદન કરતા નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશભરમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખુ વર્ષ જનનાયક ગૌરવ વર્ષ જાહેર કર્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે શિક્ષણ, આરોગ્ય, આવાસ, શિષ્યવૃત્તિ જેવી અનેક યોજનાઓ આદિવાસીઓના ઉત્થાન માટે જાહેર કરી છે. તેના સફળ અમલીકરણ માટે…

Read More

૯ ઓગસ્ટે આદિજાતિ વિકાસ વિભાગ અને તાપી વહીવટી તંત્ર દ્વારા પ્રોજેક્ટ ‘વિજ્ઞાન સેતુ- તાપી કે તારે’ અંતર્ગત અનોખા શૈક્ષણિક અભ્યાસ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે તાપી જિલ્લાની ૧૫ સરકારી શાળાઓના વિજ્ઞાન પ્રવાહના આદિજાતી સમાજના ૨૮ તેજસ્વી તારલાઓ ૧૦મી ઑગસ્ટ ૨૦૨૫ના રોજ સુરતથી હવાઈમાર્ગે ચેન્નઈ જઈ રહ્યા છે. જ્યાં તેઓ ભારતની અંતરિક્ષ સંસ્થા ઈસરોના હરિકોટા સ્થિત સેટેલાઈટ લોન્ચિંગ સેન્ટરની મુલાકાત લેશે. જેના ભાગરૂપે આ પ્રવાસે જતા ૨૮ આદિવાસી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન ગર્ગે મુલાકાત લીધી હતી. જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન ગર્ગે મુલાકાત:- કલેક્ટરએ બાળકો, તેમના વાલીઓ અને આ શૈક્ષિણક પ્રવાસમાં જોડાનાર શિક્ષકઓ સાથે રસપ્રદ…

Read More

સોનગઢ સરકારી હોસ્પિટલના પાછળના ગેટ પાસે ખાડા રાજથી અનેક દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. છેલ્લાં કેટલાક સમયથી અંહી ખાડાઓ પડી જતા હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ તેમજ 108 ઈમરજન્સી જેવા વાહનો પણ આ ખાડાઓમાંથી પસાર થઈ રહ્યા છે. હોસ્પિટલના પાછળના ભાગે પાર્કિંગની સુવિધા આપવામાં આવી છે. ત્યાં ઊંડા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે દર્દીઓ તેમજ ઈમરજન્સી વાહનો ચલાવતા ડ્રાઈવરને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સ્ટાફ પાર્કિંગ અને એમ્બ્યુલન્સ પાર્કિંગ ખાડાઓ:- હોસ્પિટલ સ્ટાફ પાર્કિંગ અને એમ્બ્યુલન્સ પાર્કિંગ વચ્ચે જે રસ્તો બનાવામાં આવ્યો છે. ત્યાં મોસમોટા ખાડાઓ પડી ગયા હોવાથી હોસ્પિટલમાં આવતા દર્દીઓને તકલીફ વેઠવાનો વારો આવ્યો છે. હોસ્પિટલમાં આવતા દર્દીઓના…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં પીપીપી ધોરણે ડેવલોપ કરવામાં આવેલા અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અવસરે મુખ્યમંત્રીએ ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું. લાંભા વોર્ડમાં ત્યાર થયેલા અર્બન ફોરેસ્ટની વાત કરીએ તો ૪૪૬૪ ચોરસ મીટરમાં રૂ. ૫૫ લાખના ખર્ચે આ ગાર્ડન ડેવલપ કરીને તૈયાર કરવામાં આવ્યો છે. મિયાવાકી પદ્ધતિથી સાગ, ખેર, વાંસ, સીરસ, સીસુ, અર્જુન વિગેરે ઇન્ડીજીનસ પ્રકારનાં કુલ ૮,૦૦૦ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં ૨૫૦ રનીંગ મીટર લંબાઇનો વોક-વે ત્યાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ શહેરને ભારતનું સૌથી…

Read More

દર વર્ષે ૯ ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે આદિવાસી સમુદાયોની સંસ્કૃતિ, પરંપરા, અને અધિકારોનું સન્માન કરવા તેમજ તેમની સમસ્યાઓ પ્રત્યે વૈશ્વિક સ્તરે ધ્યાન દોરવા માટે મનાવવામાં આવે છે. આદિવાસીઓ, જેમને ‘આદિ’ (મૂળ) અને ‘વાસી’ (નિવાસી) એટલે કે મૂળનિવાસી તરીકે ઓળખવામાં આવે છે, તેઓ પ્રકૃતિ સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને જળ, જંગલ, અને જમીનના રક્ષણમાં મહત્વનો ફાળો આપે છે. આદિવાસી દિવસનું મહત્વ:- વિશ્વ આદિવાસી દિવસનું મહત્વ આદિવાસી સમુદાયોની સંસ્કૃતિ, પરંપરાઓ, અને જ્ઞાનનું સંરક્ષણ કરવું તેમજ તેમના અધિકારોનું રક્ષણ કરવું છે. આ દિવસ તેમના અધિકારો, જેમ કે જમીન, જંગલ, અને સંસાધનો પરના હક્કો, તેમજ…

Read More

સોનગઢ ફાટા પાસે ખુલ્લા શેડમાં વરલી મટકાનો જુગાર રમતા નવ આરોપીઓ પાસેથી અંદાજે 4.21 લાખના મુદ્દામાલ સાથે તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. એ.એસ.આઈ જગદીશ અને એ.એસ.આઈ જયેશને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મુંબઈથી નિકળતા વરલી મટકાના આંકડાઓ લખે છે. તેવી બાતમી મળતા એલસીબી અને પેરોલ-ફર્લો સ્કોર્ડ બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓ નામ:- રાહુલ ભુલજી ભુખલીયો ગામીત અનિલ શાંતીલાલ ભીલ ફૂલસિંગ રાયસિંગ ગામીત ધીરેશ રોગીયા ગામીત ઈશ્વર રામોલ ખાંડવી શેકીયા ચામર્યા ગામીત સોનીયા હનીયા ગામીત વિષ્ણુ ગાંડાલાલ પટેલ કિરણ શંકર કોકણી આ તમામ શખ્સો મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકડાઓ રૂપિયા વત્તી લખાવતા…

Read More

વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારના ઘેરીયાવાવ ગામના દાદરી ફળિયા પાસેથી પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 13,490નો મુદ્દામાલ જપ્ત કરી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે આરોપીઓને ઝડપી લીધા છે. હેડ ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ, હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભેસિંહની બાતમી મળતા તાપી પેરોલ-ફર્લો સ્કોર્ડ તેમજ તાપી LCBના માણસોએ બાતમી વાળીએ જગ્યાએ પહોંચી રેડ પાડી તમામ આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસ પકડમાં આવેલા આરોપીઓ:- સાઉલ ઉર્ફે સાવન બિલા ગામીત સુરેશ ચેમા ગામીત બાબુ સીમરા ગામીત પ્રદીપ રાકેશ ગામીત શંકર રામજી ગામીત પિયુષ સરમુખ ગામીત વિજય ભીખુ ગામીત સુમન બાબા ગામીત દિલીપ રણછોડ ગામીત આ તમામ આરોપીઓ ગેરકાયદે રીતે…

Read More

રાજ્યમાં ફરી એકવાર ACBની રેડ સફળ નીવડી છે. કારણ કે સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનના PSI લાંચ લેતા ACBના સકંજામાં આવી ગયા છે. સરથાણા પોલીસ સ્ટેશનના PSI અંદાજે 40 હજારની લાંત લેતા ACBના સકંજામાં આવી ગયા હતા. માર નહી મારવા માટે માગી હતી લાંચ:- મહત્વનું PSI એમ.જી લીંબોલાએ આરોપીઓને માર નહીં મારવા અને આરોપીઓને વહેલા જામીનમુક્ત કરવા માટે લાંચ માગી હતી. PSI દ્વારા રૂપિયાની માંગણી કરવાની વાત સામે આવતા અન્ય પોલીસકર્મીઓમાં પણ હડકંપ મચી ગયો છે. હાલ તો ACBની ટીમે લાંચિયા PSIને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને લાંચ માગનાર અન્ય કોઈ પોલીસકર્મી તેમની સાથે જોડાયેલો…

Read More